SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શબ્દાર્થ વિવેક ( ૩૫ ) જે કે અમે શાસ્ત્રના પૂરાવા આપી ખાત્રી કરી આપીશું કે અમારું આ લખવું અક્ષરશઃ બાજબી અને જેના માર્ગને અનુસરતું છે. દયાની જ લાગણીને માટે જૈન વર્ગ દુનિયાના સર્વે ભાગમાં પ્રસિદ્ધી પામેલ છે. તેના દરેક-અગમ-નિગમ અને ગ્રંથમાં દયાને માટે ખાસ ફરમાન કરેલું છે. આજ પુસ્તકના ૬૮૭ તથા ૮૫૪ મા વાક્યમાં તથા આહાર, પાણી–વસ્ત્ર–પાત્ર વગેરે લેવાનાં જ્યાં જ્યાં અધીકાર આવે છે તેવે સઘળે સ્થળે એમ ફરમાવેલું છે કે જ્યાં ઘર ધણી ઘી, તેલ વગેરેથી પિતાના શરીરને લેપ કરતા હોય તેવી જગાએ જવું તથા રહેવું નહિ તેમજ આવા લેપવાળું પાત્ર પણ ગ્રહણ કરવું નહિ. જમણવાર પ્રમુખ મહેત્સવ હોય તે માર્ગે પણ ન ચાલવું. આવી રીતે તેઓને માટે સંપૂર્ણ કાયદો છે તે પછી આવા મસ્ય માંસ વિગેરેના ભજન ભોગવવાની જૈનોને છૂટ છે એવું જૈન આગમને કલંક આપવું એ-ભવ ભરૂનું કર્તવ્ય નથી. જે માંસાહારીઓ પિતાનાં પવિત્ર પુસ્તકમાં શું ફરમાન છે તે વાંચ્યા, વિચાર્યા, સમજ્યા અને ધાર્યા વિના, શુદ્ધ બુદ્ધિના અભાવે વૃદ્ધ બની, તેવા કાર્યમાં મચ્યા રહી બીજાઓને લપટાવવા અને ફસાવવા પ્રયત્ન કરે છે, તેઓ પિતાના ધર્મ કાયદાનું ઉલ્લંઘન કરે છે. માંસાહાર કરવાથી બુદ્ધિ બગડે છે અને વૈદકશાસ્ત્રના અભિપ્રાય પ્રમાણે અણધારેલા રોગોના ભોગ થવું પડે છે. જગતમાં સર્વ પ્રાણી એને જીવવું હતું અને મરવું અળખામણું છે. જેમ સર્વ કોઈને પિત પિતાનાં પ્રાણ પ્રિય છે તેમ બીજાને હોય એ સ્વાભાવિક છે, શ્રી મહાભારતના અનુશાસન પર્વમાં કહ્યું છે કે — नहि प्राणास्प्रियतरं लोके किंचन विद्यते। तस्मा इयां नरः कुर्या अथात्मनि तथा परे ॥ અર્થ––જગતમાં પ્રાણથી વિશેષ વહાલું બીજું કાંઈ નથી, માટે મનુષ્ય પિતાની પેઠે બીજા ઉપર દયા રાખવી. તેવી જ રીતે તેના શાતિપર્વમાં પણ કહેવું છે કે अहिंसा सर्व जीवानां, सर्वज्ञैः परिभाषिता। इदंहि मूलं धर्मस्य, शेष स्तस्यास्ति विस्तरः ।। વથા મમ પ્રિયા: બાબા, સ્તથા તચાપ નિ: इति मत्वा प्रयत्नेन त्याज्य: प्राणिवधी बुधैः ॥ અર્થ-સર્વ જી પ્રત્યે દયા રાખવી એમ સર્વોએ કહેલું છે કેમકે અહિંસા ધર્મનું મૂળ છે, અને બાકીના સત્યાદિ તે તેના વિસ્તારરૂપ છે. જેમાં મારા પ્રાણ મને હાલા છે તેમ તે પ્રાણીને પણ તેના પ્રાણ વ્હાલા છે એમ માનીને પ્રયત્ન પૂર્વક પંડિતોએ જીવ હિંસાને ત્યાગ કરે. આવા સંખ્યા બંધ શ્લેક વડે હિંદુ ધર્મમાં પવિત્ર મનાતા શ્રી મહા ભારતમાં પણ પ્રાણિવધની મના કરેલી છે એટલું જ નહિ પણ મનુસ્મૃતિ, શ્રીમદ્ ભાગવત વિગેરે હિંદુઓના અન્ય પવિત્ર પુસ્તકોમાં પણ યજ્ઞાદિ નિમિત્ત પણ કરવામાં આવતા પશુ વધા માટે સમ્ર પ્રતિબંધ કરેલો છે. શ્રીમદ્ ભાગવતના ચોથા કંધના ૨૫ મા અધ્યાયના ૭-૮ મા શ્લોકમાં કહેલું છે કે–પ્રાચીન બર્લી નામના રાજાએ પિતાની ઈચ્છા પરિપૂર્ણ કરવા સારૂ વેદને અનુસરીને ય કરી હજારે પશુઓને મારેલાં જોઈ તે પ્રમાણે ન કરવા શ્રી નારદજીએ તે રાજાને નીચે પ્રમાણે કહેલું છે. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy