SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ર૦) અમૃતસાગર, (તરંગ કરે, અને ખરાબરીતે શ્વાસ લે તે જાણવુંકે અવગતિ પામેલા પ્રેતાદિના વળગથી ઉભાદ થએલે છે. દેવ–આદિને આવેશ થવાને વખત. ઘણું કરીને દેવતાઓ પૂર્ણિમાને દિવસે, બન્ને સંધ્યા કાળમાં, ગંધર્વે અમાવાસ્યાને દિવસે, યક્ષે પડવાને દિવસે, પિત્તઓ કૃષ્ણ પક્ષમાં કે અમાવાસ્યા તથા બીજી તિથીઓમાં, સ પાંચમને દિવસે અને રાક્ષસ તથા પિશાચે ચઉદસની રાત્રીએ વળગે છે માટે જે તિથીએ વળગે છે તે જ તિથીએ તેનાં બળિદાન આપવાં. દેવ આદિને પ્રવેશ મનુષ્યના શરીરમાં થાય છે, પણ પ્રવેશ થતાં કેમ દેખાતા નથી? દેવ ભૂતાદિ મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે, પણ પ્રવેશ થતી વખતે આપણને માલમ પડતી નથી તે તે વિષે દાંત એ છે કે-ઇપણ, પાણી તથા તેલ વગેરે પ્રવાહી પદાર્થમાં પિતાને કે અન્યનો પ્રતિબિંબ-પછા, ટાહાડ તથા ગરમીને શરીરમાં પ્રવેશ, આગી કાચમાં, સૂર્યની કાંતિ, શરીરમાં જીવ અને ફળફુલમાં રસ પ્રવેશ કરે છે; પણ પ્રવેશ કરતી વખતે કોઈ જોઈ શકતાં નથી તે જ પ્રકારે દેવ ભૂતાદિ પણ શરીરમાં પ્રવેશ કરે છે, પરંતુ પ્રવેશ કરતી વખતે જણાતાં નથી. ઉન્માદનું અસાધ્યપણું. આંખે ફાટેલીજ રહે, ડોલ્યાજ કરે, મુખે ફીણ આવે, પૂજા કરે, નિદ્રા બહુ આવે અને વારંવાર પડી જાય તે જાણવું કે તે ઉન્માદમી પરલકના પ્રયાણ માટે કેડ બાંધી તૈયાર ઉભો છે. ઉપાય. વાયુના ઉન્માદમાં પ્રથમ સ્નેહપાન કરાવી, પિત્તના ઉન્માદમાં રેચ આપી અને કરના ઉન્માદમાં ઉલટી કરાવી પછી ગુદા તથા લિંગમાં પિચકારી મારવા વગેરે ચિકિત્સા કરવી. અથવા ઉન્માદ રોગીને વહાલા જનને વિનાશ થયાની વાર્તા સંભળાવવી. અદભુત વસ્તુઓ બતાવવી. કંચની રૂવાટીને સ્પર્શ કરાવે. ઉના કરેલા લેટા, તેલ કે પાણીને સ્પર્શ કરાવે. નિર્જન ઘરમાં સારી પેઠે ચાબકા મારવા. ઝેરી ડાઢ કાહાડી લીધેલે સર્ષ કરડાવ. સિંહ તથા હાથીઓથી બહીવરાવે.ચોર, સત્ર તથા રાજસેવકોના પ્રાણઘાત ત્રાસથી ભયભીત કરે. ઈદ-હાલાં જનનાં નામ સંભળાવવાં. અથવા ઉપલેટ, આસગંધ, સિંધાલુણ, અજમેદ, બેડીઅજમો, જીરૂ, શાહજીરૂં, ત્રિકટુ, (સુંઠ, મરી, પીપર,) કાળીપાડ અને શંખાવળી એ સઘળાં બરાબર લઈ અને એ સર્વના બરોબર ઘેડાવજ લઈ સઘળાઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી બ્રાહ્મીના રસની ૩ ભાવના દઇ, છાયામાં સુકવી શુંટી તેને મધ થી સંગાથે ૧ તોલે કાલવી ૭ દિવસ લે તો સર્વ જાતના ઉન્માદ તથા સર્વ જાતના વાયુ વિકાર તથા પ્રમેહને મટાડે છે અને યાદશક્તિ, બુદ્ધિ, કાવ્યશક્તિ, વૈર્ય તથા સંપત્તિને વધારે છે. આ બ્રહ્માજીનું કહેલ સારસ્વત ચૂર્ણ કહેવાય છે. અથવા ત્રિફળા, પિત્તપાપડ, For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy