SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. અધિક મૂલ્યવાળી વસ્તુમાં ઓછી મૂલ્યવાળી વસ્તુ મેળવવી, માપવા, તોળવાનાં વાસણ, ત્રાજવાં વગેરે ઓછાવત્તાં રાખવાં એ પાંચમો અતિસાર છે. આ પાંચ અચૌર્ય અનુવ્રતના અતિચાર છે. અથૌર્ય-આણવતના પાંચ અતિચાર : (૧) સ્તન પ્રયોગ=ચોરી માટે, ચોરને પ્રેરણા કરવી કે તેનો ઉપાય બતાવવો. (૨) ચોરે ચોરેલી વસ્તુને ખરીદવી. (૩) રાજ્યની આજ્ઞા વિરુદ્ધ ચાલવું. (૪) દવા લેવાનાં માપ, ઓછાં વધારે રાખવાં અને (૫) કિંમતી વસ્તુમાં હલકી (ઓછી કિંમતની) વસ્તુ મેળવીને, અસલી ભાવે વેચવી. આ પાંચ અચૌર્ય-અણુવ્રતના પાંચ અતિચારો છે. અછતી:અછતું; છાનુ; ગુપ્ત. અછાં કાળદોષ; અપવાદરૂપ. અછિન્ન અતૂટક અછિન્ન-સંતાનપણે અતૂટ ધારાઓ. અજ બકરો (૨) જેનો જન્મ નથી તેવું; અજન્મા; પરમાત્મા, પરમેશ્વર; બ્રહ્મા; કામદેવ; બકરો; ઘેટો. અજકુલ :ઘેટાંનું ટોળું. અજગત :અલોક. અગમ :સ્થિર. અશ :અજાણ; બિનવાકેફ. (૨) મૂર્ખ. અશ અધિકારીપણું અયોગ્યતા. અશા વિચય વીતરાગ આજ્ઞા વિચાર, સાધક દશાનો વિચાર, હું વર્તમાનમાં કેટલી ભૂમિકામાં છું એ સંબંધી વિચાર કરવો તે આજ્ઞાવિચય છે. અશેય :જાણી ન શકાય તેવું; અકળ; ગૂઢ. અશાનભાવ પોતે સ્વ અને પરને સંપૂર્ણપણે જાણે એવા સર્વજ્ઞ સ્વભાવથી-એક જ્ઞાના-દષ્ટા સ્વભાવથી ત્રિકાળ ભરેલો ભગવાન છે; પરંતુ આવા નિજ સ્વભાવના ભાવ વિના અનંત કાળથી એ દયા, દાન, તાદિના રાગને પોતાની ચીજ માને , એ લાભદાયી છે એમ માને છે, એ પોતાનું કર્તવ્ય છે એમ માને એ અજ્ઞાન ભાવ છે. ઘાતા-દષ્ટા સ્વભાવનો અનાદર કરીને રાગાદિભાવ તે હું છું, હું તેનો કર્તા છું એમ માનવું તે અજ્ઞાનભાવ છે, અને તે વડે તેને બંધ થાય છે. અશાતભાવ:જાયા વિના અસાવધાનતાથી પ્રવર્તવું તે અજ્ઞાતભાવ છે. આશાધીનપણું :આજ્ઞાંકિતપણું; સ્વછંદનો રોધ. અશાન મિથ્યાદર્શન; નિર્મળાનંદનો નાથ, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો દરિયો છે. તેને દૃષ્ટિમાં ન લેતાં, હું એક કર્તા છું અને અંદર જે પુણ્ય-પાપના ક્રોધાદિ વિકાર થાય તે મારું એકનું એક સ્વભાવી આત્માનું) કર્તવ્ય છે. એવી જે માન્યતા છે, તે અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. (૨) વિપરીત જ્ઞાન. (૩) અભાન (૪) પ્રકૃતિના કોઈપણ કાર્યને પોતાનું માની લેવું તેનું નામ અજ્ઞાન છે. (૫) મિથ્યાજ્ઞાન પર્યાય. (૬) તે જ્ઞાનાવરણીય કર્મની પર્યાય છે. (૭) અજ્ઞાન શબ્દનો સાધારણ ભાષામાં જ્ઞાન રહિત અર્થ થાય છે. જેમ જડ જ્ઞાનથી રહિત છે તેમ; પણ નિર્ગથ પરિભાષામાં તો મિથ્યાત્વસહિતના જ્ઞાનનું નામ અજ્ઞાન છે, એટલે તે દષ્ટિથી અજ્ઞાનને અરૂપી કહ્યું છે. (૮) અંગૃહીત મિથ્યાધ્વનિ હોય ત્યાં જે કઈ જ્ઞાન હોય તેને અંગૃહીત મિથ્યાજ્ઞાન કહે છે. તે મહાન દુઃખદાતા છે. તે ઉપદેશાદિ બાધ નિમિત્તોના આલંબન વડે નવું ગ્રહ્યું નથી પણ અનાદિનું છે, તેથી તેને અગૃહીત (સ્વાભાવિક-નિસર્ગ જ) મિથ્યાજ્ઞાન કહે છે. (૯)વિપરીત જ્ઞાનમાં, પાંચ ઈન્દ્રિયના વિષય-રૂપ રસ, ગંધ, સ્પર્શ, શબ્દમાં અને મદ એટલે અહંકારમાં મનુષ્યભાવ ગુમાવી દે છે. (૧૦) પર સાથે એકપણાની બુદ્ધિ છે તે અજ્ઞાન. (૧૧) પોતાના નિર્મળ વાસ્તવિક સ્વભાવનું અભાન. (૧૨) પોતાના નિર્મળ સ્વભાવનું અભાન. (૧૩) મિથ્યાત્વસહિત મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય તો તે અજ્ઞાન. (૧૪) અંધકાર સમાન અજ્ઞાન છે. જ્ઞાન પ્રકાશ થતાં તન્નણ જ અજ્ઞાન નાશ પામે છે. (૧૫) પોતાના નિર્મળ સ્વભાવનું અભાન. તે અજ્ઞાન વડે પરમાં સુખીની કલ્પના કરી છે. જેમાં સુખ નથી તેમાં કલ્પના કરી, મંદ આકુળતાને સુખ માની લે છે. (૧૬) જ્ઞાનનો સ્વભાવ શેયને
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy