SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ પંડયા નયનસુખલાલ હરિલાલ – પંડળ નવલરામ લક્ષમીરામ નાટકરૂપે રજૂ કરવું પુસ્તક “વજારોપણે અથવા બાર લી. ધનુષ્યટંકાર' (૧૯૨૯) તથા અંગ્રેજી અને બાંગ ળીમાંથી ૨ નૂદિત ચરિત્રલક્ષી કૃતિઓ ‘શ્રીકૃષ્ણરીત'- ભા. ૧ (૧૯૧૩), 'વામી વિવેકાનંદ'- ભા.૪, ૫ (૧૯૧૭, ૧૯૧૮) અને ‘મહાન નલિયન’ (૧૯૨૪) મળ્યાં છે. એમણે બંગાળના એક રાંનને ભકિતવિષયક પત્રનું બંગાળીમાંથી કરેલું ભાષાંતર ‘પાગલ હરનાથ' (૧૯૧૨) નામે પ્રગટ થયું છે. સંસારદર્પણ' (૧૯૫૪) એમની અનૂદિન -વલકથા છે. ભકિતપ્રેમની ઇકોર ગીતરચનાઓ આપે છે. કવિની આદ્રતાને કવાંક અહીં રોચક રૂપ મળ્યું છે. પૃથ્વીને પશ્ચિમ ચહેર' (૧૯૭૯) કવિએ કરેલી વિદેશયાત્રાની નિષ્પત્તિ છે. એમનાં પ્રવાસકાવ્યો મનુષ્યપ્રીતિ અને પ્રકૃતિપ્રીતિને નિરૂપવા અઘતન રીતિ અખત્યાર કરે છે. એકંદરે કવિની જાણીતી પૃથ્વીપ્રીતિને અહીં વિશેષ પરિમાણ મળ્યું છે. “શિશુલોક' (૧૯૮૪) શિશુકૃતિઓને સંચય છે. એમાં પુરોગામી કાવ્યસંગ્રહોમાંનાં શિશુવિષયક કાવ્યોને પણ સમાવ્યાં છે. અહીં મુખ્યત્વે શિશુઓના આસ્વાદ માટેની નહિ પણ શિશુમેન્ટ્રી રચનાઓ છે. સર્જન અને અધ્યાપન નિમિત્તે થયેલ સાહિત્યવિચારે એમના વિવેચનને આગવું બળ આપે છે. ‘બે અધ્યયન' (૧૯૫૨)માં ‘પ્રાચીના' અને શેષનાં કાવ્યોની આલોચને છે; તે ‘રૂપ અને રસ' (૧૯૬૫) માં સિદ્ધાંતવિવેચન, પ્રવાહદર્શન, આરસ્વાદવિવરાગ અને અવલોકના છે. ઉપસર્ગ' (૧૯૭૩) માં ગદ્યસાહિત્યનું વિવચન અને ઉમાશંકર જોશી વિશેના ત્રણ લેખામાં મળતું મૂલ્યાંકન ધ્યાનપાત્ર છે. મૂલ્યાંકન' (૧૯૭૯)માં એમની સહૃદય સાહિત્યદૃષ્ટિના પરિચાયક એવા સુદી અભ્યાસલેખો છે. સંસ્મરણોના સંચય “સ માતાનો ખાંચે' (૧૯૮૮)માં એમને અતીત નિરૂપાય છે. એ.ટો. iડયા નયનસુખલાલ હરિલાલ : પ્રામાદાર અને રચનાત્મક કાર્યક્રમ વિશેની પ્રચારલક્ષી સંવાદાત્મક પુસ્તિકા ‘ચાર કોલેજિયન’ (૧૯૪૧)ના કર્તા. નિ.વા પંડ્યા નરહરિ સામેશ્વર, રંગેશ' (૧-૮-૧૯૫૮) : કવિ. જન્મસ્થળ વજલપુર. મેટ્રિક સુધીને અભ્યારો. રેલવે કો-ઓપરેટિવ સ્ટોર, દાહોદમાં વ્યવસ્થાપક અને હિસાબનીશ. સ્વાતંત્ર્યગીતો' (૧૯૪૭) અને “ઓ બાપુજી પ્યારા' (૧૯૪૮) એમના કાવ્યગ્રંથ છે. “અશોક' (૧૯૫૭), ‘રામ વગરનાં મોતી' વગેરે એમનું પ્રૌઢાહિત્ય છે. ચં... પડઘા નર્મદાશંકર, સેવાનંદ' : મહાત્મા ગાંધીજીના જીવનપ્રસંગોને વર્ણવતી કાવ્યકૃતિ ‘બાપુ’ (૧૯૬૨) તેમ જ “વૈદિક વિનય'-ખંડ ૧,૨,૩ (૧૯૬૪) ના કર્તા. નિ.વો. પંડયા નર્મદાશંકર કેશવરામ : શૂળપાણ યાત્રા' (૧૮૮૩) તથા ‘રૂપસુંદરી નાટક' (૧૯૮૧) ના કર્તા. નિ.વો. પંડયા નર્મદાશંકર બાલાશંકર (૩૦-૮-૧૮૯૩) : ચરિત્રકાર, નાટયકાર, અનુવાદક. જન્મ રાજપીપળા પાસેના નાંદોદમાં. બી.એ. સુધીનો અભ્યાસ, શિક્ષક. બંગાળી ભાષાના જ્ઞાતા. ઉત્તરવયે સંન્યાસ. એમની પાસેથી બારડોલી સત્યાગ્રહની જદી જુદી ઘટનાઓને પંડ્યા નર્મદાશંકર મૂળશંકર : ‘ભગવતી રનિં (૧૯૧૬)ના કે. | નિવા. પંડ્યા નલિન દેવેન્દ્રપ્રસાદ (૨૧-૮ ૧૯૫૮) : વિવેચક. જન્મસ્થળ સાબરકાંઠા જિલ્લાનું મહિયલ ગામ. એમ.એ. અને ડી..ઈ. સુધીનો અભ્યાસ. એચ.બી. કાપડિયા હાઈસ્કુલ, અમદાવાદમાં શિક્ષક. એમની પાસેથી વિવેચન કૃતિ ધરતીની આરતી - એક પરિચય (૧૯૮૪) અને સંપાદન ‘અદ્યતન કવિતા' (૧૯૮૨) મળમાં છે. નિ.વા. પંડ્યા નવલરામ લક્ષ્મીરામ, ‘વૈદ્ય નિર્દભકર આનંદકર' (૯-૩-૧૮૩૬, ૭-૮-૧૮૮૮): વિવેચક, નાટયકાર, કવિ, નિબંધ કાર, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર. જન્મ વતન સુરતમાં. ૧૮૫૩ માં મૅટ્રિક. ગણિતશાસ્ત્રમાં વ્યુત્પન્ન વિદ્વાન. પ્રતિકૂળ સંજાગોને કારણે કોલેજને અભ્યાસ ન કરી શક્યા. ૧૮૫૪ થી રાતની. અંગ્રેજી હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક અને ૧૮૬૧ થી ડીસાની એંગ્લો વર્નાકયુલર સ્કૂલના મુખ્યશિક્ષક. ૧૮૭૦થી અમદાવાદની ટ્રેનિંગ કોલેજના વાઈસ-પ્રિન્સિપાલ. ૧૮૭૬ થી રાજકોટની ટેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ. 'ગુજરાત શાળા પત્રના તંત્રી. બાળવિવાહનિષેધક મંડળીના મંત્રી. એમણે ‘મહારાજે લાયબલ કેસ' વિશે અઢીસે પૃષ્ઠોની ઇનામી દીર્ધ પદ્યરચના (૧૮૬૩) કરી સાહિત્યક્ષેત્રે પ્રસ્થાન કર્યું. ‘કરણ - ઘેલો' વિશે ‘ગુજરાત મિત્ર'માં વિવેચનલેખ (૧૮૬૭) પ્રગટ કરી ગુજરાતી ગ્રંથાવલોકનના પ્રારંભિક બન્યા. ફ્રેન્ચ નાટકા મોલિયેરના નાટકના અંગ્રેજી ભાષાંતર મેક ડોકટર” ઉપરથી સુચિત હાસ્યનાટક ‘ભટનું ભોપાળું' (૧૮૬૭) લખ્યું, જે આનંદ - લક્ષી છતાં તત્કાલીન સામાજિક કુરિવાજો પરના એમાંના કટાક્ષને કારણે હેતુપ્રધાન પણ બન્યું. ‘રાસમાળામાંથી વસ્તુ લઈને એમાણ રચેલું નાટક ‘વીરમતી' (૧૮૬૯) પ્રથમ બે ગુજરાતી ઐતિહાસિક નાટકોમાંનું એક અને પાશ્ચાત્ય પરંપરા અનુસારનું છે. અકબરશાહ અને બિરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ' (‘ગુજરાત શાળા પત્ર'માં હપ્તાવાર પ્રકાશિત, ૧૮૭૦-૮૦)માં એમાંગ બુદ્ધિતર્કયુકત અને સુરુચિપૂર્ણ હાસ્ય સાથે કાવ્યતત્વની પ્રાથમિક ચર્ચા કરી છે. બાળલગ્નબત્રીશી' (૧૮૭૬)માં સુધારાના હેતુવાળી કરુણગર્ભ હાસ્યની, તે બાળગરબાવળી' (૧૮૭૭)માં નારીજીવનના આદર્શની બોધક રચનાઓ છે. એમનાં પ્રકીર્ણ ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૪૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy