SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - ત્રિદોષ-સિદ્ધાંત કે, જ્યારે આ કાચકા ને મરચાંવાળી દવાનાં પડીકાં ચાલતાં હેય તેટલા દિવસ દૂધ, દહીં, છાશ, માખણ, ઘી અને ગોળ રોગીને આપવાં નહિ. એ સિવાય ગમે તે ખાય તેની અડચણ નથી. એકાંતરિયા તથા ચોથિયા તાવમાં એક ઇંચ લાંબો અને અર્ધો ઈંચ પહોળ, કોરા કાગળને કટકે લઈ, તેના ઉપર કલમ અને કાળી દેશી શાહીથી ફલાણાને ફલાણે તાવ જજે” એટલા અક્ષર કેઈન વાંચી શકે તેવી ઢબમાં લખી, ત્રણ ચિઠ્ઠી કરી આપવી. ચિઠ્ઠી લખતી વખતે આપણે શ્વાસ બંધ રાખ અને મનને કપાળમાં બે ભ્રમરની વચમાં રાખી ચિઠ્ઠી લખવી. તે ચિઠ્ઠીમાંથી એક ચિઠ્ઠી પર એક વાલ ઘી મૂકી, રેગીને કપડું ઓઢાડી, ધુમાડા વગરના દેવતા ઉપર તે ચિઠ્ઠી મૂકી, તેની ધૂણી તાવ આવતાં પહેલાં બે કલાક અગાઉ રોગીને આપવી, જેથી તાવ આવોજ નહિ અને કદાચ આવે તે બીજી ચિઠ્ઠીની બીજી ધૂણી તાવની શરૂઆતમાં ઉપલી રીતે આપવી, એટલે તાવ ભશે નહિ; છતાં તાવ ભરાય તે છેલ્લી ત્રીજી ચિઠ્ઠી તાવ ઊતરવા માંડે ત્યારે ઉપલી રીતે આપવી, જેથી બીજે દિવસે અથવા બીજી વાર તાવ આવશે નહિ, કદાચ કોઈને એકાંતરિએ કે ટાઢિયો તાવ આવતા હોય, તે જૂના કામડાની બે ઈંચ લાંબી અને પા થી અર્ધો ઈંચ પહોળી ચીપ છલીને બનાવવી. તે છેલેલી કામડી પર ઉપર લખ્યા પ્રમાણે લખી, ઘી મૂકી, ઉપર પ્રમાણેની રીતે ધૂણી આપવાથી તાવ અટકી જાય અથવા જતો રહે છે. પણ ધૂણી આપતી વખતે ગળા સુધી કપડું ઓઢાડવું. મતલબ કે મોઢું ઉઘાડું રાખવું, ઢાંકવું નહિ. ઉપર લખેલા દારૂડીના બીજવાળે પ્રગ ચાલતું હોય તેમાં તે બીજનું વજન લખ્યા કરતાં વધતું અપાય તે કિવનાઈનની પેઠે તે કાને બહેરાશ લાવતું નથી; પણ વખતે એકાદ ઊલટી કે ઝાડો કરાવી શરીરમાંથી મળનું શોધન For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy