SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન અને સમાધિ મરણ ૩૦૧ ધર્મસ્વભાવ છે, સ્થિતિ પાકે ત્યારે એ ક્ષણ વાર રહેતું નથી, એ રહસ્ય તમે સમજે. અનંતા પરમાણુ ભેગા થઈને આ શરીરને. પર્યાય થયો છે. વર્ણ આદિ ઘણા પ્રકારે મળ્યા છે તે કાળે કરીને. વિખરાઈ જાય છે. પુદ્ગલથી દેહ પામેલા જીવને એ અનુપમ લાગે છે પણ જે તત્ત્વજ્ઞાની છે તેને શરીરની સાથે કોઈ જાતને મિથ્યા. સ્નેહ હોતા નથી. मृत्युमार्ग प्रवृत्तस्य, वीतरागो ददातु मे । समाधिबोधौ(धी) पाथेयं, यावन्मुक्तिपुरी पुरः ।। અર્થાત મૃત્યુના માર્ગે પસાર થતા, જ્યાં સુધી હું (પુર ) આ. શરીરરૂપી નગરીથી મુક્તિપુરી નામની નગરીએ પહોંચે ત્યાં સુધી, વીતરાગદેવ મને સમાધિ અને બધબેધિ), એ બેને ભાતારૂપે આપે જૈન શાસ્ત્રોમાં જન્મને, વિવિધ બંનેનું તે કારણ બનત હાવાથી, હેય કહ્યો છે, જયારે મરણને તો બંધનમાંથી મુક્ત કરનાર, હોવાથી ઉપાય પણ કહ્યું છે. આ કારણે જ બંધનની સાથે છૂટકાર હોય તેમ જન્મની સાથે મરણ હોય જ છે. કેઈ પણ જન્મેલે. મર્યા વિના રહેતા નથી તે પણ મરણને મહત્સવ બનાવે તે જન્મ સફળ ગણાય છે, કારણ કે તે સ્વ-પરહિતકર બનવાથી તેનો જન્મ પણ પ્રશંસનીય બને છે. તત્વથી જન્મ એ આપત્તિ છે, પણ જે જન્મથી મરણને મહત્સવ બનાવી શકાય તો જન્મ સંપત્તિરૂપ બની. જાય છે. તાત્પર્ય કે જેમની પ્રશસ્તતા કે અશપ્રસ્તતા મરણને આધારે છે. જે મરણ મહોત્સવ બને તે જન્મ પ્રશસ્ત બને, અને મરણ કલેશરૂપ બને તે જન્મ અપ્રશસ્ત બને છે. બીજી વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે કઈ જન્મમાં મરણનો નાશ કરવાની તાકાત નથી; જો તે અવશ્ય મરે છે, મરણની વ્યથા અવશ્ય ભગવે જ છે, પણ મરણમાં એ તાકાત લાવી શકાય છે કે જેનાથી ભાવિ અનંતા જન્મને તે નાશ કરી શકે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy