SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૧૬–વિધ શ્યામચંદ ગોવર્ધનરામ-ખાખરેચી દાદર, મામા માટે –આમલસાર ગંધક, સિંદૂર, બોદાર ફટકડી અને મનસીલ એને વસ્ત્રગાળ કરી, પછી તેને કડવા તેલમાં મેળવી ચોપડવી અને ખૂબ ઘસવાથી દાદર તથા મામા મટે છે. ૧૭–વૈદ્ય પ્રભાશંકર વૃદાવનદાસ–ધંધુકા ખસને મલમ -મરી તેલ ૧ અને ચૂલાની પાકી લાલ માટી તેલ વા એને વસ્ત્રગાળ કરી તેમાં પચે તેટલું સરસિયું તેલ નાખી, પિત્તળની થાળીમાં પિત્તળના વાટકાથી બે દિવસ સુધી ઘૂંટી ચોપડવાથી ખસને જલદી મટાડે છે. ૧૮-વૈદ્ય જમિયતરામ કેશવરામ–મુંબઈ ખરજવું તથા દાદર –કપૂર તોલે છે, જે કાળે તેલા ૨, મરી તેલે ૧, મેરથયુ ફુલાવીને તેલે લઈ કાળાં મરીને બાળી રાખ કરવી. પછી એ સર્વને મેળવીને બારીક વાટવું. ગાયનું ઘી શેર ૦૧, એક પાણીએ ઘેઈ તેમાં મેળવી ચોપડવાથી ખરજવું, દાદર, ઝેરી ચાંદાં તથા જૂનાં દરને મટાડે છે. આ મલમ બહુજ થોડા પ્રમાણમાં આંગળી ઉપર લઈને ઘસ, નહિ તે દરદીને એકદમ અગન બળશે. આ મલમથી સેંકડે નવ્વાણું દરદી સારા થયા છે. ૧૯-વૈદ્ય વાસુદેવ નાગરદાસ-જસકા - ખરજવા ઉપાય –અડાયાં શેર પ લઈ, તેના કટકા કરી તેની ઉપર એરંડિયું તેલ તેલા રાા છાંટવું, માથુ તેલ ૧ છાંટવું, આકડાનાં મૂળ શેર છે અને બકરાની લીંડી શેર ના લઈ એ સર્વ એક માટીના વાસણમાં ભરી તળિયે કાણું પાડી, પંદર છાણાંના અગ્નિમાં પકાવી ચુ પાડ. ખરજવાને સાબુથી ધોઈને ચેપડવું, જેથી સાત દિવસમાં મટે છે. For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy