SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચાવીશમા ) મિશ્ર પ્રકરણ. મુસળીપાકના વિધિ. ધેાળી મુસળી તાલા ૧૬ ભાર, કાચાં, ભોંયકોળુ, ગેખરૂ, શતાવરી, કાંસકીનાં ખીજ, ગંગેટીની છાલ, તજ અને સું, એનું ચૂર્ણ કરી સમાન ધીમાં કરમેાવી દુધ પ્રસ્થ ૧૦ માં નાખી તેને માવા બનાવવેા. ધી નાખી રવે પાડી નીચે ઉતારી ઠારી દેવા. પછી ખાંડ પ્રસ્થ ૭ ની ચાસણી કરી તેમાં તે રવા નાખી હલાવી એક્ટવ કરી પછી તેમાં લિકટુ, ચાતુજંત, લવીંગ, જાયફળ, જાવત્રી, વંશલોચન અને કસ્તૂરી વગેરે ઔષધીઓનું અનુમાનસર ચૂર્ણ નાખી, અભ્રક, લેહ, તથા સાનાની ભસ્મા કે હરગીરીરસ વગેરે પણ તેમાં યોગ્ય માત્રાએ નાખી, ચારોળી, પિસ્તા, બદામ વગેરે મેવા નાખી હલાવી લાડુ વા ચારસ ખંડ પાડી ૪ તેાલાભાર અથવા ખાનારના અગ્નિબળના પ્રમાણમાં બે ટાંક માત્રાનું સેવન કરે તે શરીરને પુષ્ટ બનાવે છે અને પ્રમેહાર્દિ સર્વ રોગોનો નાશ કરે છે. આ સુસળીપાક કહેવાય છે. આ પ્રમાણે જે જે પદાર્થેાના પાક કરવા હોય તે તે કરી ઉપયેગમાં લેવા. શિલાજીતની ઉત્પત્તિ તથા શેાધવાના વિધિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૭૭ ) ગ્રીષ્મ ઋતુમાં અત્યંત તાપના પડવાથી પર્વત તપી જાય છે ત્યારે તેમાંથી રસ નીકળે છે તેને શિલાત કહે છે. વિધ્યાચળ-પર્વતમાં લેખડ વધારે હોવાથી ત્યાં શિલાજીત વિશેષ પેદા થાય છે. તે શિલાજીતને ( લેઢાના વાસણમાં નાખી ) ગાયના દુધમાં, લિફ્ળાના વાથમાં અને જળભાંગરાના રસમાં—એક પછી એકનાં એક અથવા એ દિવસ પલાળી રાખી સુકવી ઉપયોગમાં લેવે. અથવા શિલાજીતના કાંકરાઓને ઉના પાણીમાં ૧ પાહાર સુધી ભીંજવી પછી તે પાણીને ડાહાળી, મસળી વસ્ત્રથી ગાળી લેવું અને માટીના વાસણમાં ભરી તડકે મૂકવું. પછી કરી મસળવું અર્થાત્ પીણુ ચઢે તેમ તેને હલાવવું, મથવું અને તે ઉપર જે ફીણુ આવે તે યુક્તિથી ઉતારી ખીજા વાસણુમાં લેવું. એમ નિરંતર બે મહિના સુધી જે પણ આવે તે ઉતાર્યા કરે, તડકે મૂક્યા કરે અને પાણી નીતારી કાંકરી નીકળે તેને કાહાડી નાખ્યા કરે તેા શુદ્ધ શિલાજીત થાય છે. એ શિલાજીતને અગ્નિ ઉપર નાખતાં જો લિગાકારે બને તથા ધુમાડા રહિત જણાય તો શુદ્ધ જાણવા. તે શુદ્ધ શિલાજીતને એળચી અને પીપરની સાથે સેવન કરે તે ૧ મહિનામાં મૂત્રકૃચ્છ, મૂત્રરાધ, પ્રમેહ તથા ક્ષયના નાશ કરે છે. માત્ર તી ૮ ની ઉપયોગમાં લેવી. યાગચિ'તામણિ, વિશેષ માહેતી માટે ભાવપ્રકાશ પ્રથમ ખંડના ખીજો ભાગ જુએ. ખાર કાહાડવાના વિધિ. For Private And Personal Use Only જે જે વસ્તુઓના ખાર કાહાડવા હોય તે તે વસ્તુઓને બાળી રાખ કરી તેને પાહાળા વાસણમાં નાખી હાળું પાણી રેડી ૨ દિવસ સુધી ભીંજવી રાખી અડવાળી સારીપેઠે હુલાવી કપડાથી ગાળી કાહાડવું. જ્યાંસુધી તેમાંથી ખારૂ પાણી નીકળે ત્યાં સુધી પાણી રેડી ગાળી લેખંડની કઢાઇમાં નાખી અમિ ઉપર ચઢાવી તે પાણીને ખાળી નાખવું–શાષવવું જેથી તે પદાર્થમાંના ખાર નીચે જામશે. તે ખાર લઇ જે પ્રયાગમાં વાપરવા ઘટે તેમાં વાપરવા. અર્થાત્ જવખાર, તલસરાના ખાર, એરડાનો, ખાપણને, કે કોઇપણુ ઝાડનો ખાર કાવાડવા હોય તો આ પ્રમાણે કાહાડી લેવા, પણ ચણાને ખાર બનાવવા હોય તે માહ મહિનામાં ચણાના ખેતરમાં પાછલી ૩--૪ ઘડી રાત હોય તે વખતે જઇ ઝીણું લુધડુ ૨૮
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy