SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમારોહ ગુરુ , સ્વભાવકાળ-કર્મ-ઉદ્યમ અને નિયતિ એ પાંચ સમવાયી. કારણ વિષે વિગતે વિચાર્યું. એ પાંચ સમવાયી કારણની જેમ મુક્તિ પ્રાપ્તિ માટે ચાર સાધના કારણની આવશ્યકતા છે, જે પ્રાપ્ત કરી તે વડે મુક્તિ પ્રાપ્તિનું કાર્ય સિદ્ધ થઈ શકે છે. એ ચાર સાધના– કારણો નીચે પ્રમાણે છે : (૧) અપેક્ષા કારણ (૨) નિમિત્ત કારણ (૩) અસાધારણ કારણ અને (૪) ઉપાદાન કારણ. (૧) અપેક્ષા કરણ : અપેક્ષા કારણ પૂર્વકૃત કમથી પ્રાપ્ત થાય છે, જે જન્મથી લઈ મરણયા તે નિર્વાણ સુધી આત્મા (જીવ)ની સાથે હોય છે. અપેક્ષાકારણને વ્યાપાર માફક ય-વિક્રય હેતો નથી. એ પાયો (Foundation) છે. કર્મભૂમિ (જ્યાં અસિમસિ અને કૃષિને વ્યવહાર હોય છે તે પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહના ક્ષેત્રને કર્મભૂમિ કહેવાય છે) મુક્તિ પ્રાપ્તિને . અનુકૂળ કાળ કે જેને કાળચક્રની ગણતરીમાં ચેથા દુઃખમ-સુખમને આને કહે છે તે કાળ, આર્યક્ષેત્ર, આર્યજાતિ, ઉચ્ચગોત્ર સંપત્તિ પંચેન્દ્રિય મનુષ્યનિ તથા વજઋષહ્મ નારાચ સંધયણું (હાડકાંની રચનાને અનુસારે શરીરના બાંધા-દઢતાના અર્થાત – સંઘયણના જૈન દર્શનમાં પ્રકાર વર્ણવેલ છે કે વજઋષભ નારાચસંઘયણ, ઋષભનારાચ સંઘયણુ, નારાય સંધથણ, અર્ધનારાચ સંઘયણ, કિલિકા અને સેવા અથવા છેવટનું સંધયણ, વછઋષભનારા સંધયણ, એ શારીરિક બળની પરાકાષ્ઠા છે. શરીરનાં હાડકાની દઢતા અને બળ, મનનાં વિકાસ તથા મનોબળ માટે સહાયક છે. જેમ આપણે વ્યવહારમાં પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ કે આપણા નિબળ સંઘયણને અંગે ભલભલાં કહેવાતાં ખેરખાં શરીરની નિબળતાએ મનથી દીન હીન બની જાય છે)ની પ્રાપ્તિ, મોક્ષ–પ્રાપ્તિની અપેક્ષા જેને છે તેને આવશ્યક છે, કેમકે કર્મભૂમિ, દુઃખ-સુખમ નામને. Jain Education International For Private & Personal Use Only FO | www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy