SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જેને સાહિત્ય સમારેહ-ગુછ * “સંમતિ દાયક ગુરુ તણે પગ્રુવાર (પ્રતિ ઉપકાર) ન થાય. ભવ કડાકોડે કરી કરતાં સર્વ ઉપાય.”-(સડસઠ બેલ) પશુ ટાલી સુરરૂપ કરે જે સમક્તિને અવદત રે; એ ગુણ વીર તણે ન વિસારું... (સ્થિરાદષ્ટિ ઉપર સજઝાય) - જ્યાં કાર્ય-કારણની પરંપરા ચાલે છે તેમાં કારણે કાર્ય માટે છે અને તે થયેલ કાર્ય આગળના કાર્ય માટે કારણ બને છે. પરંતુ પૂર્ણ યાને કે અંતિમકાર્ય થયા પછી આગળનું કાર્ય હેતું નથી. તેમજ કૃતકૃત્ય થયેથી પહેલાંના કારણને જોવાની અને હેવાની જરૂર નથી. કારણ-કાર્યની પરંપરાને ત્યાં અંત આવે છે. કારણ-કાર્યના ભાવમાં ત્રિકાલાબાધિત નિયમ છે કે “અંતિમ કાર્યનું કાર્ય ન હેય અને મૂળ કારણનું કારણ ન હોય. આ જ વિધાનમાં પેલી કાળજૂની સમસ્યા “મુરઘી પહેલી કે ઈડું પહેલું ?"ને ઉકેલ મળી જાય છે કે સુરધી ઈડા સાપેક્ષ છે અને ઈડું અરધી સાપેક્ષ છે. યાદ રહે કે કર્યું તેને કહેવાય કે જે કર્યા બાદ કેઈ કરવાપણું જ રહે નહિ અને થયું તેને કહેવાય કે જે થયા બાદ ટળે નહિ, વિનાશ પામે નહિ, ઓછુંવતું થાય નહિ, ફેરફાર થાય નહિ. ન બગાડપણું હોય કે ન સુધરવાપણું હોય, કે ન તેનાથી કયાંક, કશું અધિક હય, તેમ તેના રક્ષણ કે જાળવણીનીય આવશ્યતા નહિ હોય. એ ત્રિકાળ એકરૂપ હેય. થયું તે છે કે જે થયાં પછી સ્થિર થઈ જાય. સ્થાયી બની જાય, જેમાં આગળ થવાનું હોય અથવા કરવાનું બાકી હેય તેને અંતિમ–કાર્ય ન કહેવાય. , કાર્ય-કારણની રૂપરેખા એ છે કે ક્યાં ..... (મ) સંસારમાંથી સંસાર બનાવે અને કાર્ય-કારણની પરંપરા ચાલુ ને ચાલુ જ રાખવી. સ્ટેશન પછી સ્ટેશન અને એક મુકામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy