SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું જોઈએ નહીં હારમાં આ આપણી આપ પ્રથમ જૈન સાહિત્ય સમારોહ નામશેષ થયે, પરંતુ જૈન ધર્મ ટકી રહ્યો. તેનું કારણ એ છે કે જૈન ધર્મ, હિન્દુ ધર્મ સાથે અવિરેધનું વલણ અપનાવ્યું અને વ્યવહારમાં લગભગ હિન્દુ જેવા જ રહ્યા ! કપડાં, નાત-જાત, લગ્નના રિવાજો અને મૃત્યુના રિવાજો અપનાવી લીધાં અને છતાં ય જૈન રહ્યા! શંકરાચાર્ય “સંન્યાસની પદ્ધતિ સ્વીકારી એ હિન્દુ ધર્મ પર જૈન તથા બૌદ્ધ ધર્મની અસરના કારણે જ !” તેમણે વધુમાં જણાવ્યું હતું કે “જેનેનું અનોખું પ્રદાન હોય તો તે અનેકાંતવાદનું છે. પણ આપણે એ વિચારવું જોઈએ કે આપણે આપણા જીવનમાં અને વ્યવહારમાં આ “અનેકાન્તવાદ ક્યાં સુધી ઉતાર્યો છે ? આપણું કઈ ટીકા કરે તો શાંત રહેવાતું નથી. આપણામાં પણ અંધશ્રદ્ધા ઓછી નથી. આપણે કોઈ ફેરફારો કરવા તૈયાર નથી. એટલું જ નહિ પરંતુ જે કેઈ નાનામાં નાની ભિન્ન વાત રજૂ કરે તે આપણે તેના પર તૂટી પડીએ છીએ !” સ્વતંત્ર વિચારની આવશ્યકતા તેમણે એ વાત પર ભાર મૂક્યો હતા કે “ આગમે એ જ્ઞાનનો ભંડાર છે. જૈન ધર્મ, દર્શન અને શાસ્ત્ર – આમાંથી આપણે કેટલું સ્વીકાર્યું? તેને તલસ્પર્શી અભ્યાસ કેટલે થયો ? એને વર્તમાનમાં કેટલો અભ્યાસ થયે? મારે ખેદ સાથે એમ કહેવું પડે છે કે જેને “critical” કહી શકાય તેવું બહુ જ ઓછું લખાણ થયું છે. આપણે જેને સ્વતંત્ર ચિંતન અને મૂલ્યાંકન કહી શકીએ તેવો અભ્યાસ કરવાની તૈયારી છે ? કઈ મહારાજ કે મહાસતી કહે તે અનેક પ્રકાશને થાય છે. આ પ્રકાશકે પણ એ પુસ્તક વાંચતા જ હોય એવું નથી. આમાં પણ કઈ નવી દષ્ટિએ મૂલ્યાંકન જેવા નહિ મળે. એકનું એક જ પ્રકાશન થાય એવું પણ ઘણું જોવા મળે છે. લાખો રૂપિયા ખર્ચાયા પછી ગુણવત્તા જેવું કંઈ જોવા મળે છે ખરું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy