SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ અને ચિર ઉલ્લાસનું મહારસાયણ. યોગના અદ્ભુતચમત્કારિક અશ્ચર્યો થાક અને કંટાળાનો ધવંસ કરે છે. યોગીઓનું બેન્ક બેલેન્સ શું ? આત્મસંવેદનનાં સાત્ત્વિક કંપનો- તે જ તેમની માયામૂડી. તે સાત્ત્વિક કંપનો (અંગ્રેજી : પોઝીટીવ વાઈબ્રેશન્સ) નો ગુણાકાર (અંગ્રજી : ચેઈન રીએકશન) થાય છે. (૧૦) મન,વચન અને કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશો ચંચળ થવાપણાને યોગ કહે છે. (૧૧) આત્માના પ્રદેશનું કંપન તે યોગ છે. (૧૨) મન, વચન, કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશોનું કંપન થવું તેને દ્રવ્યયોગ કહેવાય છે. કર્મ અને નોકર્મને ગ્રહણ કરવામાં નિમિત્તરૂપ જીવની શકિતને ભાવયોગ કહેવાય છે. (૧૩) શુભપરિણામ સહિતની નિદોર્ષ ક્રિયા વિશેષને યોગ કહે છે. (૧૪) બે પ્રકારના છે. દ્રવ્યયોગ અને ભાવયોગ. (૧૫) મન, વચન, કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશોનું કંપન થવું તે દ્રવ્યયોગ કહેવાય છે. કર્મ અને મોકર્મના ગ્રહણ કરવામાં નિમિત્તરૂપ જીવની શકિતને ભાવયોગ કહેવાય છે. (૧૬) મન. વચન અને કયા, અથવા દ્રવ્ય અને ભાવ. (૧૭) ધ્યાનબળ (૧૮) યોગ એટલે મન-વચન-કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુકત થયું જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘરાદિક તથા ક્રોધાદિક ને નિમિત્ત છે તેથી તેમને ઘટાદિક અને ક્રોધાદિક નિમિત્તકર્તા કહેવાય પરન્તુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ ઉપયોગના કર્તા કહી શકાય. (૧૯) મન-વચન-કાયા, કંપન, ચૈતન્યના પ્રદેશોનું કંપન. (૨૦) સ્વભાવ-શાંતિની સમાધિ, ધ્યાનમાં સ્થિર થવું તે. (૨૧) કર્મા વિશેષ હેતુઓમાં જે યોગનું ગ્રહણ છે તે કષાય અનુરંજિત યોગ છે, જે યોગની પ્રવૃત્તિ લેશ્યા કહેવાય છે. (૨૨) વળી જીવોને જે શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ (મન-વચન-કાયા આશ્રિત) ચેષ્ટાનો ઉત્સાહ છે તે યોગનો ઉદય જાણ. શુભયોગમાં કે અશુભયોગમાં પ્રવર્તનું કે નિવૃતવું એટલે કે શુભમાં પ્રવર્તતું અને અશુભથી નિવર્તવું, અશુભમાં પ્રવર્તવું અને શુભથી નિવર્તવું તે યોગનો ઉદય છે. આત્માના પ્રદેશોનું કંપન છે તે યોગ છે, તે વિકાર છે તેમાં કર્મનું નિમિત્ત છે. (૨૩) આત્માના પ્રદેશનું કંપન તે યોગ ૮૦૨ છે. (૨૪) આત્માના પ્રદેશોનું કંપન તે જીવયોગ છે. મન યોગ, વચનયોગ, અને કાયયોગની પ્રકૃતિનો ઉદય તે જડયોગ છે. (૨૫) દ્રવ્યયોગ અને ભાવયોગ (૨૬) પ્રદેશનું કંપન યુક્ત :જોડેલું, જોડાયેલું. (૨) યોગ્ય, વ્યાજબી(સમાસમાં ‘વાળુ’નો અર્થ) (૩) આત્મ સ્વભાવમાં જોડાણવાળો, યોગી (૪) યોગી (૫) જોડવું (૬) ઉચિત, સહિત, યોગ્ય (૭) આત્મ સ્વભાવમાં જોડાણવાળો, યોગી (૮) જોડેલું, જોડાયેલું, યોગ્ય, વ્યાજબી, સહિતવાળુ. (૯) સહિત (૧૦) ઉચિત (૧૧) યોગી, યોગ્ય (૧૨) જોડેલું, જોડાયેલું, યોગ્ય, વ્યાજ્બી. યુક્ત કર્યો :જોડયો યુક્ત કર્યો છે ઃજોડાયો છે. યુનો :યોગીનો ચુતવિહારી (૧) સ્વયં અવિહાર સ્વભાવી હોવાથી અને (૨) સમિતિ શુદ્ધ (ઈયાંસમિતિ વડે શુદ્ધ એવા) વિહારવાળો હોવાથી યુકતવિહારી (યુકત વિહારવાળો શ્રમણ) સાક્ષાત્ અવિહારી જ છે. યુકાહારવિહાર :(૧)યુકત-યોગ્ય(ઉચિત) આહાર-વિહારવાળો. (૨) યુકતના અર્થાત્યોગીના આહાર-વિહારવાળો, યોગપૂર્વક(આત્મસ્વભાવમાં જોડાણ સહિત) આહાર-વિહારવાળો. યુક્તા હાર :શ્રમણ બે પ્રકારે યુકતહારી સિદ્ધ થાય છે. ( ચુતાત્મા :ચિત્તની સમસ્ત વૃત્તિઓ કબજામાં હોય તેવા આત્માવાળું સંયમી કે નિષ્કામ કર્મયોગી. યુક્તાહાર :ઉચિત આહાર, યોગીનો આહાર યુકતાહાર વિહારી : (૧) યોગ્ય (ઉચિત) આહાર વિહારવાળો (૨) યુકતના અર્થાત્ યોગીના આહારવિહારવાળો, યોગપૂર્વક(આત્મસ્વભાવમાં જોડાણ સહિત) આહાર-વિહારવાળો. યુક્તાહારનું સ્વરૂપ ચુકતાહારના સાત લક્ષણો છે. (૧)દિવસમાં એક વખત આહાર (૨) ઉણોદર (૩) યથાલબ્ધ (જેવો માટે તેવો (૪) ભિક્ષાસરણથી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy