SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ વિપાક કર્મનો ઉદય. કર્મસંતતિ સ્વભાવનું ન રુચવું; સ્વભાવનું ન ગોઠવું; સ્વભાવનો અણગમો; અખંડ સ્વભાવનું પોષણ ન થવું. કર્મ સંયુક્ત સંસારી આત્મા, નિશ્ચયે નિમિત્તભૂત પગલકર્મોને અનુરૂપ એવા, નૈમિત્તિક આત્મપરિણામો સાથે (અર્થાત્ ભાવક સાથે) સંયુક્ત હોવાથી, કર્મ સંયુક્ત છે. અને વ્યવહાર નિમિત્તભૂત આત્મપરિણામોને, અનુરૂપ એવા નૈમિત્તિક પુલ-કર્મો સાથે (અર્થાત્ દ્રવ્યકર્મો સાથે) સંયુક્ત હોવાથી, કર્મ સંયુક્ત છે. કર્મ સંયુક્ત પરિણામ :દ્રવ્ય કર્મોના સંયોગે થતાં અશુદ્ધ પરિણામ કર્મ સંયુક્તપણે પૂર્વ સૂત્રમાં કહેલા, જીવાત્મા આદિ નવ વિશેષોમાંથી, પ્રથમ આઠ વિશેષો મુક્તાત્માને પણ યથાસંભવ હોય છે, માત્ર એક કર્મયુક્તાપણું હોતું નથી. ૧ નિશ્ચયે, ભાવ પ્રાણના આધારે જીવ છે. ૨ નિશ્ચયે, ચિસ્વરૂપ હોવાથી ચેતયિતા છે. ૩ નિશ્ચયે, અપૃથભૂત એવા ચૈતન્ય પરિણામ સ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત હોવાથી ઉપયોગલક્ષિત છે. ૪ નિશ્ચયે, ભાવકર્મોનાં આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ કરવામાં સ્વયં ઈશ (સમર્થ હોવાથી પ્રભુ છે. નિશ્ચયે, પૌલિત કર્મો જેમનું નિમિત્ત છે, એવા આત્મ પરિણામોનું કર્તુત્વ હોવાથી ,કર્તા છે. ૬ નિશ્ચયે, શુભાશુભ કર્મો, જેમનું નિમિત્ત છે, એવા સુખદુઃખ પરિણામોનું ભોક્તત્વ હોવાથી, ભોક્તા છે. નિશ્ચયે, લોકપ્રમાણ હોવા છતાં, વિશિષ્ટ અવગાહ પરિણામની શક્તિવાળો હોવાથી, નામકર્મથી રચાતા નાનામોટા શરીરમાં રહેતો થકો, વ્યવહારે (સદભૂત વ્યવહારન) દેહ પ્રમાણ છે. ૮ નિશ્ચયે, અરૂપી- સ્વભાવવાળો હોવાથી લીધે, અમૂર્તિ છે. કર્મ સામગ્રી વડે પુણ્યના ફળ વડે. ૨૬૩ કમ-અહમરૂપ :ક્રમરૂપ એટલે, એક પછી એક થતી અવસ્થા જેમ કે ઘડીયાં ક્રોધ થાય, ઘડીમાં માન થાય, વળી પાછો લોભ થાય, મનુષ્યને અને નારકી આદિના ભવ, બધા એકસાથે થતા નથી માટે તે, મરૂપ છે, બાળ યુવાન અને વૃદ્ધ તે ત્રણ અવસ્થા ક્રમપૂર્વક વર્તે છે, ને અંદર થતા તીવ્ર-મંદ રાગદ્વેષ, તે પણ ક્રમપૂર્વક વર્તે છે. અને જોગ, કષાય વેશ્યા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વગેરે તે બધા ભેદ, આત્મામાં એક સાથે અક્રમરૂપ પ્રવર્તે છે. કર્મકાર કર્મ, બારણાં; કર્મ કર્મષ્ણાટ:કર્મરૂપી બારણાં; કર્મરૂપી કમાડ. કર્મકલંક (ર્મ મલિનતા) તે દ્રવ્ય કર્મને, ભાવકર્મરૂપ છે. કર્ષકલેશ :કર્મને લીધે ઉત્પન્ન થતી, માનસિક પીડા, સંતાપ; કર્મયનું કારણ સંસારી જીવ (દ્રવ્ય અપેક્ષાએ), જ્ઞાન દર્શનમાં અવસ્થિત હોવાને લીધે, સ્વભાવમાં નિયત (નિશ્ચળપણે રહેલો) હોવા છતાં, જ્યારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરીને, પરિણતિ કરવાને લીધે ઉપરોક્ત ઉપયોગવાળો (અશુદ્ધ ઉપયોગવાળો) હોય છે, ત્યારે પોતે) ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) ગ્રહ્યું હોવાને, લીધે તેને જે અનિયતગુણ પર્યાયપણું હોય છે, તે પરસમય, અર્થાત્ પરચારિત્ર છે; તે જ (જીવ), જ્યારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરતી, પરિણતિ કરવી છોડીને, અત્યંત શુદ્ધ ઉપયોગવાળો હોય છે. ત્યારે (પોતે) ભાવનું એકરૂપપણું ગ્રહ્યું હોવાને લીધે તેને જે નિયતગુણપર્યાયપણું હોય છે, તે સ્વસમય અર્થાત્ સ્વચારિત્ર છે. હવે ખરેખર જો કોઈ પણ પ્રકારે, સમ્યજ્ઞાનજયોતિ પ્રગટ કરીને, જીવ પરસમયને છોડીને, સ્વસમયને ગ્રહણ કરે છે તો કર્મબંધી અવશ્ય છૂટે છે; જેથી ખરેખર (એમ નક્કી થાય છે કે, જીવસ્વભાવમાં નિયત ચારિત્ર, તે મોક્ષમાર્ગ છે. કર્મગ્રંથ પ્રતિપાદિત ગોમટ્ટસારાદિ કર્મ પદ્ધતિમાં ગ્રંથોમાં, પ્રરૂપવામાં નિરૂપવામાં આવેલા (જીવસ્થાન, ગુણસ્થાન-માર્ગણાસ્થાન ઈત્યાદિ). કર્મચેતન જ્યારે રાગાદિ કાર્યરૂપે પરિણામે, ત્યારે કર્મચેતના કહે છે. (૨) પુણ્ય પાપના ભાવનું કરવું તે કર્મ ચેતના (૩) વિકારી ભાવમાં એકાગ્ર થઇને ચેતવું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy