SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1085
Loading...
Download File
Download File
Page Text
________________ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તે પર્યાયમાં પોતાના અપરાધથી થાય છે, પર દ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. તેના નિરોધ વડે ચૈતન્ય સ્વરૂપને અનુભવતો હું પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું ક્રોધાદિક વિકાર ઉત્પન કેમ થાય છે ? તો કહે છે કે સ્વરૂપનું જ્ઞાન નથી માટે પોતાના અજ્ઞાન વડે આસો ઉત્પન્ન થાય છે. પરંતુ કહે છે કે હવે પર દ્રવ્યનું લક્ષ છોડી સ્વરૂપ ભણી ઢળતાં નિજ ચૈતન્યસ્વરૂપને અનુભવતો હું જે આ ક્રોધાદિક ભાવો તે સર્વનેક્ષેય કરું છું. જ્ઞાનદર્શન સ્વરૂપ પરિપુર્ણ એક શુધ્ધ વંતુ જે આત્મા તેનો અનુભવ કરતાં આસવોથી હું નિવર્તુ પહેલાં પરમાર્થરૂપ વસ્તુ સ્વરૂપ કહ્યું કે હું એક છું, શુધ્ધ છું, રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો નિર્મમ છું જ્ઞાનદર્શન-પૂર્ણ છું, પરમાર્થ વસ્તુવિશેષ છે, હવુ પર્યાયની વાત કરી કે પર્યાયમાં રાગ થયો કેમ ? તો કહે છે કે પર દ્રવ્યના નિમિત્તથી ચેતનમાં વિશેષરૂપ ચંચળ કલ્લોલો-વિકલ્પો થતા હતા. તે સર્વના નિરોધ વડે ચૈતન્ય સ્વરૂપને અનુભવતો તે આસવોનો ક્ષય કરું છું. આસવોનો નિરોધ સંવર છે. પુણ્ય-પાપના વિકલ્પો તે આસવો છે. પર્યાયમાં ઉત્પન્ન થતા પુય-પાપના જે ચંચળ કલ્લોલો તેનો નિર્મળ શુધ્ધ ચૈતન્ય સ્વરૂપના આશ્રયે નિરોધ કરતાં આસવોની નિવૃત્તિ-ક્ષય થાય છે. જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ શુધ્ધ ચૈતન્ય ભગવાન છે. તેનો અનુભવ કરતાં ચેતનમાં થતા ચંચળ કલ્લોલોનો નિરોધ થાય છે, અને આસ્રવોથી નિવૃત્તિ થા છે.. મિથ્યાત્વને છોડવાની આ રીત છે. હું તો ચૈતન્યસ્વરૂપ છું એવો સૂક્ષ્મમાં વિકલ્પ જે ઊઠે એ હું નહિ કેમ કે એ વિકલ્પ તો અજીવ છે, અચેતન છે, અણ-ઉપયોગરૂપ છે, પુલ છે, આ ભેદજ્ઞાન ૧૦૮૫ ચિન્માત્ર હોવાથી દર્શન-જ્ઞાનમય છું અહીં ચૈતન્ય સામાન્ય તે દર્શન છે અને ચૈતન્ય વિશેષ તે જ્ઞાન છે. ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા સામાન્યવિશેષ ઉપયોગાત્મકપણો ઓળંગતો નહિ હોવાથી હું જ્ઞાનદર્શનમય છું ત્રિકાળી વસ્તુપણે આવો છું. નિર્મમ શું પુદગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂ૫૫ણું) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતા રહિત છું. અહાહા ! કેવી સરસ વાત કરી છે ! પુણ્ય અને પાપના અનેક પ્રકારે જે વિકારી ભાવ થાય છે તેનો પુદ્ગલ સ્વામી છે, હું તેનો સ્વામી નથી. એ વિકારી ભાવનો સ્વામી હું નહિ એ વાત તો ઠીક, પણ તેના સ્વામીપણે હું સદાય પરણમતો નથી એમ કહે છે. પુય-પાપના જે અનેક પ્રકારના વિકારી ભાવ છે. તેમના સ્વામીપણે હું સદાય પરિણમતો નથી માટે નિર્મમ છું #ાયિક સમક્તિ થયા પછી પણ રાગ તો યથા સંભવ આવે, મુનિપણાની ભૂમિકામાં પણ વ્યવહાર રત્નત્રયનો રાગ તો આવે; પણ તે રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો હોવાથી હું-આત્મા નિર્મમ છું એમ ધર્મી માને છે. તેને આ વિધિથી આસવોની નિવૃત્તિ થાય છે. ૪૭ શક્તિઓમાં એક સ્વભાવમાત્ર સ્વસ્વામિત્વમથી સંબંધશક્તિ છેલ્લી કહેલી છે. દ્રવ્ય-ગુણ અને પર્યાય જે શુધ્ધ છે તે મારું સ્વ અને હું તેનો સ્વામી એવી આત્મામાં સ્વસ્વામિત્વ સંબંધશક્તિ છે. તે શક્તિનું નિર્મળ પણિમન થવું તે ધર્મ છે. જડનો સ્વામી તો હું નહિ પણ જે રાગય થાય છે તેનો સ્વામી પણ હું નહિ, એ રાગનો સ્વામી પણ પુદ્ગલ છે. અહીં હું એક છું; શુધ્ધ છું એમ પહેલાં અસ્તિથી કહ્યું અને રાગનું સ્વામીપણું મને નથી એમ નિર્મમ છું કહીને નાસ્તિપણું બતાવ્યું અહીં કહ્યું કે ક્રોધાદિ વિકારનો સ્વામી પુદ્ગલ છે માટે પુદગલને લઇને વિકાર થાય છે એમ કોઇ માને તો તે યર્થાથ નથી. પુદ્ગલને લઇને વિકાર થયો છે એમ નથી. એ તો પર દ્રવ્ય છે. પણ વિકાર થયો છે નિમિન્ના લક્ષે એ ઈ છે હું દર્શન–ાનમય શું ચિન્માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શનજ્ઞાનમય છું અહાહા ! ચિન્માત્ર કહેતાં હું ચૈતન્ય સ્વભાવમાત્ર છું, દયા, દાન તાદિ વિકલ્પ તે હું નહિ, અલ્પજ્ઞતા તે પણ હું નહિ અને હું જ્ઞાન દર્શનવાળો એમ (ભેદ) પણ હું નહિ, હું તો માત્ર
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy