SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ નરોત્તમદાર દ્વારકાદાસ નજરોજજી ફરદુનજી નરોત્તમદાસ દ્રારકાદાસ : નાટક ‘સંસારલીલા'(૧૮૯૩)ના કતાં. અનુભવ એમ વિવિધ સાધનાથી થયેલા શખસંગ્રહ, ચકાસણીપૂર્વક શબ્દસંગ્રહ અને અર્થનિર્ણય કરી શાસ્ત્રશુદ્ધ કરી આપવાની નેમ, તર્ભવ-તળપદા શબ્દો તરફનું વિશેષ લક્ષ, જોડાયેલા અને નાસિક વ્યંજનો માટે અનુસ્વારને સ્થાને બંનવર્ણના વિનિયોગ, ‘હ-યુનિને બિદીથી નિદેશ વગેરે આ શબ્દકોશની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. નર્મકથાકાશ (૧૮૭૦): રામાયણ, મહાભારત અને ભાગવતમાંના કથાપ્રસંગોને લક્ષમાં રાખી પાત્રગત ચરિત્રોને કક્કાવારી પ્રમાણ, નર્મદાશંકર લાલશંકર દવેકૃત આ કોશમાં આવરી લેવાયાં છે. અંશુમાનથી શરૂ કરીને હડંબા સુધીનાં પાત્રો અને પાત્રો સાથે એમને કથાસંદર્ભ અહીં રજૂ થયાં છે. મૂળ સંસ્કૃત પરથી નહીં પણ ગુજરાતી, મરાઠી, હિન્દી પુસ્તકો પરથી આ કોશ તૈયાર થયા છે. ગ્રંથને અંતે સંભાત શબ્દાવલી તેમ જ પાવ તિમાવલી પણ મૂકી છે. નર્મદ : જુઓ, દવ નર્મદાશંકર લાલશંકર, નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યને આદ્યપ્રણેતા (૧૯૪૫) : રામ નારાયણ વિ. પાઠકનું નર્મદ પરનું પુસ્તક. ‘નર્મદાશંકર કવિ' અને ‘નર્મદનું ગદ્ય' એમ જુદે જુદે સમયે અપાયેલાં બે વ્યાખ્યાના અહીં ગ્રંથરથ કર્યા છે. બીજું વ્યાખ્યાન પહેલાના અનુસંધાનમાં અને એની પૂર્તિરૂપે હોવાથી વિષયની સમગ્રતા ઊભી થઈ છે. નર્મદનાં બંને પાસાંઓનું તટસ્થ અને તાર્કિક મૂલ્યાંકન અહીં થયું છે. ખાસ , આ વિવેચકે જમાનાથી આગળ જઈને નર્મદના ગદ્યની ખાસિયતોને તપાસવા અને એને વિશ્લેપવા ઉભાં કરેલાં કામચલાઉ છતાં વિરલ ઓજારો ધ્યાન ખેંચે છે. દરેક કથનનું પ્રમાણ આપવા અહીં અવતરણાનો છૂટથી ઉપયોગ કરી લેખનન શાસ્ત્રીય બનાવવાના ઉપક્રમ પર અભિનંદનીય છે. નર્મકવિતા (સમસ્ત સંગ્રહરૂપે, ૧૮૬૪) : નર્મદને કાવ્યસંગ્રહ. ઈઝરાંબંધી, નીતિરસંબંધી, દેશાભિમાનસંબંધી, સ્ત્રીશિક્ષાગસંviધી, ઘરસંસારસંબંધી, પ્રીતિસંબંધી, ગ્રામ તથા સૃષ્ટિસૌન્દર્યસંબંધી. વગરે કુલ દશ ખંડોમાં રચનાઓ વર્ગીકૃત છે. ઉપરાંત, કાવ્યશાસ્ત્રસાંબાંધી ગ્રંથો તેમ જ પૂરવણી’ વિભાગનો સમાવેશ છે. આ રચનાઓ માત્રામેળ, અક્ષરમેળ અને દેશીમાં રચાયેલી છે. લલિત છંદનો અને ઓવી તેમ જ મરાઠી સાખીનો સર્વપ્રથમ પ્રયોગ અહીં થયો છે. નર્મદે પહેલીવાર મધ્યકાલીન વિષયોને છોડીને સુધારો, સ્વતંત્રતા, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષયો દાખલ કર્યા છે. વાસ્તવાભિમુખતા અને જીવનાભિમુખતાને કારણ નવાં ક્ષેત્રો ઊઘડયાં છે; નવી નિરૂપણરીતિ પ્રગટી છે; તત્કાલીન સમયનું સર્વાગ ચિત્ર ઝિલાયું છે. અંગ્રેજી રોમેન્ટિક કવિતાની અસર હેઠળ આ રચનાઓમાં જોરસે’ અને વધુ પડતો કૃત્રિમ જા' ભળેલો છે. આત્મલક્ષિતાનું તત્ત્વ પ્રમુખ બન્યું છે. શૈલી મસ્ત રહી છે. ખાસ તો અંગ્રેજી કવિતાના સંપર્કને કારણે આંડ અને બેલડ પ્રકારની રચનાઓ પણ અહીં છે. સર્વ રચનાઓ પૈકી 'કબીરવડ’, ‘સહુ ચલો જીતવા જંગ’, ‘જ્ય જય ગરવી ગુજરાત, ‘નવ કરશો કોઈ શોક' જેવી ઉમિંરચનાઓ અત્યંત જાણીતી છે. પરંતુ, સાથે સાથે પરલક્ષી કવિતા અને એમાંય ‘વીરસિહ’ અને ‘દનરસિક' એ મહાકાવ્યના અધૂરા નમૂનાઓ તેમ જ વીરવૃત્તાને પ્રયોગ પણ અહીં છે. છતાં એકંદરે અભિવ્યકિતની પરિક્તના ઘણી ઓછી હોવાથી તથા પાર્ગશકિત ઉત્તમ પ્રકારની ન હોવાથી ઊંચી કવિતા સિદ્ધ થયેલી જોવાતી નથી. નર્મદાનંદ : જુઓ, તંબર અાિનકુમાર કાંતિલાલ. નર્મદાપુરી ભવાનીપુરી : પદ્યકૃતિ ‘માનસિહ ગુણાનનિ' (1 ૮૮૪) - કર્તા. નર્મદાશંકર બાપાશંકર : કથાકૃતિ 'રાર પણ (૧ ૮૯૨)ના કતાં. ચં.ટો. નર્મદાશંકર વ્યાસ : જુઓ, મહતા ધનસુખલાલ ગુલાલ. નલિન : જુઓ, કાપડિયા સુંદરલાલ અંબાલાલ. નવકોણ : જુઓ, કાપડિયા હીરાલાલ રસિકલાલ. નવરંગી: જુઓ, ભગતજી મોતીલાલ રણછોડજી. નવરોજજી ફરદુનજી (૧૦-૩-૧૮૧૭, -) : પ્રવાસ્લખક, કોશકાર. જન્મ ભરૂચમાં. રેવડ થામ્સ સાલમન પાસેથી અંગ્રેજી કેળવણી. ૧૮૩૦માં મુંબઈ ગયા. ઍજ્યુકેશન સોસાયટીની સેન્ટ્રલ સ્કૂલમાં શિક્ષણ. પછી એ જ શાળામાં શિક્ષક. ૧૮૪૦થી ‘વિદ્યાસાગર ચોપાનિયાનો પ્રારંભ. ૧૮૪૧ થી ૧૮૫૦સુધી ‘જામે જમશેદના અધિપતિ. પછીથી સુપ્રીમ કોર્ટમાં દુભાષિયાની જગ્યાએ. નિવૃત્તિ પછી ઈંગ્લૅન્ડને પ્રવાસ. ‘ગુજરાતી અને ઈંગ્લીશ ડિકરીનરી (૧૮૬૬) ઉપરાંત ‘અસતરી, ગનેઆનમાલા' (અન્ય સાથે, ૧૮૫૯) એમના નામે છે. કાજુલા પ્રવાસના ચાર પત્ર ૧૮૫૩ ના ‘જગતપ્રેમી' માસિકમાં પ્રગટ થયેલા છે. નર્મકાશ (૧૮૭૩) : કવિ નર્મદાશંકરને, એક ખંતીલા વિદ્વાનને શાસ્ત્રકાર તરીકે સ્થાપી આપતે શબ્દકોશ. ‘નર્મકવિતાના શબ્દાર્થ તૈયાર કરવાની પ્રવૃત્તિ કોશરચનામાં પરિણમી અને કેટલીક સામગ્રી ૧૮૬૧ થી છૂટા અંકો રૂપે પ્રગટ થયા પછી આ સંપૂર્ણ ને સુધારેલી આવૃત્તિ નર્મદાશંકરે પોતાને ખર્ચે પ્રગટ કરી. ગુજરાતી ભાષાના શબ્દોને ગુજરાતી ભાષામાં જ અર્થો આપતે અંગ્રેજી પદ્ધતિને સળંગ વર્ણાનુક્રમિક કોશ આ પહેલો જ છે અને તે એકલે હાથે સંઘરાયેલા ૨૫,૦૦૦ ઉપરાંત શબ્દોને સમાવે છે. અન્ય કોશગ્રંથો, ગુજરાતી ભાષાના ગ્રંથ, પૂછપરછ અને પોતાનાં સ્મૃતિ તથા ચં.ટા. ૨૭૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy