SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે જવાન ના ના કાકા - - - - - - - - - - - - આટલી વાત તે ખૂબ યાદ રાખવી કે ત્રણની તપાસ કરતાં તે ત્રણને છિદ્રમાં સળી દાખલ કરી ત્રણ કેટલે ઊંડો ગળે છે અથવા તે ત્રણ કેટલે આડો ગયો છે, તેની તપાસ કોઈ પણ સંજોગોમાં કરવી નહિ, પણ જેટલે ત્રણ આડા અવળે ગયે હશે, ત્યાં દાબતાંજ તરતજ પરું વ્રણના છિદ્ર પર આવશે. એ ત્રણ હોય તે તે વ્રણમાં લીમડાના તેલની પિચકારી મારવી અને તેના ઉપર બેરજાના મલમની પટ્ટી મારવી. એ આડોઅવળો ગયેલે વ્રણ, જે માંસના રથાનમાં ન હોય એટલે હાથની હથેલીમાં હોય, આંગળીના સાંધામાં હોય, નખના સાંધામાં હોય અને તેમાં અત્યંત પીડા થતી હોય, આસપાસ સોજો પણ આવ્યો હોય તે તેને કોઈ પણ અવસ્થામાં કોઈ પણ જાતના મલમની પટ્ટી મારવી નહિ. પણ તે વણ ઉપર ધતૂરાનાં લીલાં પાતરાં વાટીને તેની લુગદી મૂકી પાટે બાંધો. એ પાતરથી જે દરદ મલમપટ્ટી કે શસ્ત્રક્રિયાથી એક મહિને મટે છે, તે આઠ દહાડામાં સારું થાય છે! કેટલીક વાર એવું બને છે કે, નાડીત્રણ છેક અંદરથી નહિ રુઝાતાં વચમાંથી રુઝાવા માંડે છે. જે તેમ જણાય તે તે વણની ઉપરની ચામડી ઉપર કાચા હિંગળકને ગાંગડે લઈ તેને પાણીમાં ઘસી, જ્યાંથી પરુ આવતું હોય ત્યાંથી માંડીને છેક ત્રણના છિદ્ર સુધી ચોપડે. તે ચોપડ્યા પછી લીમડાના તેલની પિચકારી મારી તેના છિદ્ર ઉપર એક પિસા જેવડી પટ્ટી મારી દેવી અને પછી બેરજાના મલમ ની પટ્ટી બનાવી જેટલી જગ્યામાં હિંગળાક ચેપડ્યો હોય તેટલી જગ્યા પર મારવી. બેરજાના મલમને એક એવો કાયદે છે કે, પટ્ટી માર્યા પછી તે મલમ, પટ્ટી ઉપર ફૂટી નીકળે છે. તે પછી તેના ઉપર જેટલાં કપડાં વળગાડો તે બધામાં પસરી રેગીની પથારીમાં પણ ચાટી જાય છે. તેટલા માટે પટ્ટીની ઉપર મલમ ' ફૂટી નીકળે કે તરત તેના ઉપર કેરે અથવા છાપેલે કઈ પણ For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy