SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) અમૃતસાગર, (તરંગ કુસ્વો જોવામાં આવે તે તુરત સૂઈ જવું, તથા તે કોઈના અગાડી કહેવાં નહીં, પણ કાળી ગાયના કાનમાં સંભળાવી દેવાં, ભસ્માદિથી સ્નાન હેમ કરી સુવર્ણ જવ અને તલનું દાન દેવું, ત્રણ દિવસ મંત્ર સ્તોત્રાદિના પાઠ કરાવવા કિવા કરાવવા અને રાત્રિએ દેવસ્થાનમાં સૂઈ જવું તે, દુષ્ટ સ્વમને દોષ નાશ પામે છે. રેગી સ્વમમાં દેવતા, રાજ, યાચક, મિત્ર, બ્રાહ્મણ, ગાય, યજ્ઞ, નિધમ અગ્નિ અને તિર્થંદિ પવિત્ર સ્થાને તથા મંગળકારી વસ્તુઓ જુઓ તે સુખ પ્રાપ્ત થાય. તથા પાણીમાંથી તરત કાંઠે જાય, શત્રુ સૈન્યને ને, ગોખ, પર્વત, હાથી ઘોડા ઉપર બેસે, ધાબાં પુષ્પ, ધોળાં વસ્ત્ર, માંસ, માછલાં, અને ફળ દેખે કિંવા પ્રાસન કરે તે રોગી રોગથી મુકત થાય અને નિરોગી સંપત્તિવાન થાય. તથા જે સ્ત્રીની સાથે ગમન કરવું અયોગ્ય છે તે સાથે ગમન કરે, વિલેપન કરે, રૂવે તથા રોતે, મુલે, કાચું માંસ ખાતો જુએ તે રોગી રોગથી મુકત થાય અને નિરોગી ધનાઢય થાય. તેમજ જળો, ભમરી, સાપ, માખી કે ભમરી ડંખ મારે તે રોગી શીધ્રપણે સાજો થાય અને નિરોગી-નિર્ધન ધન પામે; પરંતુ એ સ્વ અનુભવેલી, જુએલી, સાંભળેલી, દિવસે દીઠેલી વસ્તુ કિવા વાર્તા તેમજ ચિંતાથી, અતિ પાપ પ્રસંગથી કે હેજ સ્વભાવથી એ છ કારણને અનુસરી જે સ્વમ દેખે તે નિષ્ફળ છે; પણ યંત્ર મંત્રના પ્રભાવથી આસ્તિક-ધર્માત્મા ટેકવંત, સત્યવાદી પુરૂષ તથા પુણ્ય પ્રસંગથી જે મ દેખે તેના સ્વ સરળ છે. તેમાં પણું રાત્રિના પહેલે પ્રહરે સ્વમ દેખે તે એક વર્ષે, બીજા પ્રહરે દેખે તે છ માસે, ત્રીજા પ્રહરે દેખે તે ત્રણ માસે, ચોથે પ્રહરે દેખે તે તેજ ભાસે, બે ઘડી પાછલી રાત્રિ હેય તે સમય દેખે તે દશમે દિવસે અને સૂર્યોદય વખતે દેખે તે શીધ્ર શ્રેષ્ઠ ફળ આપે; પરંતુ સ્વમમાળા-એક પછી બીજું એમ ઉપરા ઉપર સ્વો એકજ વખતે વા, એકજ રાત્રિમાં દેખે તે નિષ્ફળ છે. સ્થિર ચિત્તવાળો, દયાવંત, તેંદ્રિય અને ધર્માનુરાગી પુરૂષ સ્વમ જુએ તે સત્ય પડે છે, માટે સારાં સ્વ જોઈ સૂઈ જવું નહીં, પણ ઇષ્ટ સ્મરણ કતાં જાગ્રત રહેવું. નેત્ર પરીક્ષા. જે રેગીનાં નેત્ર બીહામણાં, લુખાં, ધૂમ્રવર્ણ, સ્થિર, વાંકાં, ચપળ તથા અંદરના ભાગમાં કાળાશ પડતાં હેય તે વાયુનો પ્રકોપ છે. જે રોગીનાં નેત્ર પિલાં, લીળાં, તથા રાતા રંગનાં દાયુક્ત અને દી૫ક કે અજવાળાને જોઈ શકતાં નથી તે પિત્ત પ્રકોપ જાણ. જે રોગીનાં નેત્ર તિહીન, ઘેળાં, પાણીથી ભરેલાં, ભારે અને થોડું જોઈ શકતાં હોય તે કક કેપ જાણ. તેમજ તંદ્રા, મૂચ્છાથી વ્યાકુળ હેય, કાળાં તથા ફાટેલાંજ રહેતાં હોય, લુખાં, બીહામણાં અને રાતાં હોય તે ત્રિદોષ-સન્નિપાત કેપ છે. વાયુ પિત્ત કફ એ ત્રણ દોષથી ત્રણ દેવના ચિન્તાયુક્ત અને બે દેશના કેપથી બે દેશનાં ચિન્તયુક્ત તથા વિદેશથી વ્યાકુળ થયેલા રોગીનાં નેત્ર પિતાના સ્વાધીન હોતાં નથી અર્થાત જે બાજુએ જેવા ધારે તે બાજુએ જોઈ શકતા નથી; પણ વિચિત્ર પ્રકારેજ જુએ છે તથા કેઈક વખતે ખુલેલાં તે કોઈક વખતે વીચાયેલાં અથવા કેવળ બંધ જ કરેલાં કે કેવલ ખુલ્લાં જ હોય છે. તથા આ ખની કાળી કીકી ગુમ થઈ જાય કિવા ચક્રની પેઠે ફર્યા જ કરે, ધૂમાડા જેવો દેખાવ આપે, કીકી વિશ્રિત થઈ જાય કે અનેક રંગ કરે તે તે રોગીના મૃત્યુના સમાચાર કહેવાવાળા જ ને સમજવાં; પણ જે રોગીનાં નેત્રો શાંત પ્રસન્ન અને પિતાને ધર્મ સ્વતંત્ર રીતે દાખવતાં હેય તથા રમણીય લાગતાં હેય તે તે રેગીના રંગને ત્વરાએ નાશ થવા સૂચવે છે. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy