SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ હીમ ઘન (૨) ઢગલો, મોટું ચોસલું (૩) સોનાની લગડી, પરમ ઐશ્વર્યવાન | આત્મા ટીમર :માછીમાર; પારધી. (૨) માછી, ખારવો હીલ :વાર ન કરું, સમય ન લગાડું હંઢવું શોધવું, ગોતવું ટોળણી :ખાટલો, પલંગ ત્યાગ :આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદામ્પ અધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. (૨) તે તાદાભ્ય અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે, બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે , તો પણ આ જીવે અંતર્લીગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. (૩) આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. (૪) અભાવ; નાશ. (૫) પોતાથી (આત્માથી) ભિન્ન સમસ્ત પર પદાર્થોને એ પર છે એવું જાણીને જ્યારે ત્યાગ કરવામાં આવે છે ત્યારે તે પ્રત્યાખ્યાન અર્થાત્ ત્યાગ કહેવાય છે. આથી એ સિદ્ધ થાય છે કે વસ્તુતઃ જ્ઞાન જ પ્રત્યાખ્યાન અર્થાત્ ત્યાગ છે. ત્યાગ જ્ઞાનમાં જ થાય છે અર્થાત્ પરને પર જાણીને તેનાથી મમત્વભાવ તોડવો તે જ ત્યાગ છે. સમયસાર ગાથા ૩૪ (૬) અભાવ; નાશ. (૭) વનસ્પતિ સંબંધીનો ત્યાગ, એટલે તે સંબંધી રાગનો ત્યાગ, એ પણ મિથ્યા અભિપ્રાયના ત્યાગરૂપ અને સ્વાશ્રયના ગ્રહણરૂપ સમ્યગ્દર્શન વિના, યથાર્થ રીતે વ્યવહાર ત્યાગ, એવા નામને પામતો નથી. ધર્મજીવને ત્રસ અને યથાવર જીવના ભેદ જાણવા જોઇએ. બે ઇન્દ્રિય આદિથી પંચેન્દ્રિય સુધીના જીવને ત્રસ, તથા પૃથ્વીકામિક, જળ કામિક, વાયુ કામિક, અગ્નિકામિક અને વનસ્પતિકામિક જીવને સથાવર કહે છે. (૮) આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્ય અધ્યાસ નિવર્તયો, તેને જિન ત્યાગ કહે છે. (૯) આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવર્તવો તેને | શ્રીજિન ત્યાગ કહે છે. તે તાદાત્મઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે, આ | ૪૦૧ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે. કાર્યકારી છે બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી એમ છે, તો પણ આ જીવે અંતર્યાગને અર્થે, બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઇ પણ ઉપકારી માનવી યોગ્ય છે. અર્થાત્ બાહ્યત્યાગની ખાતર અંતર્યાગ નહિ, પણ અંતર્ભાગની ખાતર બાહ્ય ત્યાગ કર્તવ્ય છે. (૧૦) સમ્યગ્દર્શન પૂર્વકનો જેટલે અંશે વીતરાગભાવ પ્રગટે એટલે અંશે કષાયોનો ત્યાગ થાય છે, તેને ધર્મ કહેવાય છે. સમ્યગ્દર્શનાદિ અસ્તિ રૂપ ધર્મ છે. અને ત્યાં મિથ્યાત્વ અને કષાયનો ત્યાગ, તે નાસ્તિરૂપ ધર્મ છે. પણ સમ્યગ્દર્શન વિનાના ત્યાગથી ધર્મ નથી. જો મંદકષાય હોય, તો પુણ્ય થાય. (૧૧) અભાવ ત્યાગ અને વૈરાગ્યમાં શો ફેર ? ત્યાગ એટલે કોઇ બાહ્યવસ્તુ અથવા અંતરના વિભાવ ભાવને છોડવા, તે અને વૈરાગ્ય એટલે વિરાગ=રાગ નહીં તે. એટલે આસકિત રહિત થવું. વસ્તુ છોડે પણ આસકિત રહે, એમ બને. જો આસકિત એટલે રાગને દૂર કરે, તો જ તે વસ્તુનો ત્યાગ ટકે. તેથી આસકિત છે ત્યાં સુધી ખરો ત્યાગ નથી. ત્યાગ ઉપાદાન શન્યત્વ શક્તિ આત્મામાં ત્યાગઉપાદાન શૂન્યત્ર નામની શક્તિ છે. પરવસ્તુનું ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહિ. પરવસ્તુને ગ્રહે કે છોડે એ આત્મામાં છે જ નહિ. કપડાં, સ્ત્રી, પુત્ર, પરિવાર, ઈત્યાદિ ગ્રહે અને છોડે એવો આત્મામાં ગુણ છે જ નહિ. પરવસ્તુ તો સ્વતંત્ર જગતની ચીજ છે. શરીર, વાણી, પૈસા, બાયડી, છોકરાં ઈત્યાદિ જીવે રહ્યાંય નથી અને છોડ્યાંય નથી. અહીં કહે છે કે સમકિતીને જે અસ્થિરતાનું રાગરૂપ પરિણમન છે તે રાગરૂપે થઈને રહેવાનું મારું સ્વરૂપ નથી એમ જાણી અંદર સ્વરૂપમાં સ્થિર થયો ત્યારે એ સ્વરૂપસ્થિરતાના કાળે રાગની ઉત્પત્તિ જ થઈ નહિ તેને રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કથન કહેવામાં આવે છે. પરમાર્થે રાગના ત્યાગનો કર્તા આત્મા નથી, અર્થાત્ પરભાવના ત્યાગકર્તાપણાનું નામ પણ આત્માને નથી. ત્યાગ ધર્મ સર્વે દ્રવ્યો પ્રત્યે મોહ તજી (સંસાર-દેહ-ભોગ પ્રત્યે) ઉદાસીનતા જે ભાવે છે, તેને ત્યાગ-ધર્મ થાય છે. (૨) જેમ પ્રકાશની ઉત્પત્તિ વિના અંધારુ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy