SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમો.) ત્રણગ્રંથી પ્રકરણ (૨૩) જ કરે છે. દુર્દઘના ઉપર તમામ ટાઢા ઉપચાર-ટાઢું પાણી રેડવું વગેરેજ ઉપયોગમાં લેવા. સમ્યગ દધને વંશલોચન, પીપર, રતાં જળી, સેનાબેરૂ, અને ગળે એઓને વાટી ઘીથી યુક્ત કરીને લેપ કરે તો સમ્યક્રષ્પ મટે છે. અતિદગ્ધ થયો હોય તો, લટકી રહેલા ખરાબ માંસને કહાડી નાખી પછી શીતળ ક્રિયાઓ કરવી તથા સાઠી ચોખાનું ચૂર્ણ ભભરાવવું. અથવા ટીંબરૂની છાલના ચૂર્ણને ઘીમાં ઘુંટી ચેપડવું જેથી આરામ થાય છે. અથ વા મીણ, કાદવ, જીરું, મધ, હરડે અને રાળ એઓથી મિશ્રિત કરેલું ગાયનું ઘી ચોપડવામાં આવે તો બળવાથી થએલો વણ તુરત મટી જાય છે અને ચારે પ્રકારના બળેલા જનોને બળેલી જગ્યાએ ભય લાવીને જલ્દી રૂઝાળી દેવાનો આ અકશીર ઇલાજ છે–આ શિકથાદિ ધૃત કહેવાય છે. અથવા કડવાં તુરીઆના-કુકડ વેલાના કવાથથી અને કટકથી કાવેલું સરસવનું તેલ દાઝયાથી થએલા ત્રણને, પીડાને, રસીના વેહવાને, બળતરાને અને ફેલાઓને મટાડી દે છે–આ પટેળાદિ તૈલ કહેવાય છે. ભાવપ્રકાશ. અથવા જુની છેને બાળી પાણીમાં વાટી તેલથી દાઝ હોય તે ઉપર પડે તો તેલના ઝરાળા-ફોલ્લા સમી જાય છે. અથવા જવને બાળી તેલમાં કાલવી ચોપડે તો અગ્નિથી દાઝેલાના ફોકલાઓની વ્યાધિ તુરત શાંત થાય છે અને અંકુર જલદીથી લાવે છે. અથવા જીરાને શેકી તેમાં મીણ, રાળ, અને ધી મેળવી તેને લેપ કરે તો અગ્નિથી દાઝેલાની વેદના તાકાળ સમી જાય છે. વૈદ્યરહસ્ય. અથવા શુદ્ધ કળી ચુનાને પાણીમાં ભીજવી તે ઉપરનું નીતારેલું પાણું લઈ તેટલાજ તલના તેલમાં તેને મથી તે મલમ દાઝેલા મનુષ્યને ચોપડે તે તુરત તેની બળતરા તથા પીડાનો નાશ કરે છે અને રૂઝ લાવે છે-આને અંગ્રેજીમાં લીનીમેંટ કેલસીસ કહે છે. અથવા તલનું તેલ નવટાંક અને ઘણે વખતને ભીજવી રાખેલ ખાવાનો ચુને ૪ તોલા લઈ તે બન્નેને ભેગાં કરી પહોર સુધી હાથથી મથી રાબડી જેવો થાય કે તેમાં રૂનાં પેલ ભીંજવી દાઝેલા ભાગ ઉપર ચોપડે તે તુરત આરામ થાય છે. ત્રણગ્રંથીની સંપ્રાપ્તિ. ખેદ વગર શરીરમાંથી નીકળતું જે દુષ્ટ લોહી તેને વાયુ શોષી લઈ ત્રણને પરૂ કર્યું વિનાનો કરી–રસી બંધ કરી ખરાબ સોજાવાળે, ગંઠાયલો, બળતરાવાળો અને વલુરચળવાળે કરી દે છે તે ત્રણચંથી કહેવાય છે. ત્રણગ્રંથીના ઉપાય કપિલે, વાવડીંગ, તજ અને દારુહળદર એએને ઝીણા વાટી કક કરી તેલમાં નાખી તેથી પકાવી સિદ્ધ કરેલું તેલ ત્રણથી ઉપર પડે તે મુંબડા તથા ઘામાં પડેલી ગાંઠ વેરાઈ જાય છે અને આરામ થાય છે. વૈદ્યરહસ્ય. ત્રણવાળા અને દાઝેલાના સેવ્યાસેવ્ય પદાર્થો જવ, ઘઉં, રાતા ચોખા, મસૂર, તુવર, મગ, સાકર, ઘી, તેલ, વંતાક, કારેલાં, કકડાં, તાંદળજો, વગેરે વગેરે સેવવા યોગ્ય છે, પણ ખટાસ, ઠંડા પદાર્થો, ખાર, મહેનત, ઉતાવળું ૧મીણ, જેઠીમધ, લોદર, રાળ, મજીઠ, ચંદન, અને મોરવેલ, એઓને સૂક્ષ્મ કરી ઘીમાં પકાવી ધી સિદ્ધ કરવું. તે ધી બળેલા માત્રને ચોપડે તે તુરત રૂઝાઈ જોય છે. આ સિકથાદિધૃત કહેવાય છે. વૈિદ્યરહસ્ય. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy