SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ પરીખ ધીરુભાઈ પ્રાણજીવનદાસ –પરીખ નરહરિ દ્વારકાદાસ પરીખ નટવરલાલ ચુનીલાલ : નવલકથા ‘સગુણ સવિતા અથવા દુ:ખી દંપતિ'ના કર્તા. પરીખ નટુભાઈ જેઠાલાલ (૧૪-૧-૧૯૩૧) : નિબંધલેખક. જન્મ ખેડા જિલ્લાના બાંધણીમાં. એમ.એ., એ.એમ. અમદાવાદના. સી. એન. મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક. ‘કલાસંસકાર' (૧૯૭૫), 'કલાવૃત્ત' (૧૯૭૭), 'કલ સર્જન' (૧૯૭૭) એમનાં પુસ્તકો છે. પરીખ નરસિંહલાલ અમૃતલાલ : નવલ કથ: ‘શૂરવીર વીરહિ ય'ને રાજદ્વારી ખટપટ'- ભે'. ૧ (૧૯૬૬)ના કર્તા. અર્થની ગતિ એક સ્તરે થતી અનુભવાય છે. સંગ્રહમાં થોડાંક ગદ્યકાવ્યો પણ છે, જેમાં આધુનિક મનુષ્ય સાચો ચહેરો ખાઈ | નાખ્યો છે એ વાત કરતી રચના “માણસને ઊગતી નથી ડાળીઓ” ઉલ્લેખનીય છે. “અંગ પચીસી' (૧૯૮૨)માં છપ્પાશૈલીનાં પચીસ કટાક્ષકાવ્યું છે. છપ્પની મધ્યકાલીન પરંપરાને સ્વીકાર કરીને કવિએ ‘આચાર્ય અંગ’, ‘અધ્યાપક અંગ, ‘વિદ્યાર્થી અંગ’ વગેરે પર નર્મમર્મપૂર્ણ છપ્પ રચ્યા છે. ‘અગિયા' (૧૯૮૨) એમને હાઈકુસંગ્રહ છે. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી અંતર્ગત એમણે ‘રાજેન્દ્ર શાહ (૧૯૭૭) પુસ્તક લખ્યું છે. 'રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ' (૧૯૭૮) એમને શેધપ્રબંધ છે. “ ત્રત્ય તત્રત્ય' (૧૯૭૮) માં ગુજરાતી કવિઓની સાથે સી. કે. લૂઈ અને ઑડેન જેવા અંગ્રેજી કવિઓ, પાલે જોરદા જેવા ચીલી કવિ, મેતાલે જેવા ઈટાલિયન કવિ તથા યેવતુશેન્કો જેવા રશિયન કવિ વિશેના પિરિચયલેખે છે. નરસિંહ મહેતા' (૧૯૮૧)માં નરસિંહના જીવનકવનનું વિસ્તૃત અવલોકન છે. “ક્ષરાક્ષર' (૧૯૮૨)માં એમણે દયારામ, દલપત રામ, નર્મદથી માંડી પ્રિયકાંત મણિયાર, જગદીશ જોષી, મણિલાલ દેસાઈ સુધીના દિવંગત ગુજરાતી કવિઓનાં જીવનકવનને મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. સમકાલીન કવિઓ' (૧૯૮૩)માં લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, રાજેન્દ્ર શુકલ, રાવજી પટેલ, આદિલ મન્સારી વગેરે આધુનિક કવિઓની કવિતાને મૂલવી છે. ‘તુલનાત્મક સાહિત્ય' (૧૯૮૪)માં સાહિત્ય-અભ્યાસની તુલના, ભૂમિકાને ઇતિહાસ અને પરિચય છે. 'ઉભયાન્વય' (૧૯૮૬)માં વિવેચનલેખે છે. કાળમાં કોય નામ' (૧૯૭૭)માં કાવાબાતા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ચાર્લ્સ ડિકન્સ, દલપતરામ, પૂ. મેટા જેવા મહાનુભાવેનાં પ્રેરક ચરિત્રો આલેખાયાં છે. ‘નિષ્કુળાનંદ પદાવલી' (૧૯૮૧), 'સાત મહાકાવ્યો' (૧૯૮૩), ‘પંચ મહાકાવ્યો' (૧૯૮૪) અને ‘ટી. એસ. ઍલિયટ’ (૧૯૮૯) એમના સંપાદનગ્રંથો છે. પ્ર. . પરીખ ધીરૂભાઈ પ્રાણજીવનદાસ (૭-૧૦-૧૯૧૩) : કવિ. જન્મ કપડવંજમાં. ૧૯૩૧માં મૅટ્રિક. ૧૯૩૫માં ગુજરાત કોલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૭માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૪૦થી રૂઈયા કૉલેજ, મુંબઈમાં અધ્યાપક. ૧૯૭૩માં ત્યાંથી નિવૃત્ત. ૧૯૭૪-૭૫ માં સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ, નડિયાદમાં આચાર્ય. ‘પંચામૃત' (૧૯૮૩) કાવ્યસંગ્રહ ઉપરાંત એમણે ‘લગ્ન : દિલનાં કે દેહનાં' (૧૯૩૩) તથા ‘સેવામૂર્તિ હરિભાઈ' (૧૯૪૯) જેવાં પુસ્તકો આપ્યાં છે. ‘ગીતાદહન’ અને ‘મહાકાલપુરુષ વર્ણન એમનાં સંપાદનો છે. (૨૨૮. પરીખ નગીનદાસ પૂંજાભાઈ: ‘અમદાવાદનું વર્ણન' (૧૮૮૮)ના કતાં. પરીખ નરહરિ દ્વારકાદાસ, ‘એક પિતા' (૭-૧૮૯૧, ૧૫-૭-૧૯૫૩) : ચરિત્રકાર, સંપાદક, અનુવાદક. 14ન્મ મર:વાદમાં. વતન ખેડા જિલ્લાનું કદલાલ. અભ્યાસ અમદાવાદમાં. ૧૯૦૬ માં મૅટ્રિક. ૧૯૧૧ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૧૩ માં એલએલ.બી. ૧૯૧૪માં મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે વકીલાતને પ્રારંભ. ૧૯૧૭માં સત્યાગ્રહ 18મની, રાષ્ટ્રીય શાળા સાથે સંલગ્ન. ૧૯૨૦થી ગૂજરત વિદ્યાપીઠમાં. ૧૯૩૫માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક. ૧૯૩૭માં બેઝિક ઍજ્યુકેશન બોર્ડના પ્રમુખ. ૧૯૪૦માં ગ્રામસેવક વિદ્યાલયની આચાર્ય. ૧૯૪૭માં પક્ષાઘાતનો પહેલે હમલે. પક્ષાઘાત અને હદયરોગથી બારડોલીમાં અવસાન. એમણે ગાંધીચીંધ્યાં માનવતાવાદ અને જીવન પરત્વની સાધક દૃષ્ટિનો નિતાનો પરિચય કરાવ્યો છે. એમના ગ્રંથમાં સહિત્યનું સંદોહન અને સંપાદન કરવાની શકિતને તેમ જ રદી, સરલ અને પારદર્શક ગદ્યશૈલીને આવિષ્કાર જોઈ શકાય છે. એમના મૌલિક ગ્રંથોમાં “મહાદેવભાઈનું પૂર્વચરિત' (૧૯૫૮), સરદાર વલ્લભભાઈ' –ભા. ૧, ૨ (૧૯૫૨, ૧૯૫૨) અને કિશેરલાલ મશરૂવાલા પરનું શ્રેયાર્થીની સાધના' (૧૯૫૩) જેવાં ચરિત્ર:લેખને મુખ્ય છે. માનવ અર્થશાસ્ત્ર' (૧૯૪૫) એમને ત૬ વિષયક અત્યંત યશસ્વી ગ્રંથ છે. આ ઉપરાંત શિક્ષણ, રાષ્ટ્રકારણ અને ગાંધીવિચારના સમન્વયની નીપજરૂપ ‘સામ્યવાદ અને સર્વોદય’ (૧૯૩૪), ‘વર્ધા કેળવણીને પ્રયોગ' (૧૯૩૯), ‘યંત્રની મર્યાદ:” (૧૯૪૦) વગેરે એમનાં સ્વતંત્ર પુસ્તકો છે. નામદાર ગેખલેનાં ભાષણે' (૧૯૧૮), ‘ગાવિંદગમન’ (૧૯૨૩), 'કરંડિયો' (૧૯૨૮), 'નવલગ્રંથાવલિ' (૧૯૩૭), મહાદેવભાઈની ડાયરી'- ભા. ૧-૭ (૧૯૪૮-૫૮), “સરદાર વલ્લભભાઈનાં ભાષણો(૧૯૪૯), દી.બ. અંબાલાલ સકરલાલનાં ભાષણો' (૧૯૪૯), ‘ગાંધીજીનું ગીતશિક્ષણ' (૧૯૧૬) વગેરે એમનાં સંપાદનો છે. ‘ચિત્રાંગદા(૧૯૧૬), “વિદાય અભિશાપ' (૧૯૨૦), પ્રાચીન સાહિત્ય' (૧૯૨૨) જેવી રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓના એમણે મહાદેવભાઈ દેસાઈ સાથે અનુવાદ કર્યા છે; તે, ‘જાતે મજૂરી ૩૩૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy