SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેઠ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જ કરે છે. જો કેઈના પેટમાં દુખતું હોય તે દારૂડીનાં બીજ બે આનીભાર તથા સિંધવ તેથી અડધે મેળવી, બેને ભેગાં વાટી, પાણુ સાથે દિવસમાં ત્રણ વાર ફકાવવાથી પેટનું શૂળ તથા દુખાવે બંધ થાય છે. જો કેઈને જે આવ્યો હોય તે દારૂડીનાં પાતરાંને રસ જરા હળદર તથા મીઠું નાખી ચોપડવાથી સેજે ઊતરી જાય છે. તેવી રીતે એનાં મૂળિયાંમાં પણ એજ ગુણ રહે છે. દારૂડીનાં પાતરાંને રસ તેલા બે તથા ઘી તેલ એક મેળવી ઘણા દિવસ સેવન કરવાથી વિટક મટી જાય છે. વિષમજવરનાં વિશેષ લક્ષણે-જ્યારે અપાનવાયુ અને સમાનવાયુને હીનાગ થાય છે, ત્યારે ક્લેદકફ અને પાચકપિત્ત અવ્યવસ્થિત થાય છે. એટલે જે સ્થાનમાં પિત્તને અતિગ થાય છે, તે સ્થાન ગરમ થાય છે; અને જ્યાં કફને અતિગ થાય છે તે ભાગ ઠંડા પડી જાય છે. અર્થાત્ ઘણી વાર એવું બને છે કે, રેગીનું શરીર નૃસિંહાકારની પેઠે અથવા અર્ધનારીશ્વરની પેઠે અડધું ઠંડું અને અડધું ગરમ થાય છે. જ્યારે પિટમાં પિત્ત વિકારી થાય છે અને હાથપગમાં કફ વિકારવાળે થઈ ઠરી જાય છે, ત્યારે હાથપગ ઠંડા થઈ જાય છે અને શરીરને બાકીને ભાગ ગરમ થઈ જાય છે. તેવી રીતે પેટમાં કોલેજનકફ વધે છે અને હાથપગમાં બ્રાજકપિત્ત વધે છે ત્યારે શરીર ઠંડું અને હાથપગ તથા માથું ગરમ થાય છે. જ્યારે કફ અને વાયુ પિત્તધાતુની પાસે જાય છે, ત્યારે પ્રથમ રેગીને ટાઢ વાય છે; ટાઢની શાંતિ થયા પછી એકલું પિત્ત આખે શરીરે બળતરા કરે છે, પણ એ તાવમાં શરીર ગરમ થતું નથી. તેવી રીતે વાયુ અને પિત્ત કફના સ્થાનમાં જ વાથી પ્રથમ રોગીના શરીરમાં તાવ સાથે બળતરા થાય છે અને પછી છેવટે ટાઢ વાય છે. એ દાહપૂર્વક અને શીતપૂર્વક ત્રિદોષના સંબંધથી થાય છે, તેમાંથી દાહપૂર્વક જવર અત્યંત દુઃખદાયક For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy