SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સ્તવ્યસાહિત્ય * ૨૬૯૬ ધનેપાલની “ઋષભપંચાશિકા'માં પ્રાતનાં પ૦ પદ છે. એમાં આરંભિક ૨૦ પદેમાં ઋષભદેવની જીવનઘટનાઓ અને બાકીનાં ૩૦ પદોમાં ભગવાનની સ્તુતિ-પ્રશંસા છે. ધનપાલના લઘુબંધુ શોભન મુનિએ ર૪ તીર્થકરોની યમકાલંકારમયી શોભનસ્તુતિ” રચી. તે સ્તુતિ પર ધનપાલે સંસ્કૃતમાં ટીકા “શોભનસ્તુતિવૃત્તિ” રચી છે. ૧૧મી સદીના વાદિરાજસૂરિએ એકીભાવસ્તાત્ર”, “જ્ઞાનલોચનસ્તોત્ર”, “અધ્યાત્મશતક' વગેરેની રચના કરી. ધારાનગરીના શાસક મુંજની સભાનાં નવ રનેમાંના એક અમિતગતિ(૧૧મી સદી)એ “પરમાત્મષત્રિશિકા રચી છે. મોક્ષપ્રાપ્તિના માર્ગ સ્વરૂપ આખે જૈન-આચાર પ્રસ્તુત સ્તોત્રમાં પ્રાસાદિક શૈલીમાં રજૂ થયેલ છે. મિત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચારેય ભાવનાઓની કામના કરતાં અમિતગતિ જિનેન્દ્રને પ્રાર્થો છે (લે, ૧). રાગદ્વેષરહિત બની મનની સમતા કેળવવાને સંકલ્પ તેઓ વ્યક્ત કરે છે. એમાં સામાયિકવ્રત ”નું દર્શન થાય છે? दुःखे सुखे वैरिणि बन्धुवर्ग योगे वियोगे भनने वने वा। निराकृताशेषममत्वबुद्धेः सम मनो मेऽस्तु सदापि नाथ ॥३॥ - કર્મબંધનમાંથી મુક્ત થનાર રાગાદિ દેષરહિત મુક્તાત્મા જ જૈનદર્શનની દૃષ્ટિએ સિદ્ધ, વિબુદ્ધ કે દેવ છે (લે. ૧૬). જેનદર્શન પ્રમાણે જીવ કર્માનુસાર ફળ ભોગવે છે. સુખ-દુઃખનું કારણ કર્મ છે. જેનાં સકળ કર્મો ક્ષય પામે તે જ ઈશ્વર છે. (પરિક્ષી” સામે ઉધઃ). કર્માનુસાર ફળપ્રાપ્તિને સિદ્ધાંત સરળ ભાષામાં સ્તોત્રકાર શ્રી અમિતગતિ સમજાવે છે स्वयं कृतं कर्म यदात्मना पुरा फलं तदीयं लभते शुभाशुभम् । परेण दत्त यदि लभ्यते स्फुट स्वयं कृतं कर्म निरर्थक तदा ॥३. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy