SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ભટ્ટ નલિન - ભટ્ટ ગૃહિપ્રસાદ નારાયણ ૨મા કવિએ મૃત્યુપૂર્વે અનુભવેલ ગ્લાનિ દરમિયાન આવેશવશ કેટલીક કૃતિઓનો નાશ કરે. એમાંથી બચેલી વીસ કૃતિઓને એમના નાનાભાઈએ ‘શાપસંભ્રમ અને બીજી કવિતાઓ' (૧૯૨૫) નામને મરણોત્તર સંગ્રહ પ્રકાશિત કરેલ છે. ૨.ર.દ. ભટ્ટ નલિન (૨-૩-૧૯૧૦): જીવનચરિત્રલેખક, કવિ. જન્મ વલસાડમાં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વલસાડમાં. મુંબઈની વિસન કોલેજમાંથી એમ.એ., બી.ટી. ૧૯૩૫થી ૧૯૫૪ સુધી માધ્યમિક શાળામાં શિક્ષક. ૧૯૫૪ થી ૧૯૬૯ સુધી મુંબઈની ભવન્સ કોલેજમાં સંસ્કૃતનું અધ્યાપન. નિવૃત્તિ દરમિયાન અતુલ (જિ. વલસાડ)માં ‘નિગમાષ્ટમીની સ્થાપના. એમણે નરસિંહચરિત્ર ‘વૈણવજન' (૧૯૫૮), કાવ્યસંગ્રહ ‘પદ્યપરિમલ' (૧૯૫૭), “ગીતાને ત્રિગુણાતીત' (૧૯૫૮), ‘ગીતાને પરમેશ્વર' (૧૯૫૮), “ગીતાને સ્થિતપ્રજ્ઞ' (૧૯૫૮) જેવાં ગીતાભાષ્ય કરતાં એકવીશ પુસ્તકો ઉપરાંત ઉપનિષદ, ભાગવત પરનાં ભવ્યાત્મક પુસ્તકો પણ લખ્યાં છે. ૨.ર.દ. ભટ્ટ નલિન મણિશંકર : કલાપીની અસર ઝીલતાં છંદોબદ્ધ કાવ્યોના સંગ્રહ “નલિની પરાગ' (૧૯૩૨) અને ‘સરોજ સુરભિ' (૧૯૪૯) તથા ‘ઈશોપનિષદ'નું ગુજરાતી ભાષ્ય (૧૯૪૨)ના કર્તા. મૂતિ’ નામની ‘લેકશાળાની સ્થાપના. આને પગલે ગુજરાતમાં અનેક ‘લેકશાળાઓજન્મી અને ગ્રામ-કેળવણીમાં ક્રાંતિ થઈ. ૧૯૫૩માં ગ્રામ ઉચ્ચકેળવણીની સંસ્થા ‘લોકભારતી’ (સસરા)ની રસ્થાપના. ૧૯૪૮ માં નવા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ પ્રધાનમંડળમાં, શિક્ષણમંત્રી. ગાંધીજીના નિમંત્રણથી ૧૯૨૬ના રસમાં સવા વર્ષ માટે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક. ૧૯૫૪-૧૯૫૮ દરમિયાન રાજસભાના નિયુકત સભ્ય. કેળવણીપ્રદાન અંગે ૧૯૬૦માં ‘પદ્મશ્રી’ને ખિતાબ. ‘લેકભારતી', સણોસરામાં અવસાન. આપણા દેશને ઇતિહાસ' (૧૯૨૦)માં ચરિત્રકેન્ટી ઇતિહાસ એક વિશિષ્ટ અભિગમને ઘાતક છે. હઝરત મહમ્મદ પયંગમ્બર સિ' (૧૯૨૦)માં ધામિક એકતાનો સંદેશ છે. ‘ધડતર અને ચણતર' (૧૯૫૪) એમની નિખાલસ અને નિર્ભીક આત્મકથા છે. એમનું મહત્ત્વનું પ્રદાન છે. પ્રાચીન સાહિત્યનું મૌલિક શૈલીમાં પુનનિર્માણ : ‘મહાભારતનાં પાત્રો' (૧૩ પુસ્તિકાઓ : ૧૯૨૯૧૯૩૪) અને ‘રામાયણનાં પાત્રા' (૬ પુસ્તિકાઓ : ૧૯૩૮૧૯૪૪). ઉપર્યુકત મહાકાવ્યોનાં પાત્રોનું અહીં પાત્રકેન્દ્રી અનુસર્જન છે. નાટયાત્મક રજૂઆત, ફલેશબૅકના પ્રયોગ, પાત્રા:કિત જેવી યુકિતઓથી આ રચનાઓ સુવાકય બની છે. તેનું સરળ અને હૃદયસ્પર્શી ગદ્ય સર્ગશકિતની પ્રતીતિ કરાવે છે; તો સચોટ, અર્થગંભીર સંવાદો અને મનોમંથનની અભિવ્યકિત માટે ભાષા પાસેથી સુંદર કામ લેવાયું છે. હિન્દુધર્મની “આખ્યાયિકાઓ' : ૧, ૨ (૧૯૨૪, ૧૯૩૩), ‘ભાગવત કથાઓ' (૧૯૪૫) તથા દટાંતકથાઓ': ૧, ૨ (૧૯૪૭, ૧૯૫૩)માં એમણે આપણા પ્રાચીન સાહિત્યમાંથી પ્રેરક કથાઓ ચૂંટીને રોચક છતાં સરળ શૈલીમાં, આમવર્ગ સમજી શકે એ રીતે નિરૂપીને જીવનના મર્મો ખુલ્લા કર્યા છે. ભકિતગ્રંથ ‘ભાગવત'ને એમણે ‘શ્રીમદ્ લેકભાગવત' (૧૯૪૫)ના રૂપમાં લોકભોગ્ય બનાવ્યો, એટલું જ નહીં, અનેકવાર ગામડાંઓમાં તેની પારાયણ પણ કરી. કેળવણી અને ધર્મચિતન વિશેનું સાહિત્ય એ એમનાં લખાણાના ત્રીજો મહત્ત્વનો વિભાગ છે.ગૃહપતિને' (૧૯૩૪) અને કેળવણી-ની પગદંડી' (૧૯૪૬) એ એમના કેળવણીવિષયક સૈદ્ધાંતિક અને વ્યવહારુ ચિંતન-અનુભવોને બહુ અલ્પભાગ રજૂ કરતાં, આગવા પ્રયોગને નિચોડ આપતાં પુસ્તકો છે. ‘સંસ્થાનું ચરિત્ર', ‘ભારતીય સંસ્કૃતિ શું છે?', 'પથારીમાં પડયાં પડ્યાં' વગેરે એમની ધર્મસંસ્કૃતિ પરની, ચિંતનને વાચા આપતી પુસ્તિકાઓ છે. ભટ્ટ નંદલાલ પુરુષોત્તમ : નવલકથા “સહકારી મગનલાલ અને અસહકારી છગનલાલ' (૧૯૨૩)ના કર્તા. ભટ્ટ નારાયણ કલ્યાણજી (૧૨-૬-૧૯૩૮): નવલકથાકાર. જન્મ ભુજમાં. એમ.એ., બી.ઍડ. શિક્ષક. એમણે ‘પ્રીત પરાગ' (૧૯૬૪), “અંતરની પિછાન' (૧૯૬૫), ‘આગ, અંતર અને આશ' (૧૯૬૬), ‘જીવનવનની પગથાર (૧૯૬૭), ‘ત્રણ પાંખડી' (૧૯૭૦), “મન એક દર્પણ' (૧૯૭૨) વગેરે સામાજિક નવલકથાઓ આપી છે. ભટ્ટ નિર્મળા : પ્રવાસકથા “શમણાં નંદનવનનાં' (૧૯૬૭) તથા બાલવાર્તાસંગ્રહ “નાની વાતો' (અન્ય સાથે)નાં કર્તા. ૨.૨.દ. ભટ્ટ નૃસિંહપ્રસાદ કાલિદાસ, ‘નાનાભાઈ ભટ્ટ (૧૧-૧૧-૧૮૮૨, ૩૧-૧૨-૧૯૬૧) : આત્મચરિત્રકાર, કથાલેખક. જન્મ ભાવનગરમાં. મૂળ વતન પચ્છેગામ(ભાલ). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ભાવનગરની શામળદાસ કોલેજમાંથી ૧૯૦૩ માં વેદાંતઅંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ. પછી એસ.ટી.સી. નોક્રીને પ્રારંભ મહુવાની હાઈસ્કૂલ ના આચાર્યપદથી. ૧૯૦૮માં શામળદાસ કોલેજમાં ઇતિહાસઅર્થશાસ્ત્રના અધ્યાપક. ૧૯૧૦માં ‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન નામની સંસ્થાની સ્થાપના. બલા (સોનગઢ પાસે) ગામે નઈ તાલીમ આધારિત ગ્રામ-કેળવણીના નૂતન પ્રયોગ ગ્રામ દક્ષિણા ભટ્ટ નૃસિંહપ્રસાદ નારાયણ (૧૫-૧-૧૯૧૨) : કવિ. જન્મ સાવરકંડલામાં. ધોરણ પાંચ સુધીનો અભ્યાસ. પછી સંસ્કૃત પાઠશાળામાં તાલીમ. કર્મકાંડી. નૃસિંહકાવ્યમાળા' (૧૯૫૦) ઉપરાંત એમણે ‘શ્રીરામ હનુમાન યુદ્ધ અથવા કોની એકતા?” નામે ત્રિઅંકી નાટક આપ્યું છે. એ.ટો. ૪૧૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy