SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય ભાષા - અર્ધમાગધી લોકભાષા રહી નથી. તેને વર્તમાન લેકભાષાઓમાં ઉતારવી જોઈએ. દરેક દર્શનને પોતાની પરિભાષા હોય છે. આ પ@િાષા વર્તમાન વિચારધારાના સંદર્ભમાં પરિવર્તિત કરવી જોઈએ. અર્થ ન સમજાય તે સમજણપૂર્વક આચરણ ક્યાંથી થાય ? ભગવાન મહાવીરે બતાવેલ જીવનસાધનાને આચારધર્મ–અહિંસા, સંયમ અને તપ-આધ્યાત્મિક અનુભૂતિ છે. સિદ્ધાંત એ જ રહે પણ તેના આચરણનું સ્વરૂપ સમયે સમયે બદલાય. ગાંધીજીએ અહિંસાનું વ્યાપક સ્વરૂપ બતાવ્યું. જેને ધર્મની દષ્ટિ મુખ્યત્વે વ્યક્તિગત મેક્ષની, સંસારવ્યવહાર પ્રત્યે ઉપેક્ષાની રહી છે. સમાજમાં રહી વ્યક્તિ અહિંસાનું આચરણ કરી શકે તે માટે સમાજની રચના અહિંસાના પાયા ઉપર થવી જોઈએ. હિંસાના આધાર ઉપર રચાયેલ સમાજમાં અહિંસક 241242% celo H12 Care . A moral man in immoral ociety is a paradox. તેથી લેટોએ આદર્શ રાજ્યની રચના કરી. ગાંધીજીએ અહિંસક સમાજની રચનાને માર્ગ બતાવ્યું. જૈન ધર્મ અહિક જીવનની સિદ્ધિ માટે સંસારનિવૃત્તિને માર્ગ અપનાવ્યું અને અહિંસા, સંયમ તથા તપની અંતિમ ટિના મુનિધર્મને આદર્શ બનાવ્યો. પરિણામે ધર્મ અને વ્યવહાર ભિન્ન થઈ ગયા. વર્તમાન જીવનની સમસ્યાઓનું મૂળ, વધતી જતી હિંસા અને ભેગપ્રધાન વૃત્તિમાં રહેલું છે. અહિંસા અને સંયમને જીવનના બધા વ્યવહારમાં ગૂંથી ન લઈએ ત્યાં સુધી સુખ અને શાન્તિ મળવાના નથી. જૈન ધર્મ આ દિશામાં ઘણું ગદાન કરી શકે તેમ છે, પણ તે માટે દષ્ટિપરિવર્તન અને સ્વતંત્ર ચિંતન આવશયક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy