SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ સમવાય કારણ અને ચાર સાધના કરણ ળ સારું અને કુકમ (દુષ્કર્મનું ફળ ખરાબ હોય છે. તે કમ કરતી વખતે અર્થાત કર્મબંધના સમયે જીવે નિકી બની સત્કર્મ– સુકર્મ–સુકૃત તરફ વળવું જોઈએ. ઉદ્યમની વાત લઈએ તો તે પાંચે કારણમાં જીવને સ્વાધીન એવું કારણ છે. માટે જીવે શુભમાં પ્રવૃત્તિશીલ થવું જોઈએ અને પ્રમાદ છેડી અપ્રમત (જાગૃત-સાવધ) બની શુભમાં જોડાઈ શુદ્ધ (ર્મમલરહિત) થવું જોઈએ. અંતે ભવિતવ્યતામાંથી સાધના એ નીકળે છે કે જીવ ઇચ્છે છે કાંઈ અને થાય છે કાંઈ. તે જે પરિણામ આવે તેને નિયતિ, નિશ્ચિત ભાવિ સમજી લઈ રતિ–અરતિ, હર્ષ શોકથી દૂર રહી સમભાવ ટકાવી શકાય અને સમતામાં રહી શકાય. પાંચે કારણ મળી કાર્ય બને છે તે એ પાંચે કારણથી જીવે સાધના કરવી જોઈએ. કાળ–કમ ઉદ્યમ-નિયતિ આદિ આત્માનું સ્વરૂપ નથી. પરંતુ પરમાત્મપદ પ્રાપ્તિનાં સાધન છે. ઉદ્યમ આદિ કરવા છતાં ય પરિણામ ન આવે તે હતાશ નહિ થતા સ્વરૂપમાં સાધનામાં-સ્થિર રહેવું. સાધનથી પરિણામ ન આવે તે કાળધમ–ઉદામ આદિથી પર થવું અર્થાત્ ઉપર ઊઠવું, સાધનથી રહિત નથી થવાનું પણ સાધનથી સમથ થવાનું છે. કાર્યના મૂળમાં રહેલ આ પાંચે મૂળ કારણથી આભાના મૂળ શુદ્ધ સ્વરૂપને સમજી જીવે પાંચ કારણુથી સાધના કરી સ્વયંના શુદ્ધ આત્મ સ્વરૂપ–પરમાત્મ સ્વરૂપનું પ્રાગી કરવાનું છે. મોક્ષની પ્રાપ્તિ થવાની છે, એ આપણું ભવિતવ્યતા છે. આપણા સ્વભાવને ઓળખી, કામના ભ્રમમાંથી બહાર નીકળી, કમરતિ થવામાં આપણે સહુ કોઈ ઉલસી બનીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy