________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૦ :
અધ્યાત્મસ્થિતિસ્થાપક મન રાખતા, રાજી રહે એ અવસરે, સ્વસ્તુતિ નિન્દા પારકી, સુણી ખેદ સજ્ઞાની કરે. ૧૯
બીજા ગુણવાન પ્રાણીઓના ગુણની સ્તુતિ કરે ત્યારે અને અન્ય માણસો પિતા પર આક્રોશ કરે અથવા પોતાની નિંદા કરે તે વખતે જે પોતાના મનને સ્થિતિસ્થાપક રાખે છે અથવા તે વખતે જે આનંદ પામે છે; અને તેથી ઉલટી વાત બનતાં (એટલે પરગુણનિંદા અથવા આમપ્રશંસા થતાં) જે ખેદ પામે છે તે પ્રાણી જ્ઞાની-જાણકાર કહેવાય છે.” ૧૯
| ઉપજાતિ. પિતાના શત્રુ મિત્ર-સ્વપર ઓળખવાને ઉપદેશ. न वेत्सि शत्रून् सुहृदश्च नैव, हिताहिते स्वं न परं च जंतोः। दुःखं द्विषन् वांछसि शर्म चैत-निदानमूढः कथमाप्स्यसीष्टम्॥२०॥
હે આત્મન ! તારા શત્રુ કે, મિત્રને નહિ જાણત, તારું હિત કે અહિત કરનારું, શું છે! તે નહિ પિછાણ; પોતાના કે પરથી અજાણ, દુ:ખ પર દ્વેષે બળે, ઈચ્છા ધરે સુખ પામવા, ઈચ્છિત વસ્તુ કેમ મળે? ૨૦
હે આત્મન ! તું તારા શત્રુ અને મિત્રને ઓળખતે નથી. તારું હિત કરનાર અને અહિત કરનાર શું છે તે જાણતો નથી, અને તારું પિતાનું અને પારકું શું છે? તે જાણતા નથી. વળી, તું દુઃખ પર દેષ કરે છે અને સુખ મેળવવા ઈચ્છે છે, પણ તેનાં કારણો નહિ જાણતા હોવાથી તું તે ઇચ્છિત વસ્તુ કેવી રીતે મેળવીશ?” ૨૦
ઉપેન્દ્રવજાવૃત્ત. વસ્તુ ગ્રહણ કરવા પહેલાં વિચાર કરવાની જરૂર कृती हि सर्व परिणामरम्यं, विचार्य गृह्णाति चिरस्थितीह । भवान्तरेऽनन्तमुखाप्तये त-दात्मन् !किमाचारमिमं जहासि ?॥२१॥
૧ સ્વ–પિતાની કોઈ સ્તુતિ કરે. ૨ પિછાણ-ઓળખતો.
For Private and Personal Use Only