SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૪) અમૃતસાગર, (તરંગ કદરૂ, નખ અને છડ એટલાં ૪–૪ તેલ લેવાં અને એલચી, લવીંગ, ચંદન, જાઈની કળીઓ, કરકરા, કોળ, અગર, માલકાંકણી, કસ્તૂરી, બહેડા, આંબળાં, અજમેદ, અને કેસર એ સઘળાં ર-૨ તે લાભાર લઈ સર્વનું ચૂર્ણ કરી તેલમાં નાખવું તથા કપૂર તેલા ૨૦ કપૂર અને કસ્તુરીથી અરધ ભાગે પત્ર કલ્ક વગેરે લઈ તેમાં નાખો ધીમા અગ્નિથી તેલ સિદ્ધ કરી; અર્થાત્ સર્વ રસ બળી માત્ર તેલ આવી રહે એટલે તેલને વસ્ત્રગાળ કરી એ તેલનું મર્દન કરે છે, સર્વ પ્રકારના વાયુરોગ, સર્વ પ્રકારના પ્રમેહ, તથા સોજો, ગોળ અને તાવ એ સર્વને નાશ કરે છે. આ લક્ષમીવિલાસ મહા સુગંધિ તૈલ કહેવાય છે. ચક્રદત્ત અથવા સુંઠ તેલા ૨૮ ભાર અને એક કળીનું લસણ તેલાવ૮ ભાર લઈ સુંઠને ઝીણું વાટી તેટલજ ગાયના ઘીમાં શેકી લસણને વાટીનું. ઠના ચૂર્ણમાં મેળવી ચેખું મધ તેલા ૨૮ મેળવી એકવ કરી નિરંતર ૪-૪તેલાભાર સેવન કરે તે, પક્ષઘાત, હનુતંભ, કટીભંગ અને ભુજાની પીડાદિ તીવ્ર વાયુરોગ નાશ પામે છે. અથવા માલકાંકણી, અસાળીએ, કાળીજીરી કે શાહજીરું, અજમો, મેથી અને તલ એ સર્વ બરાબર લઈ ઘાણીમાં નાખી તેલ કાહાડી એ તેલનું શરીરે મર્દન કરવું તે, તેથી સર્વ વાયુરોગ નાશ પામે છે. આ વિજયભૈરવ તૈલ કહેવાય છે. અથવા શુદ્ધપારો, શુદ્ધગંધક, શુહરતાલ અને શુદ્ધમણશીલ એ સઘળાં બરાબર લઈ ઝીણાં વાટી કાંજીમાં ૩ દિવસ સુધી વાટી પછી એક હાથનું ઝીણું કપડું લઈ તે ઉપર તેનો લેપ કરી તે કપડાને લપેટી તેની દીવટ–કાકડે કરી તેના ઉપર સૂતર લપેટી સુકવી પછી તે ઉપર તલનું તેલ ગણું નાખી સળગાવી લટકાવી રાખવી અને તેના નિચે લેખંડનું પાત્ર મૂકવું, તેમાં જે દીવટમાંથી ટપકી તેલ એકઠું થાય તે તેલ લઈ શરીરે મર્દન કરે તે હાથ, બાહુ, મસ્તક, ડેક, સાથળ, ઢીંચણ અને કંપવાદિ સર્વ પ્રકારના વાયુ રોગ જાય છે. આ વિજયભૈરવર્તિતિલ કહેવાય છે. અથવા હરડેની છાલ તોલા ૧૨,ચિત્રકલા ૧૨, એળચી, તજ, તમાલપત્ર, મોથ એ ચારે ૨-૨–તેલા ભાર, નગોડર તેલા, નાગકેસર ૧ તેલ, સુંઠ, મરી, પીપર,પીપરીમૂળ અને શુદ્ધ વછનાગ એ ૪-૪ તેલા લોહભસ્મ જ તેલા, વંશ લોચન, તેલા, શુદ્ધપારો ૪ તોલા, અને શુદ્ધગંધક ૪ તેલ લઈ, પારા ગધકની કાજ કરી પછીથી અન્ય ઓષધીઓ વાટી એકત્ર કરી ત્રણ વરસ જુને ગેળ તેલા ૨૦૦ લઈ ચાસણી કરી તેમાં ઉક્ત ઓપડો મેળવી એકછવ કરી ધી સાથે ગળીઓ બેરની મીજ પ્રમાણે કરી ધીના રીઢા વાસણમાં રાખી મૂકવી. પછી તેમાંથી બળ અનુસારે સારા મુહૂર્ત ગોળી ૧-૨ ધીના અનુપાન સાથે સેવન કરે. અર્થાત્ બળ આવે ત્યાં સુધી ઘી સાથે ૧ ગેળી અને પછી ૨ કે ના ગેળી ખાતે બે મહીનામાં કફને, ત્રણ મહીનામાં પિત્તને, ચાર મહીનામાં વાયુના સર્વ રોગ મટે છે. સાત મહીના સેવન કરે તે કંદ જ્વરે, એક વર્ષ સુધી સેવન કરે તે સર્વ પ્રકારના રોગ, બે વર્ષ સેવન કરે છે, ઘડપણ મટી યુવાન થાય અને ૩ વર્ષ છેવન કરે, નિશ્ચ આયુર્બળ વધે તથા શરીર નિરોગ રહે છે. આ વિજય ભૈરવ રસ કહેવાય છે. અથવા શુદ્ધ પારડ ૧ ભાગ, શુદ્ધગંધક ૨ ભાગ, ત્રિફળા ૩ ભાગ, ચિત્રક ૪ ભાગ, અને એરંડીયા તેલથી મર્દન કરેલ ગુ. ગળ ૫ ભાગ. એ સર્વને એકત્ર કરી એડીઆ તેલમાં ઘુંટી એક એક તોલા ભાર પ્રમાણે ગોળીઓ વાળી પ્રાતઃકાળે ૧ ગોળી ખાઈ તે ઉપર સુંઠ અને એરંડાના મળને કવાથ કરી પીએ અને એરંડીઆ તેલથી રોગીના વાંસા ઉપર માલેસ કરે, શેક કરે તે સર્વ પ્રકારના વાયુ રોગ મટે છેરેચ લાગે છે, પણ રેચ લાગ્યા પછી સ્નિગ્ધ અને ગરમ અન્ન ખાવું અને પવનમાં ૧ જે ઐષધોના કલ્કને પકવી ગાળી કહાડી તે પછી નીકળેલા કુચાની સાથે ફરી તેલ ધી વગેરેને વિશેષસગંધિ લાવવા માટે વાંટવાં તે પત્ર કલ્ક કહેવાય છે. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy