SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ફચ મત્ર જપી કચને ઉદરમાં જીવતા કરી. પછી એને સંજીવની વિદ્યાને ઉપદેશ આપે. કચ પછી આપનું ઉદર ફાડીને બહાર આવે અને આપને મૃત્યુ પામેલા જોઈ એ જ વિદ્યાના બળે આપને સજીવન કરે. આચાર્યને એ વાત પસંદ પડી, કે તેમણે તરત જ કચને સજીવન કર્યા અને કહ્યું કચ ! આજ મારી ગુરુવિદ્યા તારે અર્થે પ્રકાશુ .... તું બહાર આવીને મને સજીવન કરજે. આમ કહીને એમણે કચને મૃતસંજીવની વિદ્યાના ઉપદેશ કર્યા. જે ઉદ્દેશથી પોતે ગુરુની સેવા ઉઠાવતા હતા તે બર આવ્યા જાણી કને ઘણા આનદ થયા. એ તરત જ આચાનુ પેટ ફાડી બહુ!ર આવ્યા અને એ જ વિદ્યાના પ્રાબલ્કે આચાર્ય ને સજીવન કર્યા. આ પ્રમાણે દૈત્યોએ કરેલું. અપકૃત્ય એને .સુખદ નીવડયું. આમ દૈત્યોએ અપાય કરવાથી સંજીવની વિદ્યા સ્વર્ગમાં ગઇ. બુદ્ધિમાન મનુષ્ય બીજાનું અપાય કરવાની આથી જ કદી ઇચ્છા કરતા નથી. પેાતાના પિતા .અને ક્રચ બન્નેને જીવતા થયેલા જોઈને દેવયાનોના હ્રની સીમા રહી નહિ. એણે પછીથી કચને કાર્ય દિવસ પણ અરણ્યમાં જવા દીધે નહિ. આચાયે વિચાર કર્યો કે હવે એને અહીં રહેવા દેવા એ નિર્ભય નથી. માટે એમણે કચને આજ્ઞા કરી કે હવે તું તારા પિતા પાસે જા. તે જ દિવસે એમણે પોતે મદ્યપાન સબધે નિબ ંધ કર્યો. આચાયે કચને ઘેર જવાની આજ્ઞા આપી કે તે તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી ત્યાંથ નીકળી દેવયાની પાસે ગયા અને એની પાસે ઘેર ૧૦૭ છે. એ જવાની આજ્ઞા માગી. દેવયાની કહે તું જાય તે ઠીક, પરંતુ ગયા પહેલાં મારું પાણિગ્રહણ કરી, મને જોડે લઈને જાય એવી મારી ઇચ્છા છે. જ હેતુથી મેં તને પિતા પાસે ત્રણ વાર સજીવન કરાવ્યા, એટલું જ નહિ પણ ઘણી જ અપ્રાપ્ય એવી મૃતસંજીવની વિદ્યા પણ મેં તને અપાવી, એ બધું તું જાણે જ છે તેમ જ મારા બ્રહ્મચ Jain Education International કચ્છપી વ્રતની પણ તને ખબર જ છે. વળી તું દેવગુરુને પુત્ર અને હુ દૈત્યગુરુની પુત્રી – આમ આપણાં એનાં કુળ, શીલ, સમાન છે, માટે મારું પાણિમણું કર્યા સિવાય હું તને જવાની રજા આપનાર નથી, દેવયાનીનાં આવાં વચન સાંભળીને કચે ઘણી નમ્રતાપૂર્ણાંક ઉત્તર આપ્યો કે તે શું તે બધું સત્ય છે. તું મારે પાણિગ્રહણ કરવા યેાગ્ય છે એ પણ ખરું છે. અને હું પણ તારા જેવી સ્ત્રીને લાભ તજીને કદી ાત નહિ, પણ જે ઉદરમાંથી તારા જન્મ થયા છે તે જ ઉદરમાંથી હવે હું પણ નીકળ્યા, તેથી તું અને હું સહેાદર થયાં એટલે તારું પાણિપ્રહણ કરવું... મને, અને એવી ઇચ્છા કરવી એ તને, ઘટિત નથી, માટે તું આ બાબતને વિચાર કરી મને જવાની આજ્ઞા આપ, તું જ્ઞાનવાન છે માટે ગ્યાયેાગ્યને! વિચાર કરવાને સમર્થ છે. આમ ચનું સયુક્તિક અને સશાસ્ત્ર કહેવું સાંભળી દેવયાની નિરુત્તર થઈ ગઈ; છતાં પેાતાના ઘણા કાળના મનેારથ ભંગ થવાથી એણે કચને શાપ આપ્યા કે જે મૃતસંજીવનો વિદ્યા તને પ્રાપ્ત થઈ છે તે ફળીભૂત નહિ થાય. આમ સ્ક્રીને એણે કચને જવાની આજ્ઞા આપી. કચને પશુ ખેદ ઉત્પન્ન થયો કે તેં મને વ્ય શાપ આપ્યા માટે તને પણ બ્રાહ્મણ પતિ નહિ મળે, આમ કહીને તે સ્વર્ગમાં ગયા. ઇન્દ્રે એનું ધણું સન્માન કર્યું. ભાર॰ આદિ અ૦ ૭-૮૩ / મત્સ્ય કચ (૨) એક બ્રહ્મષિ/ ભાર॰ શાંતિ અ૦ ૪૮ કચ્છ દેશવિશેષ, અમદાવાદ અને ખંભાત વચ્ચે આવેલું ખેડા તે. / ભાર॰ ભી૦ ૪–૫૬ કચ્છનિલય દક્ષિણમાં એ નામના પાણી અને કળણવાળા પ્રદેશ. ભાર॰ સભા અ૦ ૩૧ કચ્છનીર એક નાગ, (૨ માધવ શબ્દ જુએ.) કચ્છપ કુબેર ભડારીના મૂર્તિમાન નવ નિધિમાંતે પાંચમે, કચ્છપી નારદ પેાતાના હાથમાં રાખે છે તે વીણા/ ભાર॰ શલ્ય અ૰ ૫૪ શ્લા ૦ ૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy