SearchBrowseAboutContactDonate
Page Preview
Page 998
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુનો સ્વભાવ જ્ઞાન અને વસ્તુ ધ્રુવ આત્મા એ બન્નેનો તાદાત્મયસિધ્ધ સંબંધ છે અને તેમાં અભેદભાવે પરિણમવું તે ધર્મ છે. રાગ અને આત્માનો સંયોગસિધ્ધ સંબંધ છે છતાં બે ને એક માનીને પરિણમવું તે અજ્ઞાન છે. કર્મ અને આત્માનો એક ક્ષેત્રાવગાહ સંબંધ છે. એટલે કે કર્મ અને આત્મા પરસ્પર એક ક્ષેત્રમાં વ્યાપીને નિકટ રહે એવા સંબંધરૂપ બંધ છે. જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મના પુદગલો એક ક્ષેત્રે અગવાહીને રહે છે તો પણ ભાવથી તદ્દન જુદા છે. એક ક્ષેત્રે રહે છે તેને પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ છે. જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મના પુદગલો એક ક્ષેત્રે અગવાહીને રહે છે. તો પણ ભાવથી તદ્દન જુદા છે. એક ક્ષેત્રે રહે છે તેને પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ કહેવાય છે. (૩) ત્રણ પ્રકારના સંબંધ કહ્યા છે. (૧) જ્ઞાન અને આત્માનો તાદાત્મ્ય સિધ્ધ સંબંધ રાગ અને આત્માનો સંયોગસિધ્ધ સંબંધ કર્મ અને આત્માનો પરસ્પર અવગાહ સિધ્ધ સંબંધ. (૧) (૨) (૩) વસ્તુનો સ્વભાવજ્ઞાન અને વસ્તુ ધ્રુવ આત્મા એ બે નો તાદાત્મય સિધ્ધ સંબંધ છે અને તેમાં અભેદભાવે પરિણમવું તે ધર્મ છે. (૨) રાગ અને આત્માનો એક ક્ષેત્રાવગાહ સંબંધ છે. એટલે કે કર્મ અને આત્મા પરસ્પર એક ક્ષેત્રમાં વ્યાપીને સંનિકટ રહે એવા સંબંધરૂપ બંધ છે. જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મના પુદગલો એક ક્ષેત્રે અવગાહીને રહે છે તો પણ ભાવથી તદ્દન જુદા છે. એક ક્ષેત્રે રહે છે તેને પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ કહેવાય છે. ૯૯૮ (૪) શાસ્ત્રમાં ત્રણ પ્રકારના સંબંધ આવે છે. એકતા તાદામ્ય સિદ્ધ સંબંધ, બીજો, સંયોગ સિદ્ધ સંબંધ અને ત્રીજો, પરસ્પર અવગાહ લક્ષણસિદ્ધ સંબંધ, (૧) જ્ઞાન અને આત્માનો તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે, જેમ અગ્નિ અને ઉષ્ણતાને સંબંધ છે તેમ જ્ઞાન અને આત્માને તાદાત્મ્યસિદ્ધ સંબંધ હોવાથી જ્ઞાન ક્રિયા નિષેધવામાં આવી નથી. જ્ઞાનક્રિયા જ્ઞાનીઓને સાધક સ્વભાવમાં આવ્યા વગર રહેતી નથી, માટે તેને નિષેધી નથી. (૨) સંયોગ સિદ્ધ સંબંધ ક્રોધ,માન, માયા, લોભ વગેરે શુભાશુભ પરિણામ થાય છે તે આત્મા સાથે સંયોગસિદ્ધ સંબંધે છે; જેનો વિયોગ થાય તેને સંયોગ સિદ્ધ સંબંધ કહેવાય છે. તેનો સંયોગ હોય તેનો વિયોગ થાય, ક્રોધાદિ એક સમયમાં નાશ થઈ જાય છેઅને બીજા સમયે નવા ઉત્પન્ન થાય છે, જે આત્માના ભાવ વડે સમૂળગા નાશ થઈ જાય છે માટે ક્રોધાદિ આત્મા સાથે ઉત્પાદ વ્યય સંબંધે છે પણ ધ્રુવ સંબંધે નથી. ધ્રુવ સંબંધ નથી માટે સંયોગ સંબંધ છે પણ સ્વભાવ સંબંધ નથી. (૩) પરસ્પર અવગાહ લક્ષણ સિદ્ધ સંબંધ :- આત્મા અજ્ઞાન અવસ્થા એ ક્રોધાદિનો કર્તા થાય છે તે પરિણામનું નિમિત્ત પામીને નવા રજકણોનું પ્રારબ્ધ બંધાય છે, તે પ્રારબ્ધ જડ રજકણોના સામર્થ્યથી બંધાય છે; રજકણમાં બદલવાનું-પરિણમવાનું સામર્થ્ય છે. રજકણો પોતાના સ્વતંત્ર પરિણમનથી એકઠાં થયા છે. આત્મા અજ્ઞાન અવસ્થામાં શુભાશુભ ભાવરૂપ પરિણમે ત્યારે તે પરિણામ કર્મબંધ થવામાં બાહ્ય નિમિત્ત થાય છે, કર્મરૂપ રજકણો પોતાની લાયકાતથી બંધાય છે પરંતુ શુભાશુભ પરિણામ તેને નિમિત્તરૂપ થાય છે તેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કર્મ રજકણો એની મેળાએ સ્વતંત્ર પરિણમી જાય છે. જેમ ચોખા, દાળ વગેરેનો
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy