SearchBrowseAboutContactDonate
Page Preview
Page 967
Loading...
Download File
Download File
Page Text
________________ નરકમાં તો જવું પડ્યું પણ આયુષ્ય સાતમી નરકથી ઓછું થઈ ને પહેલી નરકનું જ રહ્યું. એ રીતે જે જીવ સમ્યગ્દર્શન પામ્યા પહેલું તિર્યંચ વા મનુષ્ય આયુનો બંધ કરે છે તે ભોગભૂમિમાં જાય છે પરંતુ ભૂમિમાં તિર્યંચ અથવા મનુષ્યપણે ઉપજે નહિ. સમ્યગ્દર્શન પામ્યા પહેલાં નરકગતિનું આયુષ્ય બાંયા પછી સમ્યગ્દર્શન પામે તો આવી અવસ્થામાં સમ્યગ્દષ્ટિની પહેલી નરકના નપુંસકોમાં પણ ઉત્પત્તિ થાય છે. એનાથી જુદા બીજા નપુંસકોમાં તેની ઉત્પત્તિ થવાનો નિષેધ છે. સમ્યકદર્શન :નિજ ધ્રુવસ્વભાવ (એકપણું) તે સમ્યકદર્શનનો વિષય છે. સભ્યદર્શન-શાન-ચારિત્ર:નિજ સ્વરૂપમાં જ એકતારૂપ પરિણમન તે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. સભ્યષ્ટિ ગૃહસ્થ સમ્યદ્રષ્ટિ ગૃહસ્થ એવા હોવા જોઇએ કે જેની પ્રતીતિ દુશ્મનો પણ કરે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તાત્પર્ય કે એવા નિષ્કલંક ધર્મ પાળનારા હોવા જોઇએ. સમ્યક્દશાનાં પાંચ લાણો ઃ ૮૨ ૭ 9 S શમ, (૨) સંવેગ, નિર્વેદ, આસ્થા, (૫) અનુકંપા (૧) શમ = ક્રોધાદિક કષાયોનું શમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ શમાઈ જવી તે શમ. (૨) સંવેગ = મુકત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહિ તે સંવેગ. (૩) નિર્વેદ = જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાંજ પરિભ્રમણ કર્યું; ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ ! હવે થોભ, એ નિર્વેદ. ૯૬૭ (૪) આસ્થા = માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરૂષોનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા - આસ્થા. (૫) અનુકંપા =એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ અને અનુકંપા. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. સભ્યાકારે સ્વસ્વરૂપના આશ્રયે સભ્યપ્રાયશ્ચિત :પ્રમાદ અથવા અજ્ઞાનથી લાગેલા દોષોની શુદ્ધિ કરતાં, વીતરાગ સ્વરૂપના લક્ષ વડે, અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે સમ્યક્ સત્ય, યથાર્થ, સાચો સમ્યક સ્વભાવ :ત્રિકાળ એકરૂપ નિર્મળ રહે તેને સમ્યક્ સ્વભાવ કહેવામાં આવે છે. સમ્યક વૃત્તિ પરિસંખ્યાન સમ્યદ્રષ્ટિ જીવને સંયમના હેતુએ નિર્દોષ આહારની ભિક્ષા માટે જતી વખતે, ભોજનની વૃત્તિ તોડનારો નિયમ કરતાં, અંતરંગ પરિણામોની જે શુધ્ધતા થાય છે તે. સમ્યક્દર્શન છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય તથા નવ પદાર્થની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહે છે. તે વ્યવહાર સમ્યગ્દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ છે, તે બેયમાં કાર્ય-કારણ અથવા સાધ્ય-સાધક સંબંધ છે, નિશ્ચય સમ્યગ્દર્શન સાધ્ય તથા વ્યવહાર સમ્યગ્દર્શન સાધક છે. વીતરાગ પરમાનંદ સ્વભાવવાળો શુદ્ધ સહજાત્મા જ ઉપાદેય છે, એવી રૂચિમાં પરિણમેલો શુદ્ધ આત્મા નિશ્ચય સમ્યગ્દર્શન છે. સમ્યગ્યારિત્ર :પરમાં રમણતા છે તે ટળીને આત્મામાં રમણતા, સ્થિરતા ઉપયોગની એકાગ્રતા તે આત્મ અનુભવ કે સમ્યગ્યારિત્ર (૨) શુદ્ધ વસ્તુમાત્ર, તેની સ્વરૂપનિષ્પત્તિ, તેનાથી જે સ્વરૂપાચરણ ચારિત્ર તે જ સભ્યશ્ચારિત્ર છે, તે જ મોક્ષમાર્ગ છે. હિંસા, અમૃત, સ્તેય, અબ્રહ્મ, પરિગ્રહથી રહિતપણું, મહા પરિષદોનું સહવું, તેના ઘણ બોજા વડે ઘણા કાળ પર્યંત મરીને ચૂરો તો થતા થકા ઘણું કષ્ટ કરે છે તો કરો તથાપિ એમ કરતાં કર્મક્ષય થતો નહિ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy