SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1007
Loading...
Download File
Download File
Page Text
________________ સૂક્ષ્મ-સ્કૂલ-જે શબ્દ ગંધાદિ આંખથી ન દેખાય પણ અન્ય ઈન્દ્રિયથી જણાય તેને સૂક્ષ્મ-સ્થૂલ કહીએ. સૂક્ષ્મ-જે ઘણા પરમાણુઓનો સ્કંધ છે પણ ઈન્દ્રિયગમ્ય નથી તેને સૂક્ષ્મ કહીએ. સૂક્ષ્મ અતિ સૂમ સ્કંધ અથવા પરમાણુને સૂક્ષ્મ-સૂક્ષ્મ કહીએ. આ રીતે આ લોકમાં ઘણો ફેલાવો પુદ્ગલ દ્રવ્યનો (૧૦) બે કે બેથી અધિક પરમાણુઓના બંધને ઔધ કહે છે. (૧૧) અનેક પરમાણુઓના બંધને સ્કંધ કહે છે. (૧૨) દ્વિઅણુનો બનેલો સ્કંધ. (૧૩) સ્કંધનું જે કારણ થાય તેને કારણ પરમાણુ કહ્યો. - સ્કંધમાંથી છૂટા પડતાં પડતાં જે અંતિમ ભાગ રહે તને કાર્ય પરમાણુ કહ્યો. સ્કંધમાં જોડાવાનું કામ કરે તેને ઉત્કૃષ્ટ પરમાણુ કહ્યો . અર્થાત્ સ્કંધ થવાને લાયક ચીકાશાદિ જેને છે તે ઉત્કૃષ્ટ પરમાણુ છે. જે સ્કંધ થવાને લાયક નથી તેને જધન્ય પરમાણુ કહ્યો. અહા ! આ વાત શ્વેતાંબરમાંય કયાંય છે નહિ. પુલની આ પ્રકારની વાત બીજે કયાંય છે જ નહિ. આમાં તો સનાતન આખી વાત જ જુદી છે.. (૧) એક પરમાણુનો એવો સ્વભાવ છે કે તે અંધનું કારણ થાય છે. તેથી તે કારણ પરમાણું છે. જો તે જ પરણુમાં એક ગુણ ચીકાશાદિ હોય તો તે બંધ થવાને અયોગ્ય છે તેથી તેને જઘન્ય પરમાણુ કહે છે. એ જ પરમાણુમાં જો બે,ત્રણ, ચાર, પાંચ વગેરે ગુણ ચીકાશાદિ હોય તો તેને, તે બંધને યોગ્ય ૧૦૦૭ હોવાથી ઉત્કૃષ્ટ પરમાણુ કહે છે. એ જ પરમાણુંને હોં. જુઓ આ વસ્તુનો જડનો સ્વતઃ સ્વભાવ ! જો કે એને (પરમાણુને) તો કંઈ જ ખબર નથી, પણ બધી ખબર જ્ઞાન સ્વરૂપી આત્માને છે કે પરમાણુને આમ થાય છે. અને સ્કંધના છેલ્લા (અવિભાગી) ટૂકડાને, અહા! સ્કંધના ટૂકડા કરતાં કરતાં જે છેલ્લો અવિભાગી અંશ-ભાગ રહી જાય તેનું કાર્ય પરમાણુ કહે છે. આમ ચાર પ્રકાર થયા. અંધજન્ય :સ્કંધો વડે ઉત્પન્ન થાય એવો, જેની ઉત્પત્તિમાં સ્કંધો નિમિત્ત હોય છે. એવો. (આખા લોકમાં સર્વત્ર વ્યાપેલી અનંત પરમાણુમયી શબ્દયોગ્ય વર્ગણાઓ સ્વયમેવ શબ્દરૂપે પરિણમતી હોવા છતાં પવન-ગળું-તાળવુંજીભ-હોઠ-ઘંટ-મોગરી વગેરે મહાત્કંધોનું અથડાવું તે બહિરંગકારણ સામગ્રી છે અર્થાત્ શબ્દરૂપ પરિણમનમાં તે મહાત્કંધો નિમિત્તભૂત છે તેથી તે અપેક્ષાએ (નિમિત્ત અપેક્ષાએ) શબ્દને વ્યવહારથી સ્કંધજન્ય કહેવામાં આવે છે) સ્કંધાદેશ :સ્કંધના અર્ધાના અંધશ કહે છે. સ્કંધના ભેદ :આહારવણા, તેજસવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા, કાર્માણવર્ગણા વગેરે બાવીસ ભેદ છે. સ્કંધપ્રદેશ :સ્કંધના ચોથા ભાગને સ્કંધપ્રદેશ કહે છે. ધાન્ય પુદ્ગલના કોઈપણ સ્કંધપર્યાયનો ભેદ (ખંડ) થતાં થતાં જે અંતિમ ભેદ બાકી રહે છે તેને સ્કંધાન્ય કહે છે. તેનો પછી કોઈ ભેદ ન થઈ શકવાથી તેને અવિભાગી કહે છે. જે નિર્વિભાગી હોય છે તે એક પ્રદેશ છે અને એક પ્રદેશી હોવાથી એક કહેવામાં આવે છે. સ્કંધોના છ પ્રકારો છે: (૧) બાદર બાદર, (૨) બાદર,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy