________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા જિજ્ઞાસ–પ્રથમ કમ નથી તે કર્મભેદને કર્તા અને તેના ફળને લેતા એ જીવ કેમ સિદ્ધ થાય?
ગુરુદેવ-મનુષ્યપણે સર્વ મનુષ્ય સરખા છે તે એક ધનવાન, એક નિર્ધન, એક સુખી, એક દુઃખી, ઈત્યાદિ જગતનું વિચિત્રપણું થાય છે, તેનું કારણ કેણ છે? જે કઈ કારણ નથી તે સર્વદા છે તેવું ને તેવું જ હોવું જોઈએ. તેવું નથી માટે કઈ કારણ અવશ્ય છે. જે કારણ છે, તે જ કર્મ છે. કર્મ તે પણ જીવ વિના બની શકતું નથી, કેમકે જીવવડે કરાય તેનું નામ-કર્મ તે જીવ તથા કર્મ અવશ્ય માનવાં જોઈએ અને જે તેમાંથી એક પણ ન માનીએ તો જગતનું વિચિત્રપણું બની શકશે નહીં. કહ્યું છે કે
मामुद्रतकयोर्मनिषीजडयोः सद्रूपनीरूपयोः श्रीमदुर्गतयोलावलवतो रोगरोगायोः ।
सौभाग्यासुभगत्वसंगमजुषोस्तुल्येऽपि नृत्वेऽन्तरं - यत्तत्कर्मनिबंधनं तदपि नो जीवं विना युक्तिमत् ॥१॥
ભાવાર્થ-રાજા અને રંકમાં, પંડિત અને મૂખમાં, રૂપવાન અને રૂહીનમાં, ધનવંત અને નિર્ધનમાં, બલવાન અને નિર્બળમાં, રેગી અને નિરોગીમાં, સુભગ અને દુર્ભાગમાં, જે કે મનુષ્યપણું સરખું છે તે પણ આટલી તરતમતા છે. તેનું કારણ છે તે જ કર્મ. કમ પણ જીવ વિના હોઈ શકતાં નથી.
આ કર્મ, પ્રારબ્ધ, કે દેવની અસ્તિતાની સિદ્ધિને માટે શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં કહ્યું છે, કામનાવિશિષા વિશે તા થારાવા नरादिरूपं तच्चिद्रमदृष्टं कर्मसंज्ञितम् ॥ १ ॥ ભાવાર્થ-આત્મારૂપે સર્વ જ સરખા છે તે પણ મન
For Private And Personal Use Only