SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપ મંત્ર જેમ કેવલજ્ઞાની સ્વયં અક્ષર છે તેમ કેવલજ્ઞાનીના વદન-કમલમાંથી મળેલ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાનનું મૂળ, સ્વર અને વ્યંજન રૂપ જે વર્ણ છે, તેને પણ અક્ષર કહેવાય છે. એટલે કે અક્ષર એવા કેવલજ્ઞાનના મૂળ રૂપ પણ અક્ષર અને અક્ષરનું ફળ પણ અક્ષર એવું કેવલજ્ઞાન. જેમ કેવલજ્ઞાન નિર્વિકલ્પક છે તેમ કોઈ પણ સ્વર અને વ્યંજન રૂપ એક વર્ણાક્ષરના ચિંતવન કે ઉચ્ચારથી કોઈ પણ વિકલ્પ સિદ્ધ થતો નથી. એથી કરી અક્ષર માત્રના ઉચ્ચારથી પદાર્થ સંબંધી કોઈ પણ ભાવ થઈ શકતા ન હોવાથી માત્ર અક્ષર ઉપરનું ચિંતવન નિર્વિલ્પકતા છે. આમ ‘’ એ આદિ છે, મૂળ છે. કેવલજ્ઞાનનું બીજ છે માટે કેવલજ્ઞાન” છે. બીજો શ્લોક ‘' અક્ષર ઉપર નીચે પ્રમાણે છે : रूपि द्रव्यम् स्वरूपम् या द्रष्टवा ज्ञानेन चक्षुषा । दष्टं लोकम् या रकारस्तेन उच्यते ।। ‘’નો લક્ષ્ય અર્થ રૂપીથી રૂપીનું અને અરૂપીથી રૂપી ને અરૂપી ઉભયનું દર્શન છે અથવા તો લોકાલોક જોનારું “કેવલ દર્શન” છે. ત્રીજા શ્લોકમાં “” અક્ષર ઉપરની સમજૂતી આ પ્રમાણે આપી છે.... हता रागाश्चदेषाश्च हताः मोह परिषहाः । हतानी येन कर्माणि हकारस्तेन उच्यते ।। g' નો લક્ષ્ય અર્થ રાગદ્વેષાદિ દોષરૂપી શત્રને હણવાની ક્રિયા જે ચારિત્ર છે. અથવા તો અબ્રહ્મભાવ, સંસારભાવ, વૈતભાવ કાઢી નાખવાથી પ્રગટ થયેલ ચારિત્ર છે. છેવટનો ચોથો “ર” અક્ષર ઉપરનો શ્લોક નીચે મુજબ છે : संतोषेणामि संपूर्णो प्रतिहार्याष्टकेन च । ज्ञात्वा पुण्यम् च पापम् च हकारस्तेन उच्यते ।। નુ નો લક્ષ્ય અર્થ નિષેધ છે, પરનો નિષેધ અને સ્વનો અનુરોધ. એટલે કે ઇચ્છાનિરોધ અર્થાત્ તલપ (ઇચ્છા-તલસાટ) ઉપર તપ ક્રિયા દ્વારા વિજય અને અંતે પૂર્ણકામ તૃપ્તદશા જે તપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy