SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ જૈન સાહિત્ય સમારોહ – ગુછ ? અને પ્રભાસ ભગવાનને જીતવાની અપેક્ષાથી આવ્યા. તેમની શંકાએ અને પ્રશ્નો હતાઃ છવ છે કે નહિ ? કર્મ છે કે નહિ ? શરીર એ જ જીવ છે ? આ ભવમાં જીવ છે તે જ પરભવમાં ૨હે કે બદલાય છે આ ઉપરાંત બંધ અને મોક્ષ, દેવ, નારક, પુણ્ય અને પાપ, પરલોક, નિર્વાણુ વગેરે વિશે અગિયારે પંડિતની શંકાનું સમાધાન ભગવાને સતર્ક દલીલે દ્વારા કર્યું. આ બ્રાહ્મણ પંડિત વેદવેદાંતના અભ્યાસી હતા. પરંતુ વેદોમાં કેટલાંક પરસ્પરવિરોધી વિધાને હેવાને કારણે સ્પષ્ટતા થતી નહતી એથી પંડિતોની મૂંઝવણ વધી હતી ભગવાનની દલીલોની વિશેષતા એ હતી કે તેમણે વેદનાં વાકયોનો આધાર લઈને જ તેમની શંકાઓનું સમાધાન કર્યું. વેદને અભ્યાસ અને પોતાના ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને કારણે બ્રાહ્મણ પંડિતેને એ દલીલ જલદી સમજાઈ ગઈ. ૫ ડિતોની શંકાનું સમાધાન અને શિષ્ય સહિત દીક્ષાને આખોય પ્રસંગ આચાર્ય જિનભદ્ર ક્ષમાશ્રમણે આવશ્યક નિયુક્તિની બેતાલીસ ગાથામાં નિરૂપો છે એને “ગણધરવાદ” કહેવામાં આવે છે પયુ ષણના દિવસોમાં ઉપાશ્રયમાં મહાવીર જન્મવાંચનના પછીના દિવસે ગણધરવાદ વંચાય છે. ગણધરવાદમાં જીવ જીવન અને જગતને લગતા અત્યંત મહત્ત્વના આધ્યાત્મિક પ્રશ્નો ગૂંથવામાં આવ્યા છે એક જ દિવસમાં અગિયાર પંડિતાએ પોતાના કુલ ૪૪૦૦ શિષ્યો સહિત ભગવાન પાસે દીક્ષા લીધી. એ દિવસે મા બનેલ આ પ્રસંગ ધાર્મિક અને સામાજિક દષ્ટિએ એક ક્રાંતિકારી ઘટના. ગણાય ભાર ના બ્રાહ્મણ વિદ્વાનમાં અગ્રગણ્ય એવા અગિયાર પંડિત પોતાના સર્વ શિષ્ય સાથે શ્રમણ બને તે અખો બન વ ગણાય. ભગવાન પાસે દીક્ષા લઈને ઇન્દ્રભૂતિ ગૌતમ શ્રમણ-બ્રાહ્મણ પરંપરાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy