SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કચ વિદ્યા સારુ જ આવ્યા હરો એવુ દૈત્યેાને લાગ્યું'. એને મારી નાખવાના નિશ્ચય કરીને કેટલાક નૃત્યા એ અરણ્યમાં ગાયા લેવા ગયા હતા તેને પાછા આવવાના રસ્તા રોકીને ગુપ્તપણે તાકીને બેસી રહ્યા, જેવા એ આવ્યા કે એને પકડી એના શરીરના ટુકડેટુકડા કરી, પાતપેાતાના ઘેર જતા રહ્યા. હવે અહીં સૂર્યાસ્ત થઈ ગયા તાપણુ કચ ઘેર આવ્યા નહિ, એ જોઈને દેવયાનીએ પાતાના પિતાને જણાવ્યું, એમણે અતષ્ટિએ જોયુ. તા દૈત્યેાએ એને મારી નાખ્યાની ખબર પડી. શુક્રાચાયે" મૃતસંજીવની મંત્ર ભણીને ‘કચ સજીવ થાઓ' કહેતાં જ, અરણ્યમાં કચમાં જીવ આવ્યા; અને જુએ છે તારાત્રિ પડી ગઇ છે. એથી ઉતાવળા ઉતાવળા ધેર આવી શુક્રાચાર્ય અને દેવયાની બ ́તેને વંદન કરી, એમની સન્મુખ ઊભા રહ્યો. આવ્યા જાણી આચાયેં પૂછ્યું, ‘કચ, આજે વાર પ્રેમ લાગી ?” એણે દૈત્યાના કૃત્યનુ વર્ણન આચા આગળ કર્યું. આચાયેં બધું સાંભળીને કહ્યું, તુ આજથી અરણ્યમાં બહુ જઈશ નહિ. કાર્યવશાત્ જો જવું જ પડે તે। જઈને પાછો આવતા રહેજે. જેવી આજ્ઞા, કહી કચે તે પછી ઘેર રહેવા માંડયું, એક વખત એને અરણ્યમાં જવાના પ્રસંગ પડયો. અરણ્યમાં દૈત્યાએ એને દીઠે એટલે એમની ખાતરી થઈ કે આપણે એને માર્યા છતાં આચાયે એને જીવતા કર્યા. તે સંજીવની વિદ્યા આપવાને અર્થે જ. એએએ પછી કચને મારી નાખી એના ૧૦૬ શરીરના ટુક્ડા કરી શિયાળિયાં, વાઘ વગેરેને ખવરાવી દીધા. હવે એ જીવતા નહિ થાય એમ મનમાં નક્કી કરી, પાતપેાતાને સ્થળે જતા રહ્યા. આ વખતે દેવયાનીએ પ્રથમની પેઠે પેાતાના પિતા પાસે કચને સજીવન કરાવ્યા. આ પછી તા કચ ઘણી મુદત સુધી અરણ્યમાં ગયા જ નહિ. છતાં એક દિવસ જવાતા પ્રસંગ પડયો. પેાતે અરણ્યમાં જઈને જે કાર્ય કરવાનુ હતું તે સત્વર કરી આશ્રમમાં આવવા નીકળ્યેા. એટલામાં એ દૈત્યેાની દૃષ્ટિએ પડયો. દૈત્યા અને Jain Education International કચ જોઈને ઘણા ક્રોધાવિષ્ટ થયા કે વારે વારે આચા આને સજીવન કરે છે, તે! હવે કરવું શું ? એમણે ધાર્યું કે આપણે એને મારી, બાળી, એ રાખ કરી મદ્યમાં ભેળવી આચાર્યને જ પાઈએ, પછી એ શી રીતે સજીવન થશે ? આ યુક્તિ એમણે અમલમાં મૂકી પશુ ખરી. આચાર્યં કાંઇ નિત્ય મઘ લેતા ન હતા. પણ એ દુષ્ટાએ યુક્તિપુરઃસર આચાર્ય ને ચની રાખવાળું મદ્ય પાયું. એમ કરીને હરખાતાં હરખાતાં પેાતાને ઘેર ગયા. દિવસ પૂરા થયે અને રાત્રિ પડી તેપણુ કચ આવ્યા નહિ. એ જોઇને દેવયાનીએ પેાતાના પિતાને કહ્યુ કે કચ હજુ આવ્યા નથી, માટે મને ભય લાગે છે કે દૈત્યોએ એને જરૂર મારો નાખ્યા છે. માટે એને સજીવન કરીને હાલ તે હાલ આશ્રમે ખેલાવે. આચાયે કહ્યું કે દૈત્યો વારે વારે મારી નાખે છે, તેા. હું એને કેટલી વાર જીવતે કરુ` ? તું એ વાતને ખેદ મૂકીને શાંત થાય તે સારું. દેવયાની કહે, એમ બને જ નહિ, જે માણસ કાયિક, વાચિક અને માનસિક એકનિષ્ઠા અને પાપરહિત મનથી આપણી આટલી સેવા કરે છે એની આમ ઉપેક્ષા કરવી એ આપણને ઘટતું નથી; માટે એને જીવતા કરવા જ જોઈએ. આમ પેાતાની કન્યાના ઘણા આગ્રહ દેખી, આચાયે` દિવ્યદૃષ્ટિથી કચ કયાં છે તે જોયું, તેા જાણ્યુ. કેક તે એમના પેાતાના પેટમાં છે. પછી દેવયાનીને બધી હકીકત ક્ડી અને કહ્યું કે આજે ય સજીવન થવા અશકય છે. કદાચ જો હું એને સજીવન કરીશ તે મારુ મૃત્યુ થશે; માટે જો તારે મારે ખપ હેાય તા કચ તને નહિ મળે, અને જો કચને ખપ હાય ! હું તને નહિ મળું. આવી વસ્તુસ્થિતિ છે. પિતાની આવી વાત સાંભળી દેવયાની પણ વિચારમાં પડી, પરન્તુ તે ઘણી બુદ્ધિશાળી àાવાથી તેણે પિતાને કહ્યું કે મારે તેા તમારા બન્નેના ખપ છે. મને એક યુક્તિ સૂઝી છે, જેથી તમે બન્ને જીવતા રહેા. તે એ કે આપ પ્રથમ સજીવની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy