SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જેના સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ ૬ – – – – – – આચાર્ય, ઉપાધ્યાય, સાધુની નિશ્રામાં અથવા તો માત્ર શરણથી કેવલજ્ઞાન, મોક્ષપ્રાપ્તિનું કે પછી તેની પૂર્વભૂમિકામાં પુણ્યાનુબંધી પુણ્ય, સમક્તિ, દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિનું ફળ મળી શકે છે. ફળપ્રાપ્તિ અંગે પાંચે પદ સરખું ફળ આપવા સમર્થ છે. આ અંગે મૃગાવતી સાધ્વી અને ચંદનબાળા સાધ્વીજી, અર્ણિકાપુત્ર આચાર્ય અને પુષ્પચૂલા સાધ્વીજી, ચંડરુદ્રાચાર્ય અને તેમના વિનયી શિષ્ય, ગૌતમસ્વામીજી અને પંદરસો તાપસના શાસ્ત્રીય દૃષ્ટાંત આપણી પાસે મોજુદ છે. તેથી જ તો ગાયું છે કે... ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન.' હવે આપણે “અરિહન્ત” શબ્દ વિષે થોડી વિસ્તૃત છણાવટ કરીશું. અરિહન્તપણું એટલે અરિરૂપી દોષ જે જીવના ખરા શત્રુ છે, તેને હણવાની-દૂર કરવાની ક્રિયા, એ જીવની સાધના છે. જ્યારે “અરિહંત'ને - અરદસ્ (અરહન) તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાદેવ વીતરાગ સ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે ગરદન શબ્દની વિસ્તૃત સમજ તેના ચાર અક્ષર “ગ' “” “દ' અને “ર' ઉપર એક એક શ્લોકની રચના કરીને આપી છે. અરહનું શબ્દના પ્રથમ “અ” અક્ષર ઉપર નીચે પ્રમાણેનો શ્લોક છે. 'अकार आदि धर्मस्य आदि मोक्ष प्रदेशकः । स्वरूपे परमभ् ज्ञानभ् अकारस्तेन उच्यते ।।' અ”નો લક્ષ્ય અર્થ અક્ષર, “અક્ષર” એટલે કે જેનો “ક્ષર' અર્થાત્ વિનાશ નથી તે “અવિનાશી” અથવા તે અક્ષર એટલે શ્રુતજ્ઞાનનું મૂળ. ભગવાને આપેલ દ્વાદશાંગીનું મૂળ શું ? સ્વર અને વ્યંજનરૂપ વર્ણ એ દ્વાદશાંગીનું મૂળ છે એટલે કે...... અક્ષરનો સમૂહ શબ્દ બને છે. કર્તા અને ક્રિયાપદ પૂર્વક શબ્દના સમૂહથી સૂત્ર બને છે. સૂત્રનો સમૂહ અધ્યાય બને છે. “અધ્યાયનો સમૂહ આગમ બને છે અને આગમનો સમૂહ તે દ્વાદશાંગી. આમ દ્વાદશાંગીનું મૂળ અક્ષર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy