SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂતાર્થ કહી ત્યાં ત્રિકાળી વસ્તુ-પુણય-પાપ રહિત, પરદ્રવ્ય રહિત અને એક સમયની વ્યકત પર્યાયથી પણ રહિત-જે ધ્રુવ વસ્તુ આત્મા છે તેને મુખ્ય કરીને નિશ્ચય કહીને ભૂતાર્થ-સત્યાર્થ કહ્યો અને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કહી. જે ભૂતાર્થ વસ્તુ છે તેના આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ” પર્યાય પરિણમે અને ભૂતાર્થ મોક્ષમાર્ગ કહે છે. જે સત્યાર્થ મોક્ષમાર્ગ પણ પર્યાય છે, માટે વ્યવહાર છે. (૩) સત્ય; સાચો; નિશ્ચય (૪) ત્રિકાળ ટકનાર તે ભૂતાર્થ (૫) છતો ત્રિકાળી પદાર્થ; સત્યાર્થ (૬) સ્વસંવેદ્ય-દિવ્ય જ્ઞાનાનંદ જેનો સ્વભાવ છે. એવા પારમાર્થિક-સત્યાર્થ, સ્વસંવેદ્ય અને દિવ્ય એવાં જે જ્ઞાન અને આનંદ તે ભગવાન આત્માનો સ્વભાવ છે. (૭) નિશ્ચયનયના જ્ઞાનથી વિરુધ્ધ જે અભિપ્રાય છે તે; સત્યાર્થ (૮) ભૂતાર્થ નામ સત્યાર્થનું છે. ભૂત એટલે જે પદાર્થમાં હોય તે અને અર્થ એટલે ભાવ. તેને જે પ્રકાશે, બીજી કલ્પના ન કરે તેને ભૂતાર્થ કહીએ. જેમ કે; સત્યવાદી સત્ય જ કહે, કલ્પના કરીને કહે નહિ. તે જ બતાવીએ છીએ. જો કે જીવ અને પુદ્ગલને અનાદિથી એકક્ષેત્રાવગ્રાહ સંબંધ છે, બન્ને મળેલા જેવા દેખાય છે તો પણ નિશ્ચયનય આત્મ દ્રવ્યને શરીરાદિ પર દ્રવ્યોથી ભિન્ન જ પ્રકાશે છે. તે જ ભિન્નતા મુક્તિ દશામાં પ્રગટ થાય છે. માટે નિશ્ચયનય સત્યાર્થ છે. નિશ્ચયનયને ભૂતાર્થ કહે છે. (૯) ભૂત=ત્રિકાળ રહેનાર+અર્થ= પદાર્થ=ત્રિકાળ પદાર્થ; નિત્ય પૂર્ણ શક્તિ; સ્વભાવની અંતર નિર્મળ દષ્ટિ (ભૂતાર્થનય) (૧૦) ભૂતાર્થ નામ સત્યાર્થનું છે. ભૂત એટલે જે પદાર્થમાં હોય તે અને અર્થ એટલે ભાવ; તેને જે પ્રકાશે, બીજી કલ્પના ન કરે તેને ભૂતાર્થ કહે છે. જેમ કે સત્યવાદી સત્ય જ કહે, કલ્પના કરીને કહે નહિ. તે જ બતાવીએ છીએ. જો કે જીવ અને પુલનો અનાદિથી એકક્ષેત્રાવગ્રાહ સંબંધ છે, બન્ને મળેલા જેવા દેખાય છે. તો પણ નિશ્ચયનય આત્મદ્રયને શરીરાદિ પર દ્રવ્યોથી ભિન્ન જ પ્રકાશે છે. તે જ ભિન્નતા મુક્તિ દશામાં પ્રગટ થાય છે. માટે. નિશ્ચયનય સત્યાર્થ છે. (૧૧) ત્રિકાળ ટકનાર તે ભૂતાર્થ (૧૨) ત્રિકાળ ટકનાર તે ભૂતાર્થ; ભૂત-ત્રિકાળી રહેનાર+અર્થ=પદાર્થ. ૭૩૨ ત્રિકાળી રહેનાર પદાર્થ. (૧૩) ભૂત=ત્રિકાળ રહેનાર; અર્થ= પદાર્થ; ત્રિકાળી ટકનાર પદાર્થ (૧૪) ભૂત એટલે જે પદાર્થમાં હોય તે અને અર્થ એટલે ભાવ. તેને જે પ્રકારો, બીજી કલ્પના ન કરે તેને ભૂતાર્થ કહીએ. ભૂતાર્થ નામ સત્યાર્થીનું છે. (૧૫) ભૂત એટલે જે પદાર્થમાં હોય તે અને અર્થ એટલે ભાવ તેને જે પ્રકાશે, બીજી કલ્પના ન કરે તેને ભૂતાર્થ કહીએ.જો કે જીવ અને પુલનો અનાદિથી એકક્ષેત્રાવગાહ સંબંધ છે, બન્ને મળેલા જેવા દેખાય છે તો પણ નિશ્ચયનય આત્મદ્રવ્યને શરીરાદિ પર દ્રવ્યોથી ભિન્ન જ પ્રકાશે છે. તે જ ભિન્નતા મુક્તિ દશામાં પ્રગટ થાય છે. માટે નિશ્રશ્ચનય સત્યાર્થ છે. ભૂતાર્થ નામ સત્યાર્થીનું છે. (૧૬) ત્રિકાળ ટકનાર તે ભૂતાર્થ, ભૂત+અર્થ =ભૂત નિત્ય સ્થાયી ટકતો, છતો+અર્થ=પદાર્થ-વસ્તુ. નિત્ય ટકતી વસ્તુ; સત્યાર્થ (૧૭) ભૂત=ત્રિકાળ રહેનાર+અર્થ-પદાર્થ=ત્રિકાળ રહેનાર પદાર્થ; સત્યાર્થ; ત્રિકાળી પદાર્થ (૧૮) સત્યાર્થ (૧૯) ભૂત એટલે જે પદાર્થમાં હોય તે અને અર્થ એટલે ભાવ તેને જે પ્રકાશે, બીજી કલ્પના ન કરે તેને ભૂતાર્થ કહીએ. ભતાર્થ દષ્ટિ નવ તત્ત્વના ભેદ તથા સર્વ વિકારી અવસ્થાના ભેદને ગૌણ કરી નિત્ય એકરૂપ જ્ઞાયક સ્વભાવને લક્ષમાં લેનાર દષ્ટિને શુધ્ધનય અથવા ભૂતાર્થદ્રષ્ટિ કહેવાય છે. ભતાર્થ ધર્મ સ્વાભાવિક ધર્મનું સ્વાભાવિક તત્ત્વનું સત્વ તે ધર્મનું સ્વાશ્રય સ્વભાવની જયોત પરિપૂર્ણ છે. તેમાં વિકારનો એક અંશ પણ નથી, એવો તૃતાર્થ ધર્મ છે. તાર્થ સ્વસંધ:પારમાર્થિક (સત્યાર્થી; સ્વસંવેદ્ય અને દિવ્ય એવાં જે જ્ઞાન અને આનંદ તે ભગવાન આત્માનો સ્વભાવ છે. ભૂતાર્થદર્શી શુધ્ધ દષ્ટિથી જોનારા; સમ્યગ્દષ્ટિ ભૂતાર્થદર્શ શુદ્ધનયને દેખનારાઓ (૨) શુધ્ધ જ્ઞાનને જોનારાઓ. “તાર્થનય :સ્વભાવની અંતરનિર્મળ દષ્ટિ (૨) પરમાર્થ નય; પરમાર્થ દ્રષ્ટિ; સત્યાર્થ દષ્ટિ; સમ્યકટિ (૩) સ્વભાવની અંતર નિર્મળ દષ્ટિ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy