SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ચારિત્રાચાર = સમસ્ત શુભાશુભ સંકલ્પ-વિકલ્પોનો ત્યાગ કરીને નિત્ય આનંદમય, નિજ રસનો આસ્વાદ, અનિશ્ચલ અનુભવ તે સમ્મચારિત્ર છે, તેનું જે આચરણ એટલે તે રૂપે પરિણમવું તે ચારિત્રાચાર છે. (૩) તપાચાર = પરવસ્તુની અભિલાષાનો ત્યાગ કરી આનંદમય શુદ્ધ સહજાત્મસ્વરૂપમાં તપવું તે તપ છે અને તેમાં તપમાં પરિણમવું તે તપાચાર છે. (૪)વીર્યાચાર = પોતાની શક્તિને છુપાવ્યા સિવાય શુદ્ધ સહજાત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરવી તે વીર્યાચાર છે. આ પ્રમાણે નિશ્ચય પંચાચાર કહ્યા. વ્યવહાર પંચાચારનું લક્ષણ આ પ્રમાણે આંથ :બાધા; હરકત; મુશ્કેલી. આજ્ઞા :આચ્છાદિત; આથરણ :આ = અનાદિ અનંત એકાકાર જ્ઞાન-આનંદ સ્વરૂપ છે તેની મર્યાદામાં, ચરણ = ચરવું, જામવું, ટકવું એવો આચરણનો અર્થ થાય છે. (૨) વર્તણૂક. આચરણ કરવું એકાગ્ર થવું; રમણીકતા કરવી; અનુચરણ કરવું; એકરાર થવું; રમવું; ચરવું; જામી જવું; આનંદનું વદન કરવું; નિજાનંદમાં રમવું; કરવું; સ્થિરતા કરવી. (૨) આત્મામાં એકાગ્ર થવું. આત્માની સ્વભાવમાં શ્રદ્ધા કરી તેમાં કરવું. આચર્યું છે :અમલમાં મૂકયું છે. અળિ :જ્ઞાનરૂપી મળતું નથી; શેયરૂપ થતું નથી. આચાર દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યના ભેદરૂપ પાંચ પ્રકારના આચાર છે તેના અધિગમને (શ્રદ્ધા) સમ્યજ્ઞાન અને તારૂપ પ્રવૃત્તિને સમ્યગ્વારિત્ર કહેવામાં આવે છે. (૨) આચારના પાંચ ભેદ છે :- (૯) દર્શનાચાર, (૯) સમ્યજ્ઞાનાચાર, (૧) ચરિત્રાચાર, (૨) તપાચાર, (૩) વીર્યાચાર. (૧) દર્શનાચાર = અનુપચરિત અસદૂભૂત વ્યવહારનયથી આત્મા અને દ્રવ્યકર્મ, નોકર્મનો સંબંધ છે. તથા અશુદ્ધ નિશ્ચયનયથી મતિજ્ઞાનાદિ વિભાવ ગુણ, પર્યાય અને નર નારકાદિ વિભાવ દ્રવ્યપર્યાયનો પણ આત્માની સાથે સંબંધ છે તો પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ-આત્મામાં ઉપર કહેલો કોઈ પ્રકારનો સંબંધ નથી, એવું જે ચિદાનંદ ચિદ્રપ એક અખંડ સ્વભાવવાળું શુદ્ધ સહાત્મતત્ત્વ છે, તે જ સર્વ પ્રકારે સત્ય છે. તે જ પરમાર્થરૂપ સમયસાર કહેવાય છે. તે શુદ્ધાત્મતત્ત્વ જ સર્વ પ્રકારે ઉપાદેયભૂત છે અને તે સિવાય સકલ પદાર્થો હય, તજવાયોગ્ય છે, એવી ચલ, મલિન અને અવગાઢ આદિ દોષોથી રહિત દઢ પ્રતીતિ થવી-શ્રદ્ધા થવી તે સમ્યકત્વ કહેવાય છે. તેનું જે આચરણ અર્થાત્ તે સમ્યગ્દર્શનરૂપે પરિણમન તે દર્શનાચાર છે. (૨) સમ્યજ્ઞાનાચાર :- ઉપરોક્ત શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં જ સંશય, વિપર્યય અને અન્યવસાય રહિત જે સ્વસંવેદનરૂપ ગ્રાહક બુદ્ધિ થવી તે સમ્યજ્ઞાન છે, તેમાં આત્મપરિણતિ થવી તે સમ્યજ્ઞાનાચાર છે. (૧) | (૧) નિઃશક્તિ આદિ આઠ ગુણોવાળો બાહ્ય દર્શનાચાર છે. (૨) જ્ઞાનાચાર = કાલ, વિનયઆદિ આઠ ભેદવાળો બાહ્ય જ્ઞાનાચાર છે. (૩) ચારિત્રાચાર = પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ થતા નિગ્રંથરૂપ બાહ્ય ચારિત્રાચાર છે. (૪) તપાચાર = અનશનાદિ બાર ભેદવાળો બાહ્ય તપાચાર છે. (૫) વીર્યાચાર = તથા સંયમમાં પોતાની શક્તિને ન ગોપાવવારૂપ બાહ્ય વીર્યાચાર છે. જેઓ ઉપરોક્ત પંચાચારમાં પોતે પ્રવર્તે છે તથા મોક્ષ અભિલાષી શિષ્યોને પ્રવર્તાવે છે તે આચાર્ય કહેવાય છે. આશારો :મુનિઓ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારરૂપી પાંચ આચારો સહિત હોય છે. આચાર્ય : જે સંયમ પાળે, પળાવે. (૨) વ્યવહાર અને નિશ્ચયના જાણનાર આચાર્યો આ લોકમાં ધર્મતીર્થ પ્રવર્તાવે છે. કેવા છે આચાર્ય ? મુખ્ય અને ઉપચાર કથન વડે શિષ્યના અપાર અજ્ઞાનભાવનો જેમણે નાશ કર્યો છે એવા છે. ઉપદેશદાતા આચાર્યમાં અનેક ગુણો જોઈએ. પણ વ્યવહાર અને નિશ્ચયનયનું જાણપણું મુખ્ય જોઈએ. શા માટે ? જીવોને અનાદિનો અજ્ઞાનભાવ છે તે મુખ્ય (નિશ્ચય) કથન અને ઉપચાર (વ્યવહાર) કથનના જાણપણાથી દૂર થાય છે, ત્યાં મુખ્ય કથન તો નિશ્ચયનયને આધીન છે, તે જ બતાવીએ છીએ. સ્વાશ્રિત તે નિશ્ચય. જે પોતાના જ આશ્રયે હોય તેને
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy