SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ જૈન સાહિત્ય સમારાહ પ્રજા માટે પણ હેવાનું જ. એટલે આપણા કથાસાહિત્યે વિદેશપ્રવાસ' ખેડ્યો છે અને મૂળ કથામાંથી પરદેશના વાતાવરણને અનુરૂપ કથાનું રૂપાંતર-ધડતર થયું છે, અને એ વાતા પરદેશના પ્રજાજીવનમાં સ્થાયી થઈ છે. તે એટલા માટે કે લે!કસાહિત્ય અને લેાકકલામાં તે તે સમાજના ભાવવાહી જીવનનું અમુક પ્રમાણમાં સાચુ પ્રતિબિંબ ઝિલાય છે, અને આવું સાહિત્ય અમુક દેશનું કે તે દેશના લેાકેાનું ન બની રહેતાં, આખા વિશ્વનું, સમસ્ત માનવસમાજનું સાહિત્ય અની જાય છે. હવે આપણે બુદ્ધિકૌશલ્યની વાતા જોઈએ. આધાસન કથાઓ પ્રિયજનના મૃત્યુથી શાકમગ્ન માનવીને, મૃત્યુ અનિવાય છે એ વાત, સાંત્વન કે દિલાસે। આપવાથી સીધી રીતે સમજાતી નથી, ત્યારે યુક્તિપૂર્વક એને એ વાત સમજાવવી પડે છે. આવા પ્રસંગ આપણાં સૌનાં જીવનના પડઘા પાડે છે. જાતકકથામાં આવતી વાતા આપણે એમાંથી જોઈએ : પુત્રના અવસાનથી શેકમગ્ન કૃષ્ણે સાવ સૂનમૂન થઈ જતાં, તેના ભાઈ ધૂત પંડિત ગાંડપણના ઢાંગ કરી ‘સસલું’–‘સસલું' એમ પેાકારતા ભમે છે. કૃષ્ણ એને એ બારામાં પૂછે છે એટલે પડિત કહે છે કે, ભારે ચંદ્રમાં રહેલું સસલું જોઈએ છે.' કૃષ્ણ એને સમજાવે છે કે, ભાઈ ! તું તા સાવ અશકવ્ય વસ્તુની માંગણી કરે છે ! ’ . ધૂર્ત પંડિતે વળતા જવાબ આપ્યા : ‘મરેલા પુત્રની પાછળ શાક ન છેડતા એવા તું તેને પાછે! મેળવવાની આશા રાખે છે એ પણ એટલી જ અશકય વાત નથી શું ? ' પ્રત્યુત્તરથી કૃષ્ણની આંખ ઊઘડી જાય છે. ખીજી એક કથામાં પુત્રના અવસાનથી વ્યથિત સ્ત્રીને તથાગત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy