SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય માટે આવી જાહેર પ્રવૃત્તિ ફરી ચાલુ કરવાનું શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એના હીરક મહોત્સવ પ્રસ ંગે નક્કી કર્યું અને તનુસાર ઈ. સ. ૧૯૭૭માં પ્રથમ જૈન સાહિત્ય સમારાહ મુંબઈમાં શ્રી કેશવરામ કા. શાસ્ત્રીના પ્રમુખપદે ચેાજવામાં આવ્યેા. એ સમારેાહની સફળતાથી પ્રેરાઈને એના સ`યેાજાને અને વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિને લાગ્યું કે આ પ્રવૃત્તિ સતત ચાલુ રાખવા જેવી છે. સદ્ભાગ્યે ભિન્ન ભિન્ન સસ્થાએનાં નિમ...ત્રણ દ્વારા ત્યારપછી અનુક્રમે મહુવા, સુરત, સેાનગઢ અને માંડવી(કચ્છ)માં બીજો, ત્રીજો, ચેાથેા અને પાંચમા સા{હત્ય સમારેહ યાન્નયે; અને હવે આ છઠ્ઠો સમારેાહ ખભાતમાં યેાજાયા છે. આમ, જૈન સાહિત્ય સમારેાહની પ્રવૃત્તિમાં વેગ અને વિસ્તાર સધાયા છે. વધુ અને વધુ વિદ્વાન આ સમારાહમાં સક્રિય ભાગ લેવા લાગ્યા છે. જૈન સાહિત્ય માટે એક પ્રકારની નગૃતિનું વાતાવરણ નિર્માતું ય છે. નદીના ઊગમસ્થાનનું સ`શાધન કરતાં જણાય છે કે પ્રારંભમાં છૂટાછવાયાં વહેણ, સ્રોત અને ધાધરૂપે પર્વતની હારમાળામાંથી વહેતા નીરને! આગળ જતાં સંગમ થાય અને ઊછળતા–કુદતા, અથડાતા કૂટાતા ઝરણામાંથી જેમ સરિતાનું સ્વરૂપ બધાય તેમ જૈન સાહિત્ય સમારેહનુ સ્વરૂપ બંધાવાની પ્રક્રિયા અત્યારસુધીના સમારાહ દરમિયાન ઘેાડી ઘેાડી થતી રહી છે. સમારેાહની આ પ્રવૃત્તિમાં સાંપ્રદાયિક સંકુચિતતાને સ્થાન નથી; એવી સ`કુચિતતા ટકી શકે પણ નંહ. શ્રી ખંભાત તાલુકા સાનિક કેળવણી મંડળે છઠ્ઠો જૈન સાહિત્ય સમારાહ ખંભાતમાં યેાજવા આપેલા નિમ ત્રણૢ પરથી આ ભાભતની પ્રતીતિ થશે. ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં અગાઉ જૈન વિદ્યાને અલગ વિભાગ રહેતા હતા. તે છેલ્લાં કેટલાંક વર્ષોથી બંધ થયેા છે. Jain Education International 7 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy