________________
નર
ના ઉપહાર–ઉપાધ્યાય પ્રાણશંકર ભવાનીશંકર
એમાં નિરૂપાયું છે.
રાંટો. ઉપહાર : બળવંતરાય ક. ઠાકોરને સંબોધીને લખાયેલું, કાનના કાવ્યસંગ્રહ 'પૂર્વાલાપ'નું 1. પણ સૌનેટ કાન્તની પ્રકૃતિ અને પ્રેમવિષયક રમણીય રાંદધતાની રામુદ્ધિ પ્રગટ કરે છે.
નવલકથા જ્યોતિર્ધર” (૧૯૮૪), વાર્તાસંગ્રહ ‘પાણીદાર મતી’ (૧૯૮૪) અને નાટક ‘મને માફ કરો' (૧૯૮૦) એમનાં પુસ્તકા છે.
પં.૮.
ઉપાધ્યાય ગણપતિશંકર ભાલચંદ્ર, ‘પાપી ગણ’: ભજન પ્રકારની ૧૩૫ રચનાઓને સંગ્રહ ‘પદ્ધ-પુકાર' (૧૯૫૮) ના કર્તા.
ઉપાધ્યાય ગેવિન્દ: રંગ અવધૂત મહારાજ વિષયક પ્રશસ્તિપ્રધાન રચનાઓની પુસ્તિકા “અવધૂત સ્મરણ' (૧૯૪૭) ના કર્તા,
કૌ.. ઉપાધ્યાય વિદરામ જેરામ: ભગવાન સ્વામીનારાયણની સ્તુતિ રૂપ લખાયેલી કૃતિ ‘શ્રીજી મહારાજના લોકો તથા ગરબા” (૧૮૯૬) ના કતાં.
ઉપાધ્યાય ગૌરીશંકર ત્રિભવન : પદ્યકૃતિઓ “નીલા, પ્રમીલા અને ઔરંગઝેબ નાટકનાં ગાયને' (૧૯૬૭), 'દારા અને ઔરંગઝેબ નાટકનાં ગાયને' (૧૯૬૧), મૃગલોચની નાટકનાં ગાયને' (૧૯૧૧), ‘સ્વામી રામાનંદ નાટકનાં ગાયન (બી. આઇ. ૧૯૧૧), ‘વીર કેરારી નાટકનાં ગાયનો' (ત્રી. આ. ૧૯૨૯), તેમ જ નવલકથા ‘અલ્લાઉદ્દીન ખૂનીને રાજરંગ અથવા મંડલગઢની મેહિની'ના કર્તા.
ઉપાધ્યાય અમૃત મનસુખલાલ (૧૦-૩-૧૯૩૫): જન્મસ્થળ
નાનાવાડા (જિ. સાબરકાંદા), મુંબઈ યુનિવરિટીમાંથી ૧૯૬૦માં મુખ્ય વિષય સંસ્કૃત અને ગૌણ રતરે પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષય સાથે બી.એ., ત્યાંથી જ ૧૯૬૭ માં સંસ્કૃતગુજરાતી વિષયો સાથે એમ.એ. ગુજરાત યુનિવર્સિટીમાંથી “હમચન્દ્રાચાર્કકૃત 'કાવ્યાનુશાસનમ્'નું આલોચનાત્મક અધ્યયન” એ વિષયમાં પીએચ.ડી. ૧૯૬૨થી ૧૯૬૭ સુધી મુંબઈની ન્યૂ
' ઈરા હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય. ૧૯૬૮ થી ૧૯૮૦ સુધી ભવન કોલેજ, મુંબઈમાં સંસ્કૃતના વિષયમાં અધ્યાપન. હાલ, ૧૯૮૩ થી મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમીમાં પ્રાધ્યાપક.
‘પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ' (૧૯૭૬), ‘ઉપનયન સંસ્કાર” (૧૯૮૬) સંક્ષિપ્ત અધ્યયન “વાયુપુરાણ' (૧૯૮૧), ‘ગુજરાતી સાહિત્યને ઇતિહાસ’ (ચતુરભાઈ પટેલ સાથે, ૧૯૮૭) તેમ જ મહાનિબંધ નિમિત્તે થયેલ સંશાધન-કાર્ય ‘ધ કાવ્યાનુશાસન ઓફ :ચાર્ય હેમચન્દ્રાચાર્ય' (અંગ્રેજીમાં, ૧૯૮૭) એમના અભ્યાસ-ગ્રંથ છે. ‘મહાન શિક્ષિકાઓ' (૧૯૮૬) એમનું અનૂદિત પુસ્તક છે. ઉપરાંત, મહાકવિ કાલિદાસકૃત 'વિક્રમોર્વશીય’ તેમ જ ભાસકૃત ‘સ્વપ્નવાસવદત્તા નાટકોના ગુજરાતી અનુવાદ એમણે આપ્યા છે.
કૌ.બ્ર. ઉપાધ્યાય અમૃતલાલ ભાઈશંકર, ‘અમરીશ’: વૈષ્ણવ સંપ્રદાયને કેન્દ્રમાં રાખી લખાયેલી ભવન પ્રકારની પદ્યરચનાઓની પુસ્તિકા ‘ી અમરીશ ભજનાવલી : ૧' (૧૯૧૬)ના કર્તા.
જ કૌ.બ્ર. ઉપાધ્યાય કાશીરામ મગનલાલ: પદ્માવતીના રવયંવરની કથાન પઘમાં નિરૂપની કૃતિ ‘પદ્માવતી સ્વયંવર નાટક' (૧૮૮૫) ના કર્તા.
કૌ.પ્ર. ઉપાધ્યાય કાંતિભાઈ (૬-૧૧-૧૯૧૯): જન્મસ્થળ નાનાવાડા. ૧૯૪ માં બી.એ. વ્યવસાયે પુસ્તકવિજેતા.
સળંગ બાળવાર્તાકૃતિ ‘સુખનાં સ્વપ્ન' (૧૯૫૧), ચરિત્રકૃતિ ‘વીરચંદભાઈ ગાંધીનું જીવનચરિત્ર' (૧૯૬૪) તેમ જ ખલિલ જિબ્રાનની કૃતિઓના અનુવાદો “મંદિરતાર' (૧૯૪૯) અને “વષ્ણુ અને ફીણ' (૧૯૬૬) એમના નામે છે.
કી... ઉપાધ્યાય ગણપતભાઈ રાઘવજીભાઈ, 'ધૂની' (૧૬-૧૦-૧૯૩૬): નવલકથાકાર, વાર્તાકાર, નાલેખક. જન્મ અમરેલી જિલ્લાના ઇંગરોળામાં. વિનીત. આયુર્વેદ વિશારદ. પ્રાથમિક શિક્ષક.
ઉપાધ્યાય જ. મ.: ગાંધીજીની શૈક્ષણિક કારકિર્દીને લખનું પુસ્તક “મહાત્મા ગાંધીજીની શૈક્ષણિક સિદ્ધિઓ'ના કર્તા.
કૌ.વ્ય. ઉપાધ્યાય જન્મશંકર વિશ્વનાથ : 'ભારત ગૌરી' (૧૯૮૫) નવલકથાના કર્તા.
ક.. ઉપાધ્યાય ઠાકોરરામ વલ્લભરામ: પદ્યકૃતિ ‘આજ નકુમાર શૂરા અભિમન્યુ નાટકનાં ગાયન' (૧૮૮૯)ના કતાં.
કૌ.. ઉપાધ્યાય નારણજી લક્રમીરામ : પદ્યમાં લખાયેલી ચરિત્રકૃતિ ‘ઝી
શારદામદના કરી. શંકરાચાર્ય મહારાજનું વૃત્તાંત' (૧૮૮૬) ના કતાં.
ક.. ઉપાધ્યાય પ્રતાપરાય ઇરછાશંકર (૨૧-૯-૧૯૨૧) : વાર્તાસંગ્રહ ‘સુવર્ણફૂલ' (૧૯૫૬), નવલકથા “અંતર્યાન' (૧૯૫૭) તેમ જ અન્ય કૃતિ ‘સાક્ષાત્કાર' (૧૯૫૨) ના કતાં.
કી.. ઉપાધ્યાય પ્રાણશંકર ભવાનીશંકર : શ્રીમદ્ભગવદ્ગીતાનાં સારભૂત તત્ત્વોને પદ્યમાં ઉતારવાના પ્રયત્નમાં લખેલી પદ્યરચનાઓની પુસ્તિકા ‘ગીતાભજનો' (૧૯૪૩) ના કર્તા.
ક..
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org