SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાર્થીકાળનું મહત્ત્વ તથા શક્યતાઓ 187 તેઓ આત્મવિશ્વાસથી માથું ઊંચું રાખી શકે છે. સાથે સાથે એમનામાં જે મૂલ્યોનો સંચાર થયો હોય અથવા જે આદર્શો તેમણે કેળવ્યા હોય એને આધારે પોતાનું જીવનનાવ હંકારીને પાર ઉતારી શકે છે. સરથાકીય સહવાસને પરિણામે તેઓ ઘણીવાર આદર્શ વ્યકિતઓના પરિચયમાં આવે છે અને એમના જીવનમાંથી દાખલો લઈને પોતાના વિદ્યાર્થીકાળને તો ઉજાળે જ છે પણ બાકીના સમગ્ર જીવનને એવી રીતે વળાંકો આપે છે કે સમાજ પ્રત્યેનું ઋણ સુપેરે અદા કરી શકે. આ મુદ્દાને આપણે એક નકકર શાંત દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. શ્રી વાડીલાલ ડગલીના નામથી કોઈ બુદ્ધિજીવી અજાણ નહીં હોય. નાનપણમાં પિતાનું શિરછત્ર ગુમાવીને માતાની પ્રેરણાથી ભણ્યા. પહેલાં અમદાવાદની પ્રખ્યાત સી. એન. વિદ્યાલયમાં અને ઉચ્ચ શિક્ષણ મુંબઈ તથા કેલીફોર્નિયા યુનિવર્સિટી (બર્કલી) ખાતે એમણે મેળવ્યું. દેશપ્રેમ, સમાજસેવા અને પરિશ્રમના પાઠ એમને પ્રથમ ગળથૂથીમાં તથા પછી પંડિત સુખલાલજી પાસેથી મળ્યા હતા. જીવનના સંજોગો સાથે સંઘર્ષ કરીને એમણે જીવન જીવવાના પાઠ આપબળે મેળવ્યા અને સમાજ પાસેથી જેટલું લીધું તેટલું અનેકઘાણું કરીને પાછું વાળ્યું. આજે પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ અને એક વિદ્યાપીઠ સાથે વિદ્વાનો સરખાવે છે તે એમના આદર્શો નકકર સ્વરૂપે સાકાર કરી રહી છે અને જે એનો લાભ ઉઠાવે છે તેની ક્ષિતિજે સદાય વિસ્તરતી રહે છે તે હકીકત છે. આજે વિશ્વભરની વસ્તીની વાત કરીએ તો ૧૫થી ૨૫ની વયના લોકોની સંખ્યા 1/3 જેટલી છે. ભારતની વાત કરીએ તો ૧૦૦માંથી 35 વ્યક્તિઓ 11-45 વયની વ્યક્તિઓ છે. એમાંથી લગભગ અડધી યુવાપેઢી ગરીબીની રેખા નીચે જીવતાં કુટુંબોમાં રહે છે અને બાળમજૂર તરીકે વૈતરું ફરે છે, બાળપાગ શું એ એમને ખબર નથી અને જાતજાતનાં ને ભાતભાતનાં કારખાનામાં કામ કરવા છતાંય એમણે રળેલી આવકનો ફાયદો એમને મળતો નથી કારણકે પિતા એના હકદાર બની જાય છે. શિક્ષણથી વંચિત રહેતી પેઢી માટે આપણી સરકાર કશા જ પગલાં લઈ શકતી નથી અને પરિસ્થિતિ સુધારી શકતી નથી ત્યારે જે પેઢીને શિક્ષણનો લાભ મળે છે એની ફરજ શી છે તે અંગે સમજી લેવું રહ્યું. પણ જે પેઢીને શિક્ષાગનો લાભ મળે છે અને જેને સામેપૂરે તરવું પડતું નથી એ પેઢી પોતાના જીવનનો નકશો કેવો દોરે છે? એ તો ભણીગણીને ખૂબ ધન કમાવાનાં ને જીવનમાં સાયી બનીને એશઆરામની જિંદગી વિતાવવાનાં સ્વપ્ન જુએ છે. હિન્દી
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy