SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ તેની રક્ષા કરવી. (૨) બે ઇન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિયાદિરૂપ શરીરને ધારણ કરનાર ત્રસજીવ કહેવાય છે. (૩) બે ઇન્દ્રિય આદિથી પંચેન્જિય સુધીના જીવને ત્રસ કહેવાય છે. ત્રસ જીવના ભેદ બે ઇન્દ્રિયથી શરૂ કરીને અર્થાત્ બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિય જીવો, ત્રસ કહેવાય છે. (૧) એકેન્દ્રિય જીવ સ્થાવર છે અને તેને એક સ્પર્શન-ઇન્દ્રિય જ હોય છે. તેને સ્પર્શન-ઇન્દ્રિય, કાયબળ, આયુ અને શ્વાસોચ્છવાસ, એ ચાર પ્રાણી હોય ગુણપર્યાયવાળું અસ્તિત્વ છે.) (૨) ઊર્ધ્વ, મધ્ય, અધોલીક. (૩) ઊર્ધ્વ, | મધ્ય અને પાતાળ એ ત્રણ લોક. ત્રણ શલ્ય :માયા, નિયાણું અને મિથ્યાત્વ. ત્રણ સમકિત (૧) ઉપશમ સમકિત, (૨) ક્ષાયોપથમિક સમકિત અને (૩). શ્વામિક સમકિત, અથવા (૧) આમપુરૂષના વચનથી પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિરોધપણે આમ પુરૂષની ભકિતરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ, તે સમકિતનો બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ, તે સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે. ત્રણભુવન :ઉર્ધ્વ, મધ્ય અને અધોલોક ત્રસ :બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌ ઇન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોને ત્રસ કહે છે. ૨) પોતે ભપ્તદિનું કારણ દેખી નાસી જતાં, હાલતાં-ચાલતાં એ આદિ શકિતવાળાં, બે ઇન્દ્રિયવાળાં પ્રાણીથી માંડીને, પાંચ ઇન્દ્રિયવાળાં પ્રાણી સુધીના ત્રસ કહેવાય. પાંચ ઉપરાંત કોઇપણ પ્રાણીને ઇન્દ્રિય હોતી નથી. (૩) દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો. ત્રસ જીવ જે બે ઇન્દ્રિયાદિ જીવ છે તેને ત્રસ કહે છે. તેના ચાર ભેદ છે. સ્પર્શના અને રસના ઇન્દ્રિય સહિત ઇયળ, કોડી, શંખ, ગીંગોડા વગેરે દ્વીન્દ્રિય જીવ છે, સ્પર્શ, જીભ અને નાસિકા સંયુકત કીડી, મકોડા, કાન ખજૂરા વગેરે ત્રીન્દ્રિય જીવ છે. સ્પર્શ, જીભ, નાક અને આંખ સહિત ભમરા, પતંગિયા વગેરે ચતુરિન્દ્રિય છે. સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન સહિતના જીવ પંચેન્દ્રિય જીવ છે. તેના બે ભેદ છે. જેને મન હોય તે સંજ્ઞી, જેને મન ન હોય તે અસંગી. તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય સિવાય બધા તિયંગ્ય ગતિના ભેદ છે. સંજ્ઞા પંચેન્દિયના ચાર પ્રકાર છે. દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચ. એમાં દેવ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને કલ્પવાસીના ભેદથી ચાર પ્રકારે છે. મનુષ્ય આર્ય અને સ્વેચ્છના ભેદથી બે પ્રકારે છે. નારકીના જીવ સાત ભૂમિની અપેક્ષાએ સાત પ્રકારના છે. તિર્યચોમાં મચ્છાદિક જલચર, વૃષભાદિક, સ્થળચર અને હંસાદિક નભચર,- એ ત્રણ પ્રકાર છે. આ ભેદ ત્રસના જાણી | (૨) બે ઇન્દ્રિય જીવને સ્પર્શન અને રસના એ બે ઇન્દ્રિયો જ હોય છે, તેનો રસના અને વચનબળ એ બે પ્રાણો વધતાં, કુલ છ પ્રાણો હોય છે. (૩) ત્રણ ઇન્સિયો જીવને સ્પર્શન, રસના અને ધાણ (નાક), એ ત્રણ ઇન્સિયો જ હોય છે. જેને ધાણ-ઇન્સિય વધતાં, કુલ સાત પ્રાણો હોય છે. (૪) ચાર ઇન્સિય જીવને સ્પર્શન, રસના, ધાણ અને ચક્ષ, એ ચાર ઇન્સિયો હોય છે. જેને ચહ્યુ ઇન્સિય વધતાં, કુલ આઠ પ્રાણો હોય છે. (૫) પંચેન્સિય જીવને સ્પર્શન, રસના, ધાણ, ચક્ષુ અને શ્રોત્ર (કાન), એ પાંચ ઇન્સિયો હોય છે, તેને કર્ણ ઇન્સિય વધતાં, કુલ નવ પ્રાણો અસંજ્ઞીને હોય છે. આ પાંચ ઇન્સિયોમાં ઉપર જે ક્રમે કહ્યો, તેનાથી આડી અવળી ઇન્સિયો કોઈ જીવને હોતી નથી, જેમ કે સ્પર્શન અને ચક્ષુ એ બે ઇન્સિયો, કોઇ જીવને હોઇ શકે નહિ, પણ જો બે હોય, તો તે સ્પર્શ અને રસના જ હોય. સંજ્ઞી જીવને મનબળ હોય છે, તેથી તેને કુલ દસ પ્રાણો હોય છે. ત્રસ જીવો બે ઈન્દ્રિયથી અયોગી કેવળી ગુણ સ્થાન સુધીના જીવો ત્રસ જીવો છે. મુક્ત (સિદ્ધ) જીવો ત્રસ કે સ્થાવર નથી. કેમકે ત્રસ અને સ્થાવર એ ભેદો સંસારી જીવોના છે. (૨) બે ઇન્દ્રિયથી અયોગ કેવળી ગુણસ્થાન સુધીના જીવો, ત્રસ છે મુકત (સિદ્ધ) જીવો, ત્રસ કે સ્થાવર નથી. કેમ કે ત્રસ અને સ્થાવર, એ ભેદો સંસારી જીવોના છે. બે ઇન્દ્રિયથી શરૂ કરીને, અર્થાત્ બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિય જીવો ત્રસ કહેવાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy