SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮૭ ૨૦-માસ્તર લલુભાઈ નાનાભાઈ-બોર ખરજવાને મલમઃ-સિંદૂર, સિંધવખાર, સાકર, હળદર, દારુહળદર, મનસીલ અને ઉપલેટ સર્વ સમભાગે લઈ વાટી ઘીમાં મેળવી ચોપડવાથી ખરજવું મટે છે. રા-વૈદ્ય દત્તાત્રેય ભગવાનજી ચાંદી-ટાંકીને મલમઃ-ગધેડાનાં લીડાં બાળી રાખ કરી ધુપેલમાં લગાડવાથી ત્રણ દિવસમાં ચાંદી મટે છે. અથવા શંખજીરું શેર ૦), કલાઈફેતે તેલા ૨, આરતી કપૂર તાલે છે, મીણબત્તી તોલે ૧ અને ઘી શેર ૦) લઈ, જૂનું ઘી તથા મીણબત્તીને તાવીને ઉતારીને તેને ખૂબ પાણીએ ધોઈ, ફીણીને પછી ભૂકે મેળવી મલમ બનાવી ચોપડવાથી પણ ચાંદી મટે છે. રર-વૈદ્ય અંબાશંકર લીલાધર પાંડે-મુંબઈ ખસ અને ખૂજલીને ઉપાય –તાંદળજાની ભાજીમાં ડેક સૂરોખાર મેળવી વાટી ચોપડવાથી ખસ તથા ખૂજલી (ખાજી) તરત મટે છે. ૨૩-ચહેલિયાના એક વૈદ્યરાજ ૧. ગડ કે પા-શીમળાની છાલ વાટી તેમાં મીઠું મેળવી ગેમૂત્રમાં રાંધી લેપ કરવાથી એકદમ ફૂટી જાય છે. ૨. કંઠમાળ, દાદર, ખરજવું અને ચાંદી માટે-સાઠી ચિખા શેર ૦૧, ભેંસનું દહીં શેર ૧ અને હળદર તેલા ૨ લઈ, પ્રથમ ચોખામાં હળદર નાખી એક કાચના પ્યાલામાં ભરવા અને દહીંને એક કપડામાં બાંધી અધર ટિંગાડવું. તેની નીચે ચેખા તથા હળદરવાળું પ્યાલું મૂકી એક રાત્રિ રહેવા દેવું. સવારે પાણીમાંથી ચોખા કાઢી સૂકવી ઊંચે સ્પિરિટ લઈ, તેમાં તે ચોખાને For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy