SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ). અમૃતસાગર (તરંગ - - - - - - કે-રાજા, ગુરૂ, દેવ, તિપિ અને વૈદ્યને ત્યાં ખાલી હાથે કદાપિ કાળે પણ જવું નહીં, કેમ કે ફળવડે જ ફળ પ્રાપ્ત થાય છે. તેમ રોગીએ ઈદેવને, ગુરૂને તથા બ્રાહ્મણને પૂછ પ્રણમ કરી તેઓને આશિર્વાદ લઈને શ્રદ્ધા સહિત ઘધને ઉપયોગ કરે અને રોગીને ગુરૂ તથા બ્રાહ્મણોએ આશિર્વાદ આપ કે “જેમ રસાયને ઋષિને, અને અમૃત દેવતાએને તથા ઉત્તમ નાગને રોગ રહિત બે બળિટ કર્યા છે તેમ આ ઔષધ તમને રોગ રહિત અને બલિષ્ટ કરો.” પછી રોગીએ નેત્ર તથા મુખ પ્રસન્ન રાખી પોતાના નેહી અને ભલા લેકેની સમીપ સોના રૂપા કે માટીના વાસણમાં રાખેલા પધનો ઉપગ કરે. - વ્યાધિના ચૌદ પ્રકાર સહજ રેગ ૧, ગર્ભજ રોગ ૨, જાતજ્ઞાત રોગ ૩, પીડાથી ઉપજેલ રોગ ૪, કાળથી ઉપન્ન થએલો રોગ ૫, પ્રભાવથી ઉત્પન્ન થએલે રોગ , સ્વભાવથી ઉત્પન્ન થએલે છે, દેશના કારણથી થયેલ રોગ. ૮, આગંતુક રાગ ૮, કાયિક રંગ ૧૦, અંતર રોગ ૧૧, કર્મથી ઉત્પન્ન થયેલ ૧૨, દેવથી ઉત્પન્ન થએલે ૧૩, અને કર્મ દોષથી ઉત્પન્ન થએલ ૧૪, એ ચદ પ્રકાર છે. તેને હવે વિસ્તારથી કહીએ છીએ. માતા પિતાના વીર્ય-કતના દોષથી ઉત્પન્ન થએલી સંતતીમાં પણ તેના રોગ વારસામાં મળે છે, જેમ કે, હર્ષ, ઉપદંશ, સંધિવાત અને રાજસ્માદિ રોગ થાય તે સહજ રેગ કહેવાય છે. ગર્ભના દેવથી પાંગળાપણું, કુબડાપણું કે છ આંગળીઓ વગેરે રોગો ઉત્પન્ન થાય છે તે ગર્ભજ રોગ કહેવાય છે. ગર્ભ છતાં પણ મિથ્થા આહાર વિહાર કરવાથી બાળકને પ્રસવ થતાં વેંત જ રવવા, વિચિત્ર પ્રકારનું શરીર અને બેબડા પણું વગેરે રોગોની ઉત્પત્તિ થાય તે જાતજ્ઞાત રોગ કહેવાય છે. શાસ્ત્ર વગેરેના પ્રહારથી ઉત્પન્ન થયેલા અસ્થિભંગાદિ રોગ તે પીડાજનિત રોગ કહેવાય છે. શીતકાળ ઉષ્ણકાળ તથા વર્ણકાળથી ઉપજેલ–એટલે વિશેષ ટાહાડ શહન કરવાથી તથા વિશેષ તડકે કે લુ શહન કરવાથી અને ચોમાસામાં પાણીમાં વિશેષ ભીજવાથી ઉત્પન્ન થએલે રોગ તે કાળજ રોગ કહેવાય છે. દેવતા, ગુરૂ અને બ્રાહ્મણ વગેરેના શાપથી તથા ગ્રહોના પ્રતિકૂળપણાથી ઉત્પન્ન થયેલે રોગ તે પ્રભાવજ રોગ કહેવાય છે. ભૂખ, તરસ અને જાવસ્થાના કારણથી કિવા તાવથી ઉત્પન્ન થયેલ રોગ તે સ્વાભાવજ રોગ કહેવાય છે. ભૂત પ્રેતાદિ તથા ધ, દેવ, લેભ અને મોહાદિને શરીરમાં પ્રવેશ થાય તેથી ઉત્પન્ન થયેલ રેગ તે આગંતુક રોગ કહેવાય છે. તાવથી માંડી વિષ પ્રકરણ લગણ જે જે રોગ છે તે કાયિક રોગ કહેવાય છે. ચિત્તભ્રમ-ગાંડાપણું થવા વગેરે ઉત્પન્ન થયેલા રોગે તે અંતર રેગ કહેવાય છે. જે દેશમાં માણસ ગેરા તે ગરજ, કાળાં તે કાળાં જ, અથવા લાલ કે ભૂરાંજ ભૂરાં ઉત્પન્ન થાય તે દેશજ રેગ કહેવાય છે. પૂર્વજન્મ કિંવા આ જન્મમાં બ્રહ્મહત્યાદિ ઘેર પાપના કરવાથી ઉત્પન્ન થયેલ રોગ તે કર્મજ રોગ કહેવાય છે. વાત, પિત્ત અને કફના પ્રકોપથી ઉત્પન્ન થયેલો છે. તે દોષજ રેગ કહેવાય છે. બ્રહ્મહત્યાદિ પાપ અને વાત પિત્ત કાદિ દોષ એ બન્નેના મેળાપથી ઉત્પન્ન થયેલ રોગ તે કર્મદિષજ કહેવાય છે. એ પ્રકારે ચાર ભેદ છે. તેમાં પણ બે ભેદ છે રેગ-એટલે સાધ્ય અને અસાધ્ય, તેમાં પણ સાધ્યના બે પ્રકાર છે, એક તો બહુ યત્ન કર્યા છતાં પણ પરાણે મટે છે અને બીજો થડા નથી મટે છે. એ જ પ્રકારે અસાધ્યના પણ બે ભેદ છે, તે પૈકી એક તે જાપ્ય એટલે હાડભીર, હર, મૃગીવાયુ, અપંગવાયુ, ભય અને શ્વાસાદિ તથા જેમાં વિશેષ - For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy