SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ ગૌતમસ્વામી ૨૮૩ વચ્ચે સેતુરૂપ બન્યા. તેમની સમજણ પરનું એકાંતિક આવરણનું પડળ દૂર થયું. ગૌતમસ્વામીને જ્ઞાનરૂપી આંતરવૈભવ જેમ વિપુલ હતા, તેમ તેમનું બાહ્ય વ્યક્તિત્વ પણ ગૌરવશાળી અને અત્યંત તેજસ્વી. હતું. સુવર્ણ જેવા વર્ણવાળે, કાન્તિમાન, સાત હાથ ઊંચે, સમચોરસ સંસ્થાનવાળે અને વજીરૂષભનારાચસંઘનયુક્ત તેમને દેહ હતો. ભગવાન મહાવીર અને ગૌતમરવામી ગુરુ-શિષ્યની જોડી એક. આદર્શ જેડી હતી. ભગવાન કરતાં ગૌતમસ્વામી આઠ વર્ષ મોટા હતા. ભગવાન પાસે એમણે દીક્ષા લીધી ત્યારે ભગવાન બેતાલીસ વર્ષના અને ઇન્દ્રભૂતિ પચાસ વર્ષના હતા. આઠ વર્ષ મોટા છતાં ગૌતમસ્વામી ખૂબ આજ્ઞાંકિત અને વિનમ્ર હતા. રાતદિવસ તેઓ ગુરુને જ વિચાર કરતા અને તેમની સેવામાં જ સાર્થકતા માનતા, વિનયને તે તેઓ ભંડાર હતા. ભગવાન પ્રત્યેને તેમને વિનય. અદ્ભુત હતા. કઈ પણ કામ કરતાં પહેલાં તેઓ ભગવાનની અનુજ્ઞા લેતા ભગવાનની સેવા બરાબર થાય અને તેમનાથી જુદા રહેવું ન પડે તે માટે તેઓ ઘણી વાર બે ઉપવાસ પર પારણું કરતા, જેથી રોજ ગોચરી વહેરવા જવા જેટલી જુદાઈ પણ સહન કરવી . ન પડે પારણાને દિવસે એક જ વાર આરાર લેતા ગૌતમસ્વામી સ્વાવલંબી હતા અનેક શિષ્યને પરિવાર હતા, છતાં પિતાની. ગોચરી પોતે જ વહેરવા જતા. આહારમાં પણ જે કંઈ લૂખુંસૂકું મળે તે લઈ જલદી ઉપાશ્રય આવી જતા. આવીને ગુરુની આજ્ઞા લઈ પિતાનાથી નાના ગુરુભાઈઓન અને શિવ્યાને બોલાવી - તેમને જોઈતી વસ્તુ આપી પછી જ પોતે વાપરતા. તેઓ પિતાની દિનચર્યાને ચુસ્ત રીતે પાળતા હતા. દિવસ. અને રાત્રીના મળને આઠ પ્રહરમાંથી ચાર પ્રહર અધ્યયન તેઓ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy