SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જન સાહિત્ય સમારોહ શ્રી ચીમનભાઈએ વિનમ્રભાવે જણાવ્યું હતું, કે “આ સાહિત્ય સમારોહનું ઉદ્ઘાટન કરવા જેટલી વિદ્વતા કે ગહનતા મારામાં નથી. છતાં મારા પ્રત્યેના પ્રેમના કારણે આ કાર્ય મને સંપાયું છે.” શ્રી ચીમનભાઈએ વિશેષમાં જણાવ્યું હતું, કે “ભગવાન મહાવીરની પચ્ચીસમી નિર્વાણ-શતાબ્દી પ્રસંગે પ્રગટ થયેલ અઢળક સાહિત્ય વાંચવાને મને મેક મળે છે. તેના ઉપરથી મને લાગ્યું છે કે જેને પાસે અઢળક સાહિત્યભંડાર પડે છે. આ સાહિત્ય એટલું બધું વિશાળ અને વિપુલ છે કે જ્ઞાનનો એવો કોઈ વિષય નથી કે જે જૈન સાહિત્યમાં ન હોય. ન્યાય, ખગોળ, ભૂગોળ વગેરે સર્વ વિષયો તેમાં આવરી લેવાયા છે.” - તેમણે એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો: “જૈન સાહિત્ય એટલે છે ?” જેનેએ લખેલું સાહિત્ય ? આને વાડા સાહિત્ય કહેવું ? સાહિત્યમાં વાડા દેતા નથી. જૈન સાહિત્ય એ ભારતીય સાહિત્યથી અલગ નથી. ભારતીય સંસ્કૃતિનું એ અંગ છે–તેનું વિશિષ્ટ અંગ છે. તેણે સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે. જૈન દર્શનેએ અન્ય દર્શને એટલે જ ફાળો આપ્યો છે. વૈદિક, બૌદ્ધ અને જૈન દર્શને પરસ્પરથી સાવ અલગ નથી. એક દર્શને બીજાં દર્શન પર પ્રભાવ પાડો જ છે. આ બાબત વ્યવહારુ દષ્ટિએ વિચાર કરવાની આવશ્યતા છે.” શ્રી ચીમનભાઈએ જણાવ્યું હતું કે “જૈનશા જોતાં એ સહજભાવે જણાશે કે તેમાં વ્યક્તિપૂજા ક્યાં ય નથી. બધે ગુણની જ પૂજા જોવા મળે છે. આ દષ્ટિએ જોઈએ તો આ સાહિત્ય ઉપનિષદની નજીક આવે છે. ઉપનિષદની જેમ જૈનશાસ્ત્રોમાં ક્ષત્રિયોનું મેટું પ્રદાન હતું.' શ્રી ચીમનભાઈએ વિશેષમાં જણાવ્યું હતું, કે “શંકરાચાયાદિએ બૌદ્ધ અને જૈન ધર્મ પર ઉગ્ર પ્રહાર કર્યા હતા. તેમાં બૌદ્ધ ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy