SearchBrowseAboutContactDonate
Page Preview
Page 963
Loading...
Download File
Download File
Page Text
________________ ધારણ કરતા નથી ત્યાં સુધી અસંયમી કહેવાય છે. જ્યારે શુદ્ધાત્માની અખંડ ભાવના રહેતી નથી ત્યારે તેઓ અરિહંતાદિની ભક્તિ કરે છે, સ્તવન કરે છે. ચરિત્ર તથા પુરાણાદિ શાસ્ત્રો સાંભળે છે. વિષય-કષાયરૂપ દુનને રોકવા અર્થે તથા સંસારની સ્થિતિ અલ્પ કરવા તે પુરૂષો આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ આદિ મહાપુરૂષોને દાન આપે છે. પૂજે છે તથા અનેક પ્રકારની શુભ ક્રિયાઓ કરે છે, અને શુભ રાગના સંબંધથી સરાગ સમયગદષ્ટિ કહેવાય છે, અને તેમને નિશ્ચય સમ્યત્વ પણ કહેવાય છે, કારણકે વીતરાગ ચારિત્રની સાથે રહેવાવાળા નિશ્ચય સમ્યકત્વનું પરંપરા એ તે કારણે છે. વસ્તુતા એ ગૃહસ્થાવસ્થામાં જે સમત્વ છે તે સરાગ સમ્યત્વ અથવા વ્યવહાર સભ્યત્વ છે, એમ ભાવાર્થ છે. (૧૦) સાચા દેવમાં દેવબુદ્ધિ, સાચા ગુરૂમાં ગુરૂબુદ્ધિ અને સાચા ધર્મમાં અજ્ઞાન, સંશય અને વિપર્યય વિનાની શુદ્ધ બુદ્ધિ એનું નામ સમ7. (૧૧) સાચા દેવમાં દેવ બુદ્ધિ, સાચા ગુરૂમાં ગુરૂબુદ્ધિ, અને સાચા ધર્મમાં અજ્ઞાન, સંયમ એ વિપર્યય વિનાની શુદ્ધ બુદ્ધિ, એનું નામ સખ્યત્વ. (૧૨) નિજ શુદ્ધાત્મસ્વરૂપ એ જ ઉપાદેય છે એવી જે રૂચિ તે સમ્યકત્વ છે, તે પણ આત્મા છે. (૧૩) નિજ શુદ્ધાત્મસ્વરૂપ એ જ ઉપાદેય છે એવી જે રૂચિ તે સમ્યકત્વ છે, તે પણ આત્મા છે. વીતરાગ સ્વસંવેદન જ્ઞાનરૂપ સમ્યજ્ઞાન પણ આત્મા છે, કારણ કે આત્મા વિના સમ્યજ્ઞાન અન્ય પદાર્થોમાં હોતું નથી. (૧૪) જે વસ્તુ જે રૂપે સ્થિત છે તેનું તે જ રૂપે આત્માને જે કારણે જ્ઞાન થયા છે તેને સમ્યકત્વ કહે છે. અહીં સમ્યકત્વને સ્વાત્મોપલબ્ધિના સાધનમાં સમર્થ બતાવેલ છે. અને એનાથી સમ્યકત્વનું મહત્ત્વ પ્રગટ થયા છે કે જે બધા જ આત્મ વિકાસનો મૂળ આધાર છે. સખ્યત્વનો ત્રણ ભેદ શ્રાયિક, ઔપથમિક અને ક્ષાયોપથમિક છે. દર્શનમોહની ત્રણ મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક પ્રકૃતિ તથા ચારિત્ર મોહની ચાર અનંતાનુબંધી ક્રોધમાન-માય,લોભ, આ રીતે મોહ કર્મની સાત પ્રકૃતિઓના ક્ષયથી ક્ષાયિક, ઉપશમથી ઔપથમિક અને ક્ષયોપશમથી ક્ષાયોપથમિક સખ્યત્વનો ઉદય થાય છે. આ ત્રણેમાં ક્ષાયિક સમ્યત્વ મુખ્ય છે, સ્થાયી છે અને તેથી સાધ્ય તેમજ આરાધ્ય છે. બાકીના બન્ને સમ્યકત્વ સાધનની કોટિમાં રહેલ છે - તેમના સહારે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી શકાય છે. સમત્વ કેમ જણાય ? મોક્ષથી દશા ફળે ત્યારે સમ્યકત્વની ખબર એની મેળે પોતાને પડે, સત્સંવ, સદગુરુ અને સધર્મ આ ત્રણ તત્ત્વ. યર્થાથ રીતે જાણ ત્યારે સમ્યક્ત થયું ગણાય. સમૃત્વ ક્યારે પ્રગટ થાય ? સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે. અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય, સમકિતમોહનીય એ સાત ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે છે. સમકૃત્વ પ્રકૃતિ દર્શનમોહના ઉદયની સાથે સમ્યક્ત પણ હોય છે. એટલે સમ્યત્વની સહચારિણી હોવાથી તેનું નામ સભ્યત્વપ્રકૃતિ પડ્યું. જ્ઞોયોપથમિક સભ્યત્વની સાથે તેનો ઉદય હોય છે. સમ્યકત્વ પ્રાપ્તિ :જડ અને ચેતનનું ભિન્ન ભિન્ન પ્રકારથી જ્ઞાન થતાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. સ્થૂલ જડ પદાર્થોનું અનિત્યપણું અને આત્માથી ભિન્નત્વનો નિશ્ચય કર્યા પછી પંડિત પુરૂષો આત્મામાં જ આનન્દ માને છે. ભેદજ્ઞાનની પ્રાપ્તિ થતાં બાહ્ય શરીરાદિ વસ્તુ પર મમત્વભાવનો અધ્યાસ ટળે છે. સમૃત્વમોહનીય :આત્મા આ હશે ? તેવું જ્ઞાન થાય તે સમ્યક્ત મોહનીય. સખ્યત્વ મોહનીય કર્મ સમ્યક્ત પ્રકૃતિ; જે કર્મના ઉદયથી સમ્યગ્દર્શન રહે, કોઇ દોષ, મલ કે અવિચાર લાગે તેને સમ્યત્વ મોહનીય કહે છે. સમૃત્વ શ્રદ્ધા જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી, પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ (યથાર્થ પ્રતીતિ) થાય, તેને સમ્યત્વ ગુણ કહે છે. (૧) જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી, પોતાના શુદ્ધાત્માનો પ્રતિભાસ થાય, અખંડ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ થાય. સાચા દેવ-ગુરુ-ધર્મમાં દઢ પ્રતીતિ થાય. જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ પ્રતીતિ થાય. (૪) સ્વ-પરનું શ્રદ્ધાન થાય. (૫) આત્મ શ્રદ્ધાન થાય.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy