SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ઠક્કર ગોપાળજી આર.--- ઠક્કર નટુભાઈ રણછોડભાઈ ઠક્કર જીવરાજ હરજીવન : બાળપ્રસંગકથાઓને સંગ્રહ 'કળજુગનાં કૌતક' (૧૯૨૦) ના કર્તા. ઠક્કર ઝવેરભાઈ શિવજીભાઈ: ‘છપનના દકાળ વિશે કવિતા' (૧૯૦૦) ના કર્તા. ઠક્કર ગોપાળજી આર. : બોધદાયક કથાઓના કર્તા. ૨૨,દ. ઠક્કર ગેપાલજી ઓધવજી : નવલકથાકાર, નિબંધલેખક. એમની પાસેથી નવલકથા “શેઠ કે શયતાન' (૧૯૨૩) ઉપરાંત ‘શી સુબોધરત્નાકર” (પાં. આ. ૧૯૬૩), 'સદુધ સરિતા' (૧૯૫૫), “સંતની વાતો' (૧૯૪૦) મળ્યાં છે. ‘તુલસી રામાયણનાં મહાવાકયો” (પુનર્મુદ્રણ, ૧૯૪૮) માં તુલસીદાસજીના રામાયણની ચિતનપ્રેરક પંકિતઓનું વિષયાનુસાર સંકલન કરવામાં આવ્યું છે. નિ.વા. ઠક્કર ગોવર્ધનદાસ લક્ષ્મીદાસ : “મહારવિરહશતક' (૧૮૭૫), હા' (૧ ) ‘હલીલા'(૧૮૯૭) જેવી પદ્યકૃતિઓ, લાભ-શુભની આગાહી ઓ વર્ણવતી કૃતિ ‘પલ્લીપતન નિર્ણય' (૧૮૯૧) ઉપરાંત ‘શ્રી વલ્લભાચાર્ય જીવનચરિત્ર' તથા હિન્દી કૃતિ 'જમનાજી કે ચાલીસ પદ' (૧૮૯૭) ના કર્તા. ઠક્કર ત્રિભુવનદાસ વિઠ્ઠલદાસ : 'યજયવંતીની વાર્તા' (૧૮૯૦) -ના કર્તા. ઠક્કર દશરથભાઈ પ્રભુદાસ (૧૨-૧૦-૧૯૩૨): વિવેચક. જન્મ ખેડા જિલ્લાના વિઠ્ઠલપુરમાં. ૧૯૫૩ માં ઍલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈથી તત્ત્વજ્ઞાન વિષ્ણુ સાથે બી.એ. ૧૯૧૮ માં રાજ્યશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૭૫માં પીએચ.ડી. ૧૯૬૧-૬૨માં અધ્યાપન કર્યા પછી ૧૯૬૩-૬૫ દરમિયાન પ્રભુદાસ ઠક્કર કૉલેજના આચાર્યપદે. અત્યારે ત્યાં રાજયશાસ્ત્રના અધ્યાપક. ‘ગુજરાતી સાહિત્યમાં સૂફી રહસ્યવાદ' (૧૯૮૮) એમનું મહાનિબંધનું પુસ્તક છે. ચ.ટા. ઠક્કર દામોદર કેશવજી: પદ્યકૃતિ ‘સસ્તી સુખડી ને સિદ્ધપુરની યાત્રા' (૧૮૭૨)ના કર્તા. ઠક્કર ઘનશ્યામ (૧૯-૯-૧૯૪૬) : કવિ. જન્મ ખેડા જિલ્લાના દેથલી ગામે. ૧૯૬૯ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.ઈ. થઈ ૧૯૮૩ થી અમેરિકાના ટેકસાસ રાજયમાં વસે છે. ત્યાં નારા સાથે સંલગ્ન. ‘ભૂરી શાહીના કૂવા કાંઠે' (૧૯૮૭) એમને કલ્પનનું બલ દાખવતા કાવ્યસંગ્રહ છે. ચં.ટી. ઠક્કર ઘેલાભાઈ ખીમજી : ‘રામચરિત્ર નાટક' (૧૮૯૪) ના કર્તા. ઠક્કર દુર્લભજી ઠાભાઈ : પદ્યકૃતિ ‘બહાદુરવિરહબાવની' (૧૯૯૨) તથા ‘મંગળા હાથીની વાર્તા(૧૯૮૬) ના કર્તા. ઠક્કર દેવજી વર્ધનદાસ : ગુજરાતી બંગાળી શિક્ષક અને શબ્દકોશ’ના કર્તા. ઠક્કર ચંદ્રકાન્ત, ‘મહ’: સામાજિક વિષયવસ્તુને આધારે લખાયેલાં છ એકાંકીઓ અને ચાર સંગીતિકાઓનો સમાવેશ કરતી “બાળનાટયમાળા” (ભા. ૧ થી ૪) ના કર્તા. નિ.વા. ઠક્કર ચીમનલાલ દુલ્લવરામ : નવલકથા “અખંડચરિત્ર'-ભા. ૧ના કતાં. ઠક્કર છગનલાલ વિઠ્ઠલદાસ : સામાજિક વાર્તા ‘રસગુણ રસમાજ (૧૮૯૩) ના કર્તા. ઠક્કર નટવરલાલ મેહનલાલ : હાળીના પર્વના મહિમા કરતી ગીતિ-નાટય પ્રકારની દ્વિઅંકી કૃતિ હુતાશણીના કર્તા. ક.. ઠક્કર નટુભાઈ રણછોડભાઈ, ‘કલ્યાણયાત્રી', ‘યાત્રિક' (૧૪-૧૧-૧૯૩૭) : વાર્તાકાર, જન્મ મગાડી (જિ. ગાંધીનગર)માં. ૧૯૫૭માં એસ.એસ.સી. ૧૯૬૧ માં બી.એ. ૧૯૬૩ માં એમ.એ., ૧૯૭૩ માં એલએલ.બી. પ્રારંભે શિક્ષક પછી અધ્યાપક. ૧૯૭૯ થી સ્વામીનારાયણ આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય. મોગરે મહેકયાં ફૂલ' (૧૯૬૮), 'મીણ માટી ને માનવી (૧૯૬૯), 'પથ્થરના દરિયાને આવ્યા હિલ્લોળ' (૧૯૮૨), ‘લીમડામાં એક ડાળ મીઠી' (૧૯૮૪), 'તુલસી મારા આંગણની (૧૯૮૬), ‘554, બફેલો ગ્રોવ” (૧૯૮૨), ‘ઉરનાં એકાંત મારાં ભડકે બળે' (૧૯૮૧), ‘તોલાના ભાભાજી તેર મણના” (૧૯૮૬), ‘ફૂલ બને અંગારા' (૧૯૮૬) જેવાં એમનાં પુસ્તકોમાં વ્યકિત અને સમષ્ટિના સંદર્ભે આલેખીને માંગલ્યદર્શી અને વિચારપ્રેરક પ્રસંગોની ફૂલગૂંથણી કરવામાં આવી છે. “554, બફેલો ઠક્કર જગજીવનદાસ વસનજી: ત્રિઅંકી નાટક ‘રાજા સત્યવૃત નાટકની હકીકત'ના કર્તા. ઠક્કર જયરામ નારાયણજી: પ્રવાસલેખક. કચ્છ-અંજારના રહેવાસી. ‘જંગબાર ભાટિયા પ્રવાસ' (૧૮૯૪) માં પોતાના જંગબાર નિવાસ દરમ્યાન થયેલા અનુભવોનું વર્ણન તથા કેટલાંક ઉપયોગી સૂચને આપ્યાં છે. નિ.વે. ૧૬૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy