SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - .. . ત્રણ તથા નાડીત્રણ ૮૧૧ જાતને સફેદ કાગળ લપેટી પાટે બાંધવે, એટલે કાગળની બહાર મલમ ફૂટી નીકળશે નહિ. એ પ્રમાણે કરવાથી ઊંડામાં ઊંડે અને ગમે તેટલે આડે ત્રણ હશે તે પણ પુરાઈ જશે, તેને ચીરવાની જરૂર પડશે નહિ. પણ જ્યાં સુધી ત્રણ પુરાઈને રુઝાઈ જાય ત્યાં સુધી અને તે પછી પણ એક કે બે મહિના સુધી પચ્યાગૂગળની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે ખવડાવવી, જેથી કઈ પણ જાતની ખેડખાંપણ વિના ત્રણ સારા થશે. ઘણી વાર કઈ માણસને શરીરના કોઈ પણ ભાગમાં લોખંડને ખીલ વાગવાથી તે જગ્યા પાકે છે, અથવા પડી જઈ માથું ફૂટવાથી જખમ પડે છે, અથવા શરીર પર વાગવાથી જખમ પડે છે. તે જખમમાં પાકીને પરું થયું કે તેમાં બાવળનાં લાકડાંને અથવા ખેરના લાકડાને બળ, વગર ધુમાડાના દેવતાને અંગાર લઈ તેને એરસિયા પર મૂકી ખૂબ ઝીણો વાટ. તે વાટેલ અને મેશ જે થયેલ ભૂકે છે તેમાં તલનું તેલ મેળવી, તે પાકતા જખમમાં ભરી દઈને ઉપર પાટો બાંધવે, જેથી ઘણું ઝડપથી તે જખમ રુઝાઈ જશે. કેટલીક વાર એવું બને છે કે, પગના તળિયામાં કે તેના મધ્ય ભાગમાં લેખંડને ખીલે કે ચૂંક, બાવળનો કાંટે કે લાકડાની ફાચર વાગવાથી તે જગ્યા પાકે છે અને તેમાં અસહ્યા બળતરા થાય છે. તેનું મેં હું નાનું રહી આસપાસની જગ્યા પાકવા માંડે છે; એટલે ઘણા ચિકિત્સકો, અંદર પ રહી જવાના ડરથી તેટલી ચામડી કાપે છે એટલે બે ચાર દિવસમાં બીજી ચામડી બગડે છે. એવી રીતે જેમ જેમ ચામડી કપાતી જાય છે તેમ તેમ આગળ દરદ વધતું જાય છે અને તે ત્રણ ભીતરથી પાકતી જાય છેઅને અસહ્ય વેદના થવાથી આખરે ઘૂંટીમાંથી પગ કાપી નાખી લાકડાને પગ બેસાડવાની ફરજ પડે છે. એટલા માટે ખીલ કે ચૂંક વગેરે વાગ્યું હોય અને તેમાં પાકની શરૂઆત થાય કે તરત દિવેલની નીચે For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy